SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત ચેઈયાણં સૂત્ર પંજિકાર્ચ - નનુ ક્ષાવિછૂ .... પ્રેક્ષવરાતિઃ | ક્યારેક શ્રદ્ધા આદિ વિકલ પ્રેક્ષાવાત પણ આ રીતે બોલતા દેખાય છે, એ પ્રકારની આશંકા કરીને કહે છે – સત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, મંદ= મૃદુ, તીવ્ર=પ્રકૃષ્ટ, આદિ શબ્દથી તદ્દ ઉભય મધ્યવર્તી-મંદ અને તીવ્ર બંનેના મધ્યવર્તી, મધ્યમ તે જ= મંદ–તીવ્ર અને મધ્યમ જ, ભેદો છે જેઓને=વિશેષ છે જેઓને, તે તેવા છે=મંદ-તીવ્ર આદિ ભેટવાળા છે, ૪ સમુચ્ચયમાં છે, આ=શ્રદ્ધાદિ, કેવા વિશિષ્ટ છે ?=મંદ-તીવ્ર આદિ ભેટવાળા શ્રદ્ધાદિ કેવા વિશિષ્ટ છે? એને કહે છે – તે પ્રકારે જે આદર આદિ વસ્થમાણ છે તે જ લિંગ=ગમક છે જેઓનું તે તેવા છેઆદર આદિ લિંગવાળા છે, રૂત્તિ શબ્દ વાક્યની સમાપ્તિ માટે છે, કેવી રીતે આમનું તે પ્રકારના આદર આદિનું લિંગપણું સિદ્ધ છે, એથી કહે છે – જે કારણથી અતદ્વાન–અશ્રદ્ધાદિવાળાને, વચમાણ જ એવા આદર આદિ નથી જ, આથી શ્રદ્ધાદિનું કારણ પણું હોવાથી શ્રદ્ધાદિનું આદર આદિમાં કારણ પણું હોવાથી, લિંગ છે, તેનાથી શું સિદ્ધ છે? એથી કહે છે=મંદ-તીવ્ર આદિ ભેદવાળાં તે પ્રકારનાં આદર આદિ લિંગો છે એમ પૂર્વમાં કહ્યું તેનાથી શું સિદ્ધ છે? એથી કહે છે – આથી= શ્રદ્ધાદિનું કારણ પણું હોવાથી, ત્યાં કાયોત્સર્ગમાં, આદર આદિના ભાવમાં=આદર આદિ લિંગની સત્તામાં, અનાભોગવાળાને પણ ચલચિતપણાને કારણે પ્રકૃતિ સ્થાન-વણદિના ઉપયોગના વિરહમાં પણ, શું વળી, આભોગમાં માનસ ઉપયોગમાં, એ ગરિ શબ્દનો અર્થ છે, આ=શ્રદ્ધાદિ છે. કેમ કાયોત્સર્ગમાં આદર આદિવાળા જીવોને અનાભોગમાં પણ આ શ્રદ્ધાદિ છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે – કોઈક કારણનું કાર્યની સાથે અવિનાભાવિપણું હોવાથી અનાભોગવાળાને પણ આ શ્રદ્ધાદિ છે એમ અવય છે, જે પ્રમાણે પ્રદીપનું પ્રકાશરૂપ કાર્ય સાથે અવિનાભાવિપણું છે અથવા વૃક્ષનું છાયા સાથે અવિનાભાવિપણું છે તેમ આદર આદિનું શ્રદ્ધા આદિ કાર્યની સાથે અવિતાભાવિપણું છે એમ અવય છે, તિ શબ્દ વાક્યની સમાપ્તિમાં છે, આથી=વીતરાગ પ્રત્યે આદર આદિ ભાવવાળા જીવો શ્રદ્ધાદિવાળા છે આથી, મંદપણાને કારણે શ્રદ્ધાદિના અનુપલક્ષણમાં પણ ચૈત્યવંદનકાળમાં શ્રદ્ધાદિ છે તે નહિ જણાતા હોવા છતાં પણ, આદર આદિના ભાવમાં=વીતરાગ પ્રત્યે બહુમાન આદિના ભાવમાં, સૂત્રને ઉચ્ચાર કરતાને પણ પ્રેક્ષાવાતપણાની ક્ષતિ નથી=પોતાના વીતરાગ પ્રત્યેના આદર આદિ ભાવોને અનુરૂપ પ્રસ્તુત કાયોત્સર્ગની ક્રિયા છે એ પ્રકારનો કંઈક બોધ હોવાથી તેઓમાં પ્રેક્ષાવાનપણું નથી તેમ કહી શકાય નહિ. ભાવાર્થ: પૂર્વમાં કહ્યું કે વધતી જતી શ્રદ્ધાથી હું કાઉસ્સગ્ન કરું છું, ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે જેઓને વિતરાગતા જ જીવની સુંદર અવસ્થા છે તેવી શ્રદ્ધા નથી તેના કારણે તેઓની મેધા પણ વીતરાગતાના પારમાર્થિક સ્વરૂપને જોવા માટે લેશ પણ પ્રવર્તતી નથી, પરંતુ બાહ્ય પદાર્થો મને કયા અનુકૂળ છે અને કયા
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy