SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ સૂત્ર-૧૭ સંલેખનાનો ઉત્કૃષ્ટ કાળ બાર વર્ષ છે. (તનુ=) આટલા કાળ સુધી સંલેખના ન થઈ શકે તો છેવટે સ્વશક્તિની અપેક્ષાએ માસ-અર્ધમાસ જેટલો સંલેખનાકાળ જાણવો. સમાધિમરણ માટે અંતે સંલેખના સાધુએ અને ગૃહસ્થ અવશ્ય કરવી જોઈએ. ગોષિતા પ્રયોગમાં તેનો સ્વભાવ એ અર્થમાં તૂન પ્રત્યય થયો છે. જોષિતા એટલે સેવનાર=કરનાર. આ જ અર્થને ભાષ્યથી “સિંહની રૂત્યાદ્રિ થી સ્પષ્ટ કરે છે. કાળદોષ– દુખમા કાળમાં(=પાંચમાં આરામાં) ઘણા વર્ષો સુધી સાધુધર્મના કે ગૃહસ્થ ધર્મના અનુષ્ઠાન કરવાનું દુઃશક્યતઃકઠીન) છે. સંહાનદુર્બલતાદોષ–સંહનન વજઋષભનારાચ વગેરે છ પ્રકારે છે. સંહનનની દુર્બલતા એટલે હીન થતું સંહનન. ઉપસર્ગદોષ ઉપસર્ગો દેવ-મનુષ્ય-તિર્યંચકૃત અને આત્મસમુત્ય છે. ધર્માવશ્યકપરિહાનિ- ધર્મ (ક્ષમાદિ) દશ પ્રકારે છે. ધર્મ સંબંધી અવશ્ય કર્તવ્યો તે ધર્માવશ્યકો. સાધુના પડિલેહણા વગેરે ધર્માવશ્યકો છે. ગૃહસ્થના પણ ચૈત્યવંદન-વૈયાવૃજ્ય-પૌષધ સ્વીકાર વગેરે ધર્માવશ્યકો છે. તેમની પરિહાનિ=વિનાશ. કાળાદિના દોષથી ધર્માવશ્યકોની પરિહાનીને જાણીને અથવા કાળાદિ દોષ વિના મરણને નજીકમાં જાણીને આ કરવું જોઇએ. એમ કહે છેનવમૌર્ય રૂત્યાતિ અવમ એટલે ન્યૂન. ન્યૂન ઉદર તે અવમોદર. તેનો ભાવ અવમૌદર્ય(=ઊણોદરી). મુખને વિકૃત કર્યા વિના કુકડીના ઇંડાના માનથી પુરુષનો બત્રીસ કોળિયા અને સ્ત્રીનો અઠ્ઠાવીસ કોળિયા આહાર હોય તેનાથી કંઈક ન્યૂન આહાર વગેરે ભેદથી આગમમાં અવમૌદર્યને(=ઊણોદરીને) અનેક પ્રકારનું કહ્યું છે. ચતુર્થભક્ત વગેરેની ભાવના (પૂર્વે પૌષધોપવાસ વ્રતમાં) કહી છે. આદિ શબ્દના ગ્રહણથી અર્ધમા ખમણ આદિનું ગ્રહણ કરવું.
SR No.022491
Book TitleTattvarthadhigam Sutram Part 07
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy