SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ (ર૩૬)–– એ ધર્મોને આધાર એ કોઈ ધમ નથી. તે તે કથન ગેરવ્યાજબી છે; કારણ કે કઈ પદાર્થના આધાર વિના એકલા ધર્મો હોઈ શકતા જ નથી, રહી શકતા જ નથી અને સંભવી પણ શકતા નથી; કિંતુ એ બધા ધર્મો એક ધર્મારૂપ પદાર્થમાં જ રહેતા અનુભવાય છે અને એ હકીકત સૌ કેઇને માન્ય છે. જો કે ઉત્પન્ન થતા અને નાશ પામતા અનેક ધર્મોને આપણે જાણી શકીએ છીએ અને તે બધા ધર્મોને આધાર તથા તે તે અનેક ધર્મમય એવો એક ધર્મી કે જે દ્રવ્યરૂપે ધ્રુવ રહે છે તેને પણ સૌ કે તદ્દન વાંધા વિના પ્રત્યક્ષપણે અનુભવે છે, એને કઈ શી રીતે ઓલવી શકે? જેને અનુભવ આપણને નજરોનજર થતું હોય તેને પણ જે ઓલવવામાં આવે તે સંસારના વ્યવહાર માત્રને નાશ થવાનો પણ પ્રસંગ આવશે માટે કોઈ પ્રકારે એ બધા ધર્મના આધારરૂપ પદાર્થને—ધર્મવાળાને-કઈ પણ મનુષ્ય ઓલવી શકે એમ નથી. છેવટે કહેવાનું તાત્પર્ય એ છે કે “પ્રત્યેક પદાર્થ અનંત ધર્મવાળો છે.” એ હકીકત અનેક પ્રમાણોથી સિદ્ધ થઈ ચૂકી છે અને હવે એમાં એક પણું વાંધાને અવકાશ નથી. એ બાબતને વધારે પુષ્ટિ આપનારું અનુમાન પ્રમાણ આ પ્રમાણે છેઃ–પ્રત્યેક ચીજ અનંત ધર્મવાળી છે અર્થાત વસ્તુ માત્રમાં નિત્યપણું, અનિત્યપણું, સતપણું, અસતપણું. સામાન્ય, વિશેષ, વક્તવ્યપણું અને અવક્તવ્યપણું વિગેરે અનેક ધર્મો રહેલા છે, કારણ કે એ પ્રકારનો કોઈ પ્રકારના બાધ વિનાને અનુભવ સી કેઈને થયા કરે છે. ખરી રીતે વિચારીએ તે આપણે જે જાતને પ્રામાણિક અનુભવ કરતા હોઈએ તે જ પ્રમાણે પદાર્થોનું સ્વરૂપ માનવું વ્યાજબી છે–જેમ આપણે ઘરને ઘટરૂપે માનીએ છીએ, પણ કપડારૂપે નથી માનતા તે જ પ્રમાણે આપણે આપણું અનુભવ પ્રમાણે પ્રત્યેક પદાર્થને અનંત ધર્મવાળો માનવો - જોઈએ. “દરેક ચીજ અનંત ધર્મવાળી છે” એ વાતને સાબિત કરવાને જે “અનુભવ”રૂપ હેતુ કહ્યો છે તે કાંઈ અસિદ્ધ નથી, વિરોધવાળો - નથી, તેમ બીજે પણ કોઈ જાતનો બાધ તેને નડી શકતો નથી; કારણ
SR No.022514
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorKalahansvijay
PublisherVarddhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1945
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy