SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૨૪ )—— . નાસ્તિત્વરૂપે કાં ન હોય ? ધડેા કપડારૂપ નર્યા ' એ વાત તો સૌ કા જાણતું હેાવાથી ધડા અને કપડાને એક ખીજાના સંબંધ નારિતત્વરૂપે છે એમાં કશે! સ ંદેહ રહે એમ નથી, લેકે તો એ બધા ઘડા વિગેરે પદાર્થાત વિષે એમ ધારી રહ્યા છે કે એ બધા પદાર્થો પરસ્પર અભાવરૂપ છે . માટે જ અર્થાત્ ડેા કપડાના અભાવરૂપ છે અને કપડુ ઘડાના અભાવરૂપ છે માટે જ અહીં એમ જણાવવામાં આવે છે કે જે કપડા વિગેરેના ગુણા કે ધર્મ છે તે બધાને ઉપયેાગ એક અપેક્ષાએ ઘડાને માટે પણ થઈ શકે છે. વળી, અહીં આ પણ એક નિયમ છે કે જેને જેની સાથે સંબંધ હૈાય તે બધા, તેના પર્યાયેા કહી શકાય-ડાના રૂપ વિગેરેના ઘડાની સાથે સંબંધ છે માટે એ રૂપ વિગેરે જેમ ધડાના પર્યાય કહી શકાય છે તેમ કપડાના ધર્મ કે ગુણાના પશુ સંબંધ કે અપેક્ષાએ ઘડાની સાથે હાવાથી એ પણુ, ધડાના જ પર્યાયેા કહી શકાય. વળી, જો એ કપડા વિગેરેના ગુણા કે ધર્માં ન હેાત તો ધડાના જ પર્યાયને સ્વપર્યાયે। તરીકે શી રીતે કહી શકાય ? કારણ કે જ્યારે આપણું અને પારકું એમ એ વાનાં હાય છે ત્યારે જ એવે વ્યવહાર થઈ શકેછે અર્થાત્ ‘આ ગુણા ઘડાના પોતાના છે અને આ ગુણેા પારકા છે' એવા વ્યવહાર થઈ શકે છે અને એ અપેક્ષાએ પણ કપડા વિગેરેના ગુણા કે ધર્મો ઘડાને ઉપયેગમાં આવી શકે છે. માટે જ એ પર—ગુણો પણ એ ધડા સાથે સબંધ ધરાવી શકે છે. વળી, પદાર્થ માત્રનો સ્વભાવ સ્વતંત્ર છે—ક્રાઈ પદાના સ્વભાવ, ખીજા પદાર્થના સ્વભાવ સાથે મિશ્રિત થએલા નથી, માટે જ્યારે કાઇ પણ પદાર્થનું ખરેખરું સ્વરૂપ જાણવું હોય ત્યારે સાથે એ પણ જાણવું જોઇએ કે બીજા કયા કયા પદાર્થો છે અને એના સ્વભાવે પણ કેવા કેવા છે? આ જાતના જ્ઞાન સિવાય કોઇ પણ મનુષ્ય પદાર્થનું પૃથક્કરણ કરી શકતા નથી, તેમ તેના સ્વતંત્ર સ્વભાવને પણ ઓળખી શકતા નથી. આ રીતે વિચાર કરી જોતાં તે એમ જાણી શકાય છે કે એક ઘડાનું જ્ઞાન મેળવવા માટે તેનાથી જુદા બીજા અનેક
SR No.022514
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorKalahansvijay
PublisherVarddhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1945
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy