SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ——(૨૨૩) પણાની સાથે ઘડાને સંબંધ હોય એ વ્યાજબી છે, પરંતુ પર–પર્યા સાથે તો એને (ઘડા) સંબંધ શી રીતે ઘટી શકે? કારણ કે ઘટનો સંબંધ પટાભાવ (પટના નાસ્તિપણું) સાથે છે એથી કરીને એને ઘડાનો સંબંધ પટ સાથે પણ હય, એવું કયાંય જોયું કે સાંભળ્યું પણું નથી. જો અહીં એમ માનવામાં આવે કે પર–પર્યાયના નાસ્તિપણે સાથે ઘડાને સંબંધ છે માટે એને (ઘડાને) સંબંધ પર–પર્યાયે સાથે પણ હેઈ શકે તો એમ પણ માનવું જોઈએ કે-ઘડાને સંબંધ પટના નાસ્તિપણું સાથે છે માટે ૫ટ સાથે પણ એને (ઘડાને) સંબંધ છે જોઈએ. પરંતુ એ માન્યતા તદ્દત ખોટી હોવાથી કોઈથી માની શકાય એમ નથી અને એ પ્રકારે પર–પયા સાથે ધડાને કોઈ પ્રકારનો સંબંધ હોય, એ વાત બરાબર જણાતી નથી. હવે એને પણ જવાબ આ પ્રમાણે છે-નાસ્તિપણને અર્થ અહીં એમ સમજવાને છે કે તે તે રૂપે નહિ હેવાપણું અર્થાત “ઘડામાં કપડાનું નાસ્તિપણું છે ” એટલે ઘડે કપડારૂપે નથી, પણ પિતાના રૂપે (ઘડારૂપે) છે. આ જાતના અર્થવાળું નાસ્તિપણું એ વસ્તુને ધર્મ છે માટે એ કાંઈ તક્ષ્મ તુચ્છરૂપે ગણું શકાય નહિ અને એમ હેવાથી જ એને (નાસ્તિપણને) સંબંધ ઘડા સાથે ન હોય એમ પણ બની શકે નહિ. એનું કારણ એ છે કે–ધો કપડારૂપે નથી” એમ કહેવામાં અર્થાત્ ઘડાની સત્તાને જણાવવામાં એ ઘડે ‘કપડારૂપે નથી” એ ભાવની પણ ખાસ જરૂર પડે છે. કપડામાં જે જે ગુણે, ધર્મો અને સ્વભાવે છે, તે ઘડામાં નથી–એ રૂપે ઘડે નથી—એ તો ઘડાને રૂપે (પિતાને રૂપે) જ છે એ હકીકતમાં આ વાત સ્પષ્ટપણે જાણી શકાય એવી છે કે-ઘડે પિતાનું સ્વરૂપ જણાવતાં કપડારૂપે નથી એ વિશેષણની ખાસ અપેક્ષા રાખે છે એથી જે જે ગુણે કે સ્વભાવ કપડાના છે તે પણ એક રીતે ઘડાના ઉપયોગમાં આવી જાય છે અને એ જ અપેક્ષાએ વિચાર કરીએ તો સ્પષ્ટપણે જાણી શકાય એમ છે કેકપડું પણ પડાની સાથે સંબંધ ધરાવી રહ્યું છે, પછી ભલે તે સંબંધ
SR No.022514
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorKalahansvijay
PublisherVarddhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1945
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy