SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ પ્રતિબંધક નથી. ઘરની જેમ આવરણે દૂર થતાં આત્માનું જ્ઞાન પણ સ્વરૂપમાં પરિણમી જાય છે. પછી કરણરૂપ સાધને. ની જરૂર નથી રહેતી. માટે માત્ર ઈન્દ્રિયે કે મનથી જ જ્ઞાન થાય છે. એવું નથી. એ વિના પણ જ્ઞાન થાય છે. જ્ઞાન ઈન્દ્રિયો કે મનને નથી થતું. આંખ જૂએ છે, કાન સાંભળે છે, વગેરે આપણે નથી કહેતા. કારણ, જે આમ કહીએ તે મડદાને પણું આંખ તે ખુલ્લી છે. કાન ખુલ્લા છે. તે પછી તે કેમ? જેતે નથી, સાંભળતું નથી ? માટે આપણે એમ કહીએ છીએ. કે, આંખ વડે જોઈએ છીએ, કાન વડે સાંભળીએ છીએ.. એહ વડ એ કરણ અર્થમાં તૃતીયા વિભકિત છે. અર્થાત કર્તા કે ઈજદે છે અને તે છે આત્મા. મતલબ જેનાર-સાંભળનાર તે આત્મા છે. ઇન્દ્રિ-મન તે કરણ અર્થમાં સાધન છે. મતિ-શ્રતના પક્ષ જ્ઞાનમાં આત્મા ઈન્દ્રિયોની મદદથી જુએ–. જાણે છે. માટે જ્ઞાન ઈદ્ધિ કે મનને નથી થતું. તે જ્ઞાનનું મૂળ સ્રોત નથી. પરંતુ જ્ઞાન માટે સાધન માત્ર છે. ઈન્દ્રિયે, મન તે જડ છે. જડને જ્ઞાન નથી. માટે જ્ઞાન તે આત્માને થાય છે. મુળમાં જેનાર–જાણનાર આત્મા છે. જ્ઞાન એ જીવને જથી લેદક લક્ષણ છે. અજ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાનને સર્વથા અભાવ, જ્ઞાનરહિત એ નથી થતું. પરંતુ અહીંયાં “અ” એ નિષેધ અર્થમાં નથી. અ૫ અર્થસૂચક છે. માટે અજ્ઞાન એટલે અલ્પજ્ઞાન એ અર્થ સાચે છે. જે અજ્ઞાન એટલે જ્ઞાનને અભાવ કહીશું તે તે જડ-અજીવ થઈ જશે. પરન્તુ, ના. જીવ જડ થતું નથી. અને અજીવ જીવ બનતું નથી, જ્ઞાન એ જીવનું લક્ષણ છે, અજીવનું નહીં.
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy