SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ २६६ तत्त्वन्यायविभाकरे માસ અને જઘન્યથી અહોરાત્ર જાણવું. આ કષાયો કઈ ગતિ આપનારા છે? તો કહે છે કે- “મનુષ્યગતિને આપનારાં છે.' અર્થાત્ આ કષાયવાળો જીવ મનુષ્યોમાં ઉત્પત્તિને મેળવે છે. કાર્યને કહે છે કે - ‘સાધુધર્મધાતી છે. અર્થાત્ સાધુધર્મના પરિણામની ઉત્પત્તિનો નાશ કરે છે. प्रत्याख्यानावरणक्रोधचतुष्टयस्वरूपं संक्षेपेणाह ईदृशाः क्रोधादय एव प्रत्याख्यानक्रोधादयः । ४१ । ईदृशा इति । प्रत्याख्यानावरणभूता इत्यर्थः । क्रोधादय एवेति पूर्वोक्तस्वरूपाः क्रोधादय एवेत्यर्थः । प्रत्याख्यानक्रोधादय इति प्रत्याख्यानावरणभूताः क्रोधमानमायालोभा इत्यर्थः । लक्षणं प्रयोजनञ्च प्राग्वत् । स्थिती चानन्तानुबन्धिक्रोधवत्, क्रमेणैते वालुकाराजिदारुस्तम्भगोमूत्रिकाखञ्जनरागसदृशाः ॥ સંક્ષેપથી પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ વગેરે ચારના સ્વરૂપનું વર્ણનભાવાર્થ- “આવા ક્રોધ આદિ જ પ્રત્યાખ્યાન ક્રોધ વગેરે.” વિવેચન- આવા પ્રત્યાખ્યાનાવરણભૂત એવો અર્થ સમજવો. “ક્રોધ વગેરે જ' એટલે પૂર્વકથિત સ્વરૂપવાળા ક્રોધ વગેરે જ, એવો અર્થ સમજવો. “પ્રત્યાખ્યાન ક્રોધ વગેરે’ એટલે પ્રત્યાખ્યાનાવરણભૂત ક્રોધ-માન-માયા-લોભ એવો અર્થ છે. લક્ષણ અને પ્રયોજન પૂર્વની માફક સમજવું. અનંતાનુબંધી ક્રોધની માફક બન્ને સ્થિતિ સમજવી. ક્રમથી પ્રત્યાખ્યાન ક્રોધ વગેરે. ૦ પ્રત્યાખ્યાન ક્રોધ-વાલુકા રાજિ-રેખા સરખો છે. જેમ વાલુકામાં કાર્ડ વગેરે હેતુથી ઉત્પન્ન થયેલી રાજિ-રેખા, વાયુની પ્રેરણાદિ સાપેક્ષ સંરોહવાળી અર્થાત્ સંજ્વલન ક્રોધની અપેક્ષાએ તીવ્ર હોવાથી, રેણુ મધ્યમાં રેખા જેમ લાંબા કાળ મટે છે, તેમ આ ક્રોધ લાંબા કાળ મટે છે. પ્રત્યાખ્યાન માન-લાકડાના સ્તંભ સમાન છે. જેમ કોઈપણ સ્તંભ કાષ્ઠ અગ્નિની ગરમી-બાર વગેરે ઘણા ઉપાયોથી કષ્ટથી નમે છે, તેમ માનના ઉદયમાં જીવ પણ કષ્ટથી નમે છે. ૦ પ્રત્યાખ્યાન માયા-ગોમૂત્રિકા સરખી આ માયા છે. ગોમૂત્રિકા એટલે માર્ગમાં ચાલતા બળદની વક્રપણાએ પડેલી મૂત્રધારા “ગોમૂત્રિકા' કહેવાય છે. જેમ આ પવન વગેરેથી સૂકાઈ ગયેલી ગોમૂત્રિકા થોડા કષ્ટથી દૂર થાય છે, તેમ જે કષાયથી પેદા થયેલી કુટિલતા કષ્ટથી દૂર થાય છે. તે ગોમૂત્રિકા સમાન પ્રત્યાખ્યાનાવરણી માયા છે. ૦ પ્રત્યાખ્યાન લોભ-ખંજન રાગ સરખો છે. અર્થાત્ વસ્ત્રમાં લાગેલ દીવા વગેરેના કાજળ (ખંજન) સમાન (હીપત્રિામતઃ વંદનદીવાના કોડીયાના મેલ સરખો) પ્રત્યાખ્યાનાવરણ લોભ કષ્ટથી હટાવી શકાય એવો છે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy