SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ લલિતવિસ્તરા ભાગ-૩ અાયોજન છે? અને કહેલ કે આનો ઉપન્યાસ અપ્રયોજન છે એ પણ ઉચિત નથી અને સપ્રયોજન છે એમ કહેવું પણ ઉચિત નથી તેના નિરાકરણ માટે કહે છે – વળી, અાયોજન-સપ્રયોજનની વિચારણામાં ઉપવાસ વાચ્ય છે; કેમ કે ભગવાનનું સ્તવરૂપપણું છે=ભગવાન અપ્રસન્ન છે અને તેને પ્રસન્ન કરવા છે માટે આ સ્તુતિ નથી તેથી તે અપેક્ષાએ અDયોજનવાળી છે અને સ્તુતિ દ્વારા નિર્જરાની પ્રાપ્તિ કરવી એ અપેક્ષાએ સપ્રયોજન છે એ પ્રકારની વિચારણામાં ભગવાન પ્રસાદપર થાવ એ ઉપવાસ વ્યાપ્ય છે; કેમ કે ભગવાનનું સવરૂપપણું હોવાથી નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ છે, અને કહેવાયું છે=ભગવાનનું સ્તવ ભગવાનને પ્રસન્ન કરવાના પ્રયોજનવાળું નથી પરંતુ પોતાના નિર્જરારૂપ પ્રયોજનવાળું છે, એ પ્રમાણે અન્ય ગ્રંથોમાં કહેવાયું છે – ક્ષીણ ક્લેશવાળા આeતીર્થકરો, પ્રસન્ન થતા નથી જ, સ્તવ પણ વૃથા નથી, તેમના સ્તવથી ભાવની વિશુદ્ધિને કારણે કર્મનો વિગમ પ્રયોજન છે. ll૧TI પરમ ગુણના ઉત્કર્ષરૂપથી આ ભગવાન સ્તુત્ય પણ છે, જે કારણથી, મંત્રાદિના જપાદિથી અચેતન પાસેથી પણ સિદ્ધિ જોવાયેલી છે. શા વળી, જે સ્તુતિ કરાયેલો પ્રસન્ન થાય છે, તે નિંદામાં અવશ્ય રોષને પામે છે, સર્વત્ર અસમચિત્તવાળા એવા તે કેવી રીતે મુખ્ય સ્તુત્ય થાય ?=ગુણરૂપે સ્તુત્ય થાય નહિ, તુચ્છરૂપે અસમયિતવાળા સ્તુત્ય થાય. Il3II જે પ્રમાણે ઠંડીથી પિડાયેલા જીવોમાં વનિ દ્વેષને પામતો નથી અથવા રાગને ધારણ કરતો નથી, તોપણ તેને આશ્રિત જીવો સ્વ-ઈષ્ટને પ્રાપ્ત કરે છે. ll તેની જેમ જે લોકો ત્રિભુવનના ભાવોના પ્રકાશક એવા તીર્થકરોને ભક્તિથી આશ્રિત છે, તેઓ ભવશીતને દૂર કરીને=ભવની પીડાને દૂર કરીને, મોક્ષને પામે છે. આપણા આ કહેવાયેલું થાય છે પ્રસ્તુત ઉદ્ધરણની ગાથાથી આ કહેવાયેલું થાય છે – જો કે તેત્રતીર્થકરો, રાગાદિથી રહિતપણું હોવાથી પ્રસન્ન થતા નથી, તોપણ અચિંત્ય ચિંતામણિ જેવા તેઓને ઉદ્દેશીને અંતઃકરણની શુદ્ધિથી સ્તુતિ કરનારાઓને તપૂર્વક જ=સ્તુતિપૂર્વક જ, અભિલષિત ફલની પ્રાપ્તિ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. પI ભાવાર્થ ગાથામાં કહ્યું કે ચોવીશે પણ જિનેશ્વરો મારા ઉપર પ્રસન્ન થાવ એ કથન સ્કૂલથી જોનારને પ્રાર્થના દેખાય છે, તેથી કહે છે કે આ પ્રાર્થના છે કે નથી, એમ બે વિકલ્પો થઈ શકે અને જો પ્રાર્થના છે તેમ સ્વીકારીએ તો આ વચન સુંદર નથી; કેમ કે ભગવાન પોતાની ઉપર પ્રસન્ન થાવ એ પ્રકારની આશંસારૂપ છે અને ભગવાન પોતાના પ્રત્યે અપ્રસન્ન છે, માટે પ્રસન્ન થાવ એમ પ્રાર્થના કરવી ઉચિત નથી, વળી, આ પ્રાર્થના નથી એમ કહેવામાં આવે તો કયા પ્રયોજનથી તેનો ઉપન્યાસ છે એમ પ્રશ્ન થાય અને પ્રયોજન
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy