SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ , , , ૨૨ સૃષ્ટિવાદ અને ઈશ્વર પુરુષસૂક્તની સૃષ્ટિ વૈદિક સૃષ્ટિને પહેલે-આજે પ્રકાર] હવે આપણે પુરૂષસૂક્ત કે જે લગભગ બધા વેદમાં આવે છે તેનું નિરીક્ષણ કરીએ. सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् । स भूमि विश्वतो कृत्वा त्यतिष्ठदशाङ्गुलम् ॥ (૨૦ ૨૦ ૨) અર્થ–સર્વ પ્રાણી સમષ્ટિરૂપ બ્રહ્માંડ છે દેહ જેહને એ વિરાટ નામે પુરૂષ કે જેમાં હજાર=અનન્ત મસ્તક છે, અનન્ત આંખ છે, અનંત પગ છે તે પુરૂષ, ભૂમિ બ્રહ્માંડને ચારે તરફથી વીંટીને દશ અંગુલ હાર નીકળતો રહે છે, અર્થાત્ બ્રહ્માંડવ્યાપી છે. पुरुष पवेदं सर्व यद्भुतं यच्च भव्यम् । उतामृतत्वस्येशानो यदन्नेनातिरोहति ॥ (ા ૧૦ કે ૧૦ / ૨) અર્થ–જે વર્તમાનકાલમાં જગત દેખાય છે, જે ભૂતકાલમાં હતું અને જે ભવિષ્યમાં હશે તે બધું પુરૂવરૂપ જ છે. તે પુરૂષ અમૃતત્વ-દેવત્વને સ્વામી છે. તે પ્રાણીઓનાં ભોગ્ય કર્મો ભગવાવવાના કારણથી જગદવસ્થામાં પ્રકટ થાય છે.. एतावानस्य महिमातो ज्यायाँश्च पूरुषः। पादोऽस्य विश्वा भूतानि त्रिपादस्यामृतं दिवि ॥ | ( ws ૨૦૨૦રૂ) અર્થ–આટલું જગત તે એહનો મહિમા છે. પુરૂષ તે એ મહિમાથી કયાંએ અધિક છે. આ અખિલ બ્રહ્માંડ તે તેને થે હિસ્સો છે. ત્રણ હિસ્સા તે સ્વપ્રકાશ સ્વરૂપમાં જ અમૃતત્વ રૂપે રહે છે.
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy