SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત ચેઈયાણ સૂત્ર કહે છે=ભાવસ્તવનું અકારણ એવું દ્રવ્યસ્તવ કયા કારણથી અનાદરણીય છે? એથી કહે છે – તેનું= અપ્રધાન દ્રવ્યસ્તવનું, શું વળી, ઈતરોમાં ?=ભવ્યોમાં, અભવ્યોમાં પણ સત્વ હોવાથી નિરર્થક છે, અને તેનાથી અપ્રધાન દ્રવ્યસ્તવથી, કોઈ પ્રકૃત સિદ્ધિ નથી=નિર્લેપચિતરૂપ પ્રકૃત સિદ્ધિ નથી, આથી=અન્યતા અપ્રાધાન્યરૂપ હેતુથી=ભાવસ્તવના અકારણ એવા દ્રવ્યસ્તવના અપ્રાધાન્યરૂપ હેતુથી, આજ્ઞા વડે=આત ઉપદેશ વડે અસદ્ આરંભની નિવૃત્તિરૂપ જ આ શાસ્ત્રવિહિત દ્રવ્યસ્તવ થાય=પૂર્વમાં કહેલા સ્વરૂપવાળા ભોગમાં સંશ્લેષની પરિણતિરૂપ અસ આરંભથી ઉપરમરૂપવાળો જ આ શાસ્ત્રવિહિત દ્રવ્યસ્તવ થાય અથવા તેની અર્થાત્ અસ૬ આરંભની, જે નિવૃત્તિ તદ્રુપ જ શાસ્ત્રવિહિત દ્રવ્યસ્તવ થાય. પરંતુ બહુલોકપ્રસિદ્ધ અન્ય નહિ અર્થાત માત્ર પુષ્પાદિથી ભગવાનના અર્ચનરૂપ લોકમાં પ્રસિદ્ધ એવો દ્રવ્યસ્તવ નહિ. ગાદથી શંકા કરે છે – કેમ આ=શ્રાવકથી કરાયેલ પૂજન-સત્કાર, ભાવસ્તવ નથી ? અર્થાત ભાવસ્તવ જ છે; કેમ કે ઔચિત્ય પ્રવૃતિરૂપપણું છે=વીતરાગતાને સ્પર્શનાર પરિણતિને અનુકૂળ વ્યાપારરૂપપણું છે, સાધુધર્મની જેમ=જેમ સાધુધર્મ વીતરાગતાની પરિણતિને સ્પર્શે છે તેમ શ્રાવકના પૂજન-સત્કાર વીતરાગતાની પરિણતિને સ્પર્શતાર છે, માટે ભાવાસ્તવ છે, એ પ્રકારની આશંકા કરીને કહે છે – ઔચિત્ય પ્રવૃતિરૂપપણું હોવા છતાં પણ=શ્રાવકની અવસ્થાયોગ્ય વ્યાપારનું સ્વભાવપણું હોવા છતાં પણ=શ્રાવકની અવસ્થાયોગ્ય વીતરાગતાને અનુકૂળ એવા વ્યાપારવાળો સ્વભાવ હોવા છતાં પણ, અલ્પપણું હોવાથી તુચ્છ શુભપરિણામપણું હોવાથી=સાધુના નિર્લેપ પરિણામના સ્પર્શની અપેક્ષાએ અલ્પમાત્રાના નિર્લેપ પરિણામનો સ્પર્શ હોવાથી, પૂજા-સત્કાર દ્રવ્યસ્તવ છે, શું વળી, તેના અભાવમાં શ્રાવક અવસ્થાયોગ્ય વ્યાપારના અભાવમાં, એ ગોરિયપ્રવૃત્તિરૂપવૅપિમાં રહેલા શબ્દનો અર્થ છે, આ રીતે દ્રવ્યસ્તવમાં શ્રાવકને અલ્પ શુભ ભાવ છે એ રીતે, તો અલ્પભાવપણું હોવાથી જ ગૃહસ્થોનો આ=પૂજા-સત્કારરૂપ દ્રવ્યસ્તવ, અકિંચિત્કર છે એ પ્રકારની આશંકા કરીને કહે છે – અને આ દ્રવ્યસ્તવ, કૂવાના દષ્ટાંતથી=અવટના દષ્ટાંતથી, ગુણ માટે છે=ઉપકાર માટે છે અર્થાત્ નિર્જરાતી પ્રાપ્તિ દ્વારા કલ્યાણની પરંપરાનું કારણ છે, અને અહીં દ્રવ્યસ્તવ ગુણ માટે છે એમાં, આ રીતે આગળ બતાવે છે એ રીતે, સાધનનો પ્રયોગ છે=અનુમાનનો પ્રયોગ છે, અધિકારીને કંઈક સદોષ પણ પૂજાદિ ગુણકર છે=પૂજાના અધિકારી એવા ગુણસંપન્ન શ્રાવકને કંઈક ઉપયોગની અલવાથી સદોષ પણ પૂજાદિ નિર્જરા કરનાર છે; કેમ કે વિશિષ્ટ શુભભાવતું હતુપણું છે=વીતરાગતાતા ગુણને સ્પર્શે તેવા શુભભાવતું હતુપણું છે, જે જે વિશિષ્ટ શુભભાવનું હેતુભૂત છે તે ગુણકર જોવાયું છે, જે પ્રમાણે કૂવાની ખનન ક્રિયા અને વિશિષ્ટ શુભભાવનો હેતુ થતાથી પૂજાદિ છે, તેથી ગુણકર છે, હૃત્તિ શબ્દ અનુમાન પ્રયોગની સમાપ્તિમાં છે, ફૂપખાન પક્ષમાં શુભભાવ તૃષા આદિના વ્યદાસથી આનંદ આદિની પ્રાપ્તિ છે, આ કહેવાયેલું થાય છે – જે પ્રમાણે કૂવાનું ખનન શ્રમ-તૃષા-કાદવનો ઉપલેપ આદિ દોષથી દુષ્ટ પણ જલની ઉત્પત્તિમાં અનંતર કહેવાયેલા દોષોને દૂર કરીને સ્વઉપકાર માટે અને પરઉપકાર માટે યથાકાલ થાય છે કૂવાના અસ્તિત્વ કાળ સુધી થાય છે, એ રીતે પૂજાદિક
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy