SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪)–– ૩. સાંખ્યદર્શન.૨૮ ગણાય, કારણ કે, એણે (વાદીએ) ઘડાનું ઉદાહરણ દઈને શબ્દની અનિત્યતાને સાબિત કરવા માટે જે પ્રતિજ્ઞા કરી હતી તે (ઘડે નિત્ય થવાથી) તદન ખોટી પડી જાય છે. આ જાતની આંટીઘૂંટીવાળી વાક્યરચનાને જ “નિગ્રહસ્થાન” કહેવામાં આવે છે. ૨૮. સાંખ્યદર્શનને અનુસરનારા સંન્યાસીઓને વેષ અને આચાર આ પ્રમાણે છે: “એઓ ત્રિદંડી કે એકદંડી હોય છે, અધેવસ્ત્રમાં માત્ર કૌપીનને પહેરે છે, પહેરવાનું વસ્ત્ર ગેરૂઆ રંગનું રાખે છે. કેટલાક ચોટલીવાળા હોય છે, કેટલાક જટાધારી હોય છે અને કેટલાક રમુંડ હોય છે. આસનમાં મૃગચર્મ ઉપયોગ કરે છે, બ્રાહ્મણને ઘરે ભોજન લે છે, કેટલાક માત્ર પાંચ કેળિયા ઉપર રહે છે અને એ પરિવ્રાજક બાર અક્ષરનો જાપ કરે છે. તેઓને નમસ્કાર કરનારા ભકતે “૩૦ ના નારાયur” એમ બેલે છે અને તેઓ (પરિવ્રાજકે) સામું ફકત “નાય નમઃ” એમ કહે છે. જૈન સાધુઓની પેઠે તેઓ પણ બોલતી વખતે મુખવસ્ત્રિકા રાખે છે. એની એ મુખવસ્ત્રિકા કપડાની નથી હતી પણ લાકડાની હેય છે. મહાભારતમાં એ મુખવસ્ત્રિકાને “બીટા ” કહેવામાં આવી છે. “ “વીદા’ તિ મત્તે રથતિ રા મુવહિવે રયનિમિત્તે મૂતાનાં મુનિશ્ચર ” રૂ એઓ પિતે જીવદયા નિમિત્તે પાણી ગળવાનું ગણું રાખે છે અને પોતાના અનુયાયીઓને પણ સમજાવે છે કે “પરસ્ત્રાણામં વિંરાચવિસ્તૃતમ્ दृढं गलनकं कुर्याद् भूयो जीवान् विशोधयेत् ॥ ३८ ॥ म्रियन्ते मिष्टतोयेन पूतरा: क्षारसंभवाः । क्षारतोयेन तु परे न कुर्यात् संकरं ततः ॥ ३९ ॥
SR No.022514
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorKalahansvijay
PublisherVarddhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1945
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy