SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ભાયાવતાર છીએ ત્યારે હૃદયમાં સાશ્ચર્ય આનંદ થવા સાથે જૈન તત્ત્વચિંતક મહર્ષિ પ્રત્યે બહુમાન થયા વિના રહેતું નથી. અને તત્ત્વચિંતન-મનનરૂપ તેઓની જ્ઞાનોપાસનાની મુક્ત કંઠે પ્રશંસા કરવા મન લલચાય છે. જૈન સાહિત્યમાં જ્ઞાનનિરૂપણની બે પદ્ધતિ નજરે પડે છે. પહેલી આગમિક અને બીજી તાર્કિક. આગમિક પદ્ધતિમાં મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવલ એ રીતે જ્ઞાનના પાંચ ભેદો પાડી સમગ્ર જ્ઞાનવૃત્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. તાર્કિક પદ્ધતિના બે પ્રકારો વર્ણવેલા છે. (૧) પહેલો પ્રકાર પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે ભેદનો; અને (૨) બીજો પ્રકાર પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એ ચાર ભેદનો છે. પહેલી પદ્ધતિને આગમિક કહેવાનાં મુખ્ય બે કારણો છે: (મ) કોઈ પણ જૈનેતર દર્શનમાં નહિ વપરાએલા એવા મતિ, કૃત, અવધિ આદિ જ્ઞાનવિશેષવાચી નામો વડે જ્ઞાનનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે; અને, (૬) જૈનથુતના ખાસ વિભાગ રૂપ કર્મશાસ્ત્રમાં કર્મપ્રકૃતિઓનું જે વર્ગીકરણ છે તેમાં જ્ઞાનાવરણીયકર્મના વિભાગ તરીકે મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યાયજ્ઞાનાવરણ, કેવલજ્ઞાનાવરણ (નહિ કે પ્રત્યક્ષાવરણ, પરીક્ષાવરણ, અનુમાનાવરણ, ઉપમાનાવરણ આદિ) એવા શબ્દો યોજાએલા છે તે. બીજી પદ્ધતિને તાર્કિક કહેવામાં પણ મુખ્ય બે કારણ છે: (૪) તેમાં યોજાએલ પ્રત્યક્ષ, પરોક્ષ, અનુમાન, ઉપમાન આદિ શબ્દો ન્યાય, બૌદ્ધ આદિ જૈનેતર દર્શનોમાં પણ સાધારણ છે તે; અને, (૨) પ્રત્યક્ષ, પરોક્ષ આદિપે સમગ્ર જ્ઞાનવૃત્તિનું પૃથકકરણ કરવામાં તર્કદષ્ટિ પ્રધાન છે તે. ગણધર શ્રી સુધર્મ પ્રણીત મૂળ આગમોથી માંડીને ઉપાધ્યાય યશોવિજયજીની કૃતિ સુધીનાં જ્ઞાનનિરૂપણ વિષયક સમગ્ર શ્વેતાંબર-દિગંબર વાડ્મય (માત્ર કર્મશાસ્ત્ર બાદ કરીને) આગમિક અને તાર્કિક બને પદ્ધતિઓનો સ્વીકાર કરાએલો છે. એ બેમાં આગમિક પદ્ધતિ જ પ્રાચીન હોય તેમ લાગે છે. કારણ કે જૈન તત્વચિંતનની ખાસ વિશિષ્ટતા અને
SR No.022467
Book TitleNyayavatar Sutra
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghvi
PublisherShardaben Chimanbhai Educational Research Institute
Publication Year1995
Total Pages58
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy