SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ નવતન્ય હવે જૈનધર્મનાં તની વીગત આ પ્રમાણે છે – તે મતમાં નવ તને છે, તે આ પ્રમાણે – જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ. ચેતના એટલે ચેતવું–અનુભવવું એ જવનું નિશાન છે. અજીવ, જીવથી તદ્દન વિરુદ્ધ છે એટલે એ ચેતના વિનાને છે. અજીવન પાંચ પ્રકાર છે –ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશારિતકાય, કાળ અને પુણલાસ્તિકાય. આ બે–જીવ અને અજવતત્વમાં જ જગતના બધા -ભા આવીને સમાઈ જાય છે. કેટલાક લેકે જ્ઞાન, ઇચ્છા, પ્રયત્ન અને સંસ્કાર વિગેરેને તથા રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ વિગેરેને દ્રવ્યના ગુણો કહીને ભિન્ન તત્વરૂપે માને છે અને હલનચલન વિગેરેને ક્રિયાઓને “કમ કહીને જુદા તત્વમાં ગણે છે. તથા સામાન્ય, વિશેષ અને સમયને પણ અલગ અલગ તવ સમજે છે પરંતુ અમારા ધારવા પ્રમાણે તે એ ગુણે, ક્રિયાઓ કે સામાન્ય વિગેરે તો જીવ અને અજીવથી જુદાં હૈઈ શકતાં નથી–જુદાં રહી શકતાં નથી માટે જ અમે એ બે જ તને બધા તોમાં અગ્રસ્થાન આપીએ છીએ. કદાચ એમ કહેવામાં આવે કે-એ ગુણ અને ક્રિયા વિગેરે તો તદ્દન જુદાં તો છે માટે એને તે જુદાં જ માનવો જોઈએ, તે એ કથન વ્યાજબી નથી; કારણ કે–કઈ પણ ઠેકાણે જીવ અને અજીવથી જુદાં પડીને એ ત રહી શકતાં જ નથી-ક્યાંય જીવ અને અજ્ઞાન, એ બે તદ્દન જુદાં જણાતાં નથી, કયાંય અને તેમાં રહેલી કોઈ પણ ક્રિયા, એ બે તદન જગુદાં જણાતાં નથી, તેમ ઘડે અને તેમાં રહેલું રૂપ, એ બે પણ તદ્દન જુદાં જણાતાં નથી. ઊલટું એ બધાં એ ક
SR No.022514
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorKalahansvijay
PublisherVarddhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1945
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy