SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ સર્જન-વિનાશવાદ ૬૧ " પણ દયાળુ પરમાત્માના પુત્ર તરીકે જન્મ પામેલ સૂર્યમાં એવી ઘાતક વૃત્તિ=ક્રૂરતા કયાંથી આવી ? કદાચ અંધકારને સૂર્યને શત્રુ માનીને તેને નાશ કરવાને પરમાત્માએ સૂર્યને પેદા કર્યાં એમ માનીએ તે રાનૂન' એ બહુવચનની અનુપપત્તિ આવે છે. વળી સાયણાચાર્યે તે। મન્દેહાદિ રાક્ષસેાનાં નામ લઈને તેમને બહુશત્રુ તરીકે નિર્દેશ્યા છે. ત્રીજી અસ’ગતિ એ છે કે સૂર્યને જોઈ બધાં ‘ હમા: ' પ્રાણીએ ખુશી થાય છે. તે સૂર્ય ઉત્પન્ન થયા પહેલાં શું બધાં પ્રાણીએ ઉત્પન્ન થઈ ચુક્યાં હતાં ? આંહિ તે સૂર્ય અને પરમાત્માની વચ્ચે પ્રાણીઓની સૃષ્ટિ બતાવી નથી. આ ઋચાથી તે ઉલટું એ સિદ્ધ થાય છે કે રાક્ષસ પ્રાણીએ વગેરે લેાકમાં માજીદ હતા જ. ફક્ત એક સૂર્યની ગેરહાજરીથી લેાકા મુંઝાતા હતા. રાક્ષસેા પ્રાણીઓને ડરાવતા હતા. પરમાત્માએ સૂર્યને પેદા કરવાથી રાક્ષસે યા અંધારાને નાશ થયા તેથી પ્રાણીએ ખુશી થયાં. અથવાતા ઈતિહાસકારાના કહેવા પ્રમાણે જ્યાં લાંબા વખત સુધી સૂર્યનાં દર્શન થતાં નથી એવા વે જેવા પ્રદેશમાં રહેતાં મનુષ્ય વગેરે પ્રાણીઓ જ્યારે એશીયામાં આવ્યાં ત્યારે દરરાજ સૂર્યનાં દર્શન થતાં અને અંધકાર નષ્ટ થયેલ જોતાં તે લેાકેા ખુશી થયા. તેમની ષ્ટિએ સૂર્યના આવિર્ભાવ થા જોવામાં આવ્યે. આવા સૂર્યને પરમાત્મા શિવાય ખીજો કાણુ પેદા કરે ? એવી કલ્પના થતાં આ ઋચાના ઉચ્ચાર તેમના મુખેથી થયેા હાય તે તેમાં શું અસંગતિ જણાય છે? ખરી રીતે તે વિષુવવૃત્ત પ્રદેશથી ૨૩ા અંશ દક્ષિણે અને ૨૩।। અંશ ઉત્તરે સૂર્યના ઉદય અસ્ત દરરાજ થયાજ કરે છે પણ અન્ય પ્રદેશમાંથી સૂર્યવાળા પ્રદેશમાં આવનાર પ્રાણીને અજાયખી લાગે કે ખુશાલી થાય તેમાં નવાઇ નથી. અસ્તુ.
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy