SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ હવે તેની નીચે ત્રીજું વલય તનુવાતનું છે. તનુવાત ઘનવાતની નીચે સતત રહે છે. એ તનુવાતની મધ્યમાં ઘન વાતથી અસંખ્યગણ જાડાઈ છે. પછી પ્રદેશ ઘટતા જવાથી હીન થતે જાતે ઘનવતરૂ૫ વલયને વલયાકારે વીંટીને રહેલે છે. તનુવાતની પહોળાઈ પ્રજીત દોઢ યોજન છે. અને ઉંચાઈ પહેલાં જેટલી જ છે. એ તનુવાત આકાશને આધારે રહે છે. અને આકાશ અસંખ્ય જન પ્રમાણ છે. જેવી રીતે આ પહેલી નક પૃથ્વી રત્નપ્રભાને ફરતા ઘનેદધિ વગેરે ત્રણ વલયે રહેલા છે. તેવી જ રીતે બીજી, ત્રીજી, એથી યાવત સાતમી પૃથ્વીની નીચે પણ આ જ પ્રમાણે આ વલયે રહેલા છે. સાતે નરક પૃથ્વીઓને કવા માટે આ પ્રમાણે આ ઘોદધિ આદિમાં ત્રણ વલયે છે. ખરેખર જે જોઈએ તે જાણે કલશની ચારે બાજુ સાપ વીંટાઈને રહ્યા હોય, એવા શેભે છે. અને પૂર્ણ ગળા કારમાં ચારે તરફ પરિધિના કારણે પૂર્ણચન્દ્રમા જેવા શોભે છે. અર્થાત પૂર્ણ ગોળ આકારે છે. ઉપરથી રત્નપ્રભા પૃથ્વીથી કમશઃ નીચે જતાં જોઈએ તે પ્રથમ રત્નપ્રભા પૃથ્વી તેની નીચે ઘનોદધિ છે. પછી ઘનવાત છે, પછી તનુવાત છે, અને અંતે આકાશ છે. તેના પછી ઘણું અંતરે બીજી પૃથ્વી આવશે. આ બધા ઘોદધિ વગેરે બંગડીના આકારે વલયાકારે) રહેલા છે. આ પ્રમાણે પૃથ્વી આદિના આધારનું આ એક વિશિષ્ટ વિજ્ઞાન સર્વર ભગવતેએ જ રજુ કર્યું છે. આ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીના છેલ્લા ભાગથી ફરતા ત્રણ પ્રકારના વલયેના દ+કા+લા–એમ કુલ ૧૨ જન થાય
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy