SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ પણ નારકીઓ મરતા નથી. તેમનું આયુષ્ય નિરૂપકેમ છે. ગમે એટલા આઘાતથી પણ આયુષ્ય પુરૂ ન થાય, તેમજ તૂટી પણ ન જાય. એટલે જ નારકી જ આપઘાત, આત્મ હત્યા પણ કરી નથી શકતા. કપાયા પછી, ટુકડા કર્યા પછી જેમ પાણીનું ટીપુ પાછું પાણીમાં મળી જાય, અથવા પારે જેમ પારામાં મળી જાય સાંધે પણ ન દેખાય તેમ આ નારકીઓના શરીરે પણ અંગે ભેગા થતા જ જોડાઈ જાય છે અને ઉભા થઈને ચાલવા જાય, નાસવા ભાગવા જાય. ત્યાં તે પરણાદામી ફરી ફરી મારે છે. એમ માત્ર નરકમાં સતત વેદના દુઃખ ને ત્રાસ જ ભેગવવાનું છે. નારકીઓ પિતાનું આયુષ્ય સમાપ્ત થયા પછી પૂરેપૂરું ભેગવાઈ ગયા પછી જ મૃત્યુ પામે. ક્ષેત્રકૃત વેદના આ તે વાત થઈ ફક્ત અસૂરો દરિત પરમાધામીકૃત વેદનાની. પરંતુ ત્રીજી નરક પછી ૪, ૫, ૬, ૭ આ ચાર નરકમાં પરમાધામીઓ પણ નથી ત્યાં શું થતુ હશે.? શું જ્યાં પરમાધામી મારનાર નથી ત્યાં મજા હશે ? ત્યાં શું દુઃખ-પીડા-ત્રાસ–વેદના નહીં હોય ? ના, એમ નથી. એક પછી બીજી નરકમાં અનેકગણું, બીજી પછી ત્રીજીમાં અનેક ગણું વધારે, એ જ પ્રમાણે ત્રીજી કરતાં ચોથી અને જેથી પછી પાંચમી-છઠ્ઠી-સાતમી નરકમાં અનેક ગણું દુઃખ વધારે છે ત્યાં પરસ્પરકૃત અને ક્ષેત્રકૃત વેદનાનું પ્રમાણ છે. નારકીજીને આવી દશ પ્રકારની વેદનાએ થાય છે. એમ સર્વજ્ઞ ભગવંતે ફરમાવે છે.
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy