SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ——( ૨૩૭ ) કે એ અનુભવ તદ્દન નિર્દોષ છે, એવો અનુભવ સૌને થાય છે અને યુક્તિયુક્ત હોવાથી સૌ તેને કબૂલ કરી શકે તેમ છે. હવે કદાચ એમ કહેવામાં આવે કે-જેમ ઠંડક અને તાપ બન્ને તદ્દન વિરુદ્ધ હોવાથી એક સાથે રહી શકતાં નથી તેમ સતપણું અને અસત્પણું, નિત્યપણું અને અનિત્યપણું વિગેરે પરસ્પર વિરોધ ધરાવનારા ધર્મો એક જ પદાર્થમાં શી રીતે રહી શકે? જે વરતું સત હોય એ, અસત શી રીતે હેય? અને જે વસ્તુ અસત હેય એ, સત શી રીતે હોય ? જે વળી, સત્ત્વને અસવરૂપ અને અસવને સવરૂપ માનવામાં આવતું હોય તે વ્યવહાર માત્રને નાશ થશે—કોઈ પણ પદાર્થના સ્વરૂપનું ઠેકાણું જ નહિ રહે. આ જ હકીકત એક જ પદાર્થને નિત્ય અને અનિત્ય માનવામાં પણ લાગુ થઈ શકે છે–જે વસ્તુ નિત્ય હોય એ, અનિત્ય શી રીતે હોઈ શકે? અને જે વસ્તુ અનિત્ય હાય એ, નિત્ય શી રીતે હોઈ શકે? આ પ્રકારે અનેકાંતવાદમાં વિરોધનું દૂષણ આવતું જણાય છે. એ ઉપરાંત આ બીજાં પણ આઠ દૂષણે આવે છે–એક સંશય, બીજું અનવસ્થા, ત્રીજું વ્યધિકરણ, ચોથું સંકર, પાંચમું વ્યતિકર, છઠું વ્યવહારલેપ, સાતમું પ્રમાણબાધ અને આઠમું અસંભવ. એમાં સંશય દેષ આ પ્રમાણે લાગુ થાય છે –વસ્તુનાં બને રૂ૫ એટલે સપ અને અસતૂપ એમ બે સ્વભાવ માનવામાં આવે ત્યારે એને (વસ્તુને) સ્વભાવ અમુક જ છે. એ નિર્ણય તે થઈ શકતું નથી, અને એમ હોવાથી એ સપ છે કે અસકૂપ છે” એવી શંકા બની રહે છે. બીજું અનવસ્થા દૂષણ આ પ્રમાણે લાગુ થાય છે –વસ્તુને જે અંશે સફૂપ માનવામાં આવે છે તે અંશે જે વસ્તુ સદ્રપ જ હોય તો એકાંત-વાદ જેવી વાત થવાથી અનેકાંતમાને હાનિ થશે અને જો એમ માનવામાં આવે છે જે અંશે વસ્તુને સંતૃપ માનવામાં આવે છે તે જ અંશે વસ્તુને સકૂપ અને અસકૂપ પણ માનવામાં આવે છે તે એમાં પણ પ્રશ્ન થાય તેમ છે કે જે અંશે વસ્તુને સકૂપ અને અસલૂપ માનવામાં આવે છે તે અંશે
SR No.022514
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorKalahansvijay
PublisherVarddhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1945
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy