SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ - સૂત્ર-૩૮ ખપાવતો રહે છે. તેને પૂર્વે ક્યારેય પ્રાપ્ત કર્યું ન હોવાથી અપૂર્વકરણ કહેવાય છે. (૧-૨). તેનાથી આગળના વિશુદ્ધિસ્થાનોની પ્રાપ્તિ થવાના કારણે(=પાછા ન ફરવાથી) તે સ્થાન અનિવૃત્તિગુણસ્થાન છે, અર્થાત્ આ ગુણસ્થાને એક સમયે ચઢેલા બધા જ જીવોના અધ્યવસાયોની શુદ્ધિમાં નિવૃત્તિ=ારતમતા ન હોય એટલે કે બધાના અધ્યવસાયો સમાન હોય છે. (આથી તેના નામમાં અનિવૃત્તિ શબ્દ જોડવામાં આવ્યો છે.) સંપરાય એટલે કષાય. બાદર કષાયોનો જેમને ઉદય છે તે બાદરસપરાય કહેવાય છે.તે જીવો અનિવૃત્ત છે અને બાદરભંપરાયવાળા છે, તેથી અનિવૃત્તબાદરસપરાય કહેવાય છે. અનિવૃત્તબાદરગંપરાય જીવો ઉપશમ અને ક્ષપક એમ બે પ્રકારે છે તેમને ધર્મધ્યાન હોય છે. આ ગુણસ્થાને ઉપશમ અને ક્ષપક બંને હોવાથી તેમને ધર્મધ્યાન હોય છે એમ સામાન્યથી કહ્યું છે. ધર્મધ્યાન અગિયાર અંગ જાણનારાને હોય છે એમ જાણવું. (૯-૩૮) भाष्यावतरणिका- किञ्चान्यत्ભાષ્યાવતરણિકાર્થ– વળી બીજું– टीकावतरणिका- उपशान्तक्षीणकषाययोश्चेत्युक्तमविशेषेण धर्मध्यानं, तच्चैकादशाङ्गविदो द्रष्टव्यं, एवमवस्थिते किं धर्ममेव ध्यानं तयोः ?, नेत्युच्यते, किञ्चान्यदिति सम्बध्नाति, न केवलमेतयोर्धर्म्य, शुक्लं च ध्यानमुपशान्तक्षीणकषाययोर्भवति, किं चतुर्विधमपि पृथक्त्ववितर्कसविचारं एकत्ववितर्कमविचारं सूक्ष्मक्रियमप्रतिपाति व्युपरतक्रियमनिवर्तीति, उच्यते, न खलु चतुष्प्रकारमपि तयोः शुक्लध्यानं મતિ, તિર્દિ ? ટીકાવતરણિતાર્થ–પ્રશ્ન–આનાથી એ નિશ્ચિત થયું કે ઉપશમક અને ક્ષપકને ધર્મધ્યાન જ હોય છે એ બરોબર છે? ઉત્તર– એ બરોબર નથી, માટે ભાષ્યકાર “વળી બીજું એમ કહીને આગળના સૂત્રની સાથે સંબંધ કરે છે(=જોડે છે.)
SR No.022493
Book TitleTattvarthadhigam Sutram Part 09
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy