SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ સમાન પ્રયત્નનું સમાન ફળ મળે છે, અને અસમાન વિષમ પ્રયત્નનું પણ સમાન ફળ મળે છે, પ્રયત્ન કરવા છતાં પણ ફળ નથી મળતું, અને કઈ વાર પ્રયત્ન ન કરવા છતાં પણું ફળ મળે છે. આથી જણાય છે કે ફળને આધાર માત્ર પ્રયત્ન ઉપર જ છે એમ નથી, પણ તેને આધાર જીવના કર્મ ઉપર છે. ૨. કાર્યાનુમાન – કાર્ય હોય તેની પાછળ કારણ અવશ્ય હોવું જોઈએ. જેમ ધૂમાડાની પાછળ અગ્નિ અને ઘડાની પાછળ માટી એ કારણ છે. તેમ આ શરીર પણ કાર્ય છે. તે તેની પાછળ પણ કંઈક કારણ અવશ્ય હોવું જોઈએ. આ. શરીરને નિમાતા બનાવનાર કોણ? તમે કહેશે, ઈશ્વર, તે ઈશ્વરને પણ શરીરને કર્તા માનીશું તે પણ ઘણા દે આવશે. ઈશ્વર ગર્ભમાં એકની આંખ બનાવે, અને બીજાની ન બનાવે. આંદળે, કાણાં, મુંગે, બહેરે, અપંગ વગેરે શું ઈકવર બનાવે છે ? અથવા શું ઈધર બનાવતી વખતે આંખ-નાકકાન બનાવવાનું ભૂલી ગયા હતા ? શું ઈશ્વર એક પૂર્ણ તત્વ હોય અને તેનાથી પણ ભુલ સંભવ છે. ખરી ? જે. ના....અને પછી તમે કહેશે ના, ઇશ્વર પણ તે જીવન કર્મ પ્રમાણે બનાવે છે. જે કર્મ માનવાના જ હોય તે સંપૂર્ણપણે કર્મ સત્તાને જ માને ! કર્મવયં ફળ આપી શકે તેમ છે. તેટલું સામર્થ્ય કર્મ ધરાવે છે. કર્મના ફળ આપવા માટે ઈશ્વરને વચ્ચે લાવવાની જરૂર નથી. નહીંતર ઈશ્વરનું સ્વરૂપ ૨૯
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy