SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મનન્ત જ્ઞાન થવાની પ્રક્રિયા જે અંદર મુળભૂત સત્તામાં હોય છે તે જ પ્રગટ થાય છે. અંદર ન હોય તે નથી પ્રગટતું. આત્મામાં જ્ઞાનાદિ બહારથી લાવવું નથી પડતું. તે તે અંદરથી જ પ્રગટ થાય છે. માત્ર આત્મા ઉપર જે આવરણે અવરોધ રૂપે છે તે જ દૂર થાય, નષ્ટ થાય એટલે આત્માનું જ્ઞાન પ્રગટ થતું જાય. અથાત જેમ જેમ વાદળાં ખસતાં જાય તેમ તેમ સૂર્યનાં કિરણે ધરતી ‘ઉપર આવતાં જાય. એમ, આત્મા ઉપરનાં કર્મનાં આવરણે નષ્ટ થવાં જોઈએ તે જ આત્મા વધુ શુદ્ધ-બુદ્ધ-સિધિ-મુકત થઈ શકે. આ પ્રક્રિયામાં આત્મ વિકાસની કેડીએ-ગુણસ્થાને ચઢવા પડે. આત્મ વિકાસની નિસરણ-૧૪ ગુણસ્થાન ઘરમાં જેમ નિસરણી ઢીને આપણે ઉપર જઈએ છીએ, અને એ જ નિસરણ ઊતરીને આપણે નીચે ઊતરીએ છીએ. એ જ પ્રકારની એક અદ્દભુત નિસરણી અધ્યાત્મ શાસ્ત્રમાં છે. આત્મા તેના ઉપર ચઢે-ઊતરે છે. આ ફક્ત ૧૪ ગુણસ્થાને (પગથિયાં)ની છે. જગતના તમામ જી આ નિસરણીનાં ભિન્ન ભિન્ન પાન ઉપર ઊભા છે. પહેલું સોપાન તે જીવની - સંસારની મિથ્યા દશા અજ્ઞાનતાનું છે. ત્યાં બધા ઊભા છે. અને ક્રમે ક્રમે અહીંથી જ આગળ વધે છે. આ નિસરણીનું છેલું પગથિયું વટાવી જનાર આતમા મુકત થઈ જાય છે. જેમ જેમ આત્માના ગુણેને વિકાસ થાય છે. અને કર્મનાં આવરણે ક્ષય કે ક્ષપશમ થતાં જાય. તેમ તેમ આત્મા એક
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy