SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસ્સ સૂત્ર धर्मप्रधानं वा तीर्थं धर्मतीर्थं, तत्करणशीला धर्मतीर्थकरास्तान्, तथा रागादिजेतारो जिनास्तान्, तथाऽशोकाद्यष्टमहाप्रातिहार्यादिरूपां पूजामर्हन्तीत्यर्हन्तस्तानर्हतः। 'कीर्तयिष्यामि' इति स्वनामभिः स्तोष्ये इत्यर्थः, 'चतुर्विंशतिमिति संख्या, 'अपि'शब्दो भावतस्तदन्य- . समुच्चयार्थः, केवलज्ञानमेषां विद्यत इति केवलिनस्तान केवलिनः। લલિતવિસ્તરાર્થઃ આની વ્યાખ્યા=પહેલી ગાથાની વ્યાખ્યા – લોકના ઉધોતને કરનારા એ પ્રકારના કથનમાં વિજ્ઞાન અદ્વૈતના સુદાસથી=વિજ્ઞાન અદ્વૈત મતના નિરાસથી, ઉધોત્ય અને ઉદ્યોતકના ભેદને દેખાડવા માટે ભેદથી ઉપન્યાસ છેઃલોકના ઉધોતને કરનારા એ પ્રકારે ષષ્ઠી વિભક્તિ દ્વારા ભેદથી ઉપવાસ છે, લોક શબ્દની વ્યુત્પત્તિ કહે છે – તવચ=જ્ઞાનનો વિષય થાય છે એ લોક, તોયતે–પ્રમાણથી દેખાય છે એ પ્રકારનો ભાવ છે-કેવલજ્ઞાનના પ્રમાણથી અથવા શ્રુતજ્ઞાનના પ્રમાણથી દેખાય છે તે લોક, અને આ=જ્ઞાનના વિષયભૂત લોક, અહીં પ્રસ્તુત સૂત્રમાં, પંચાતિકાયાત્મક ગ્રહણ કરાય છે, તે લોકના શું ? એથી કહે છે – ઉધોત કરવાના સ્વભાવવાળા ઉધોતકર છે, તેઓનું હું કીર્તન કરીશ એમ સંબંધ છે, તેનો અર્થ સ્પષ્ટ કરે છે – કેવલજ્ઞાનરૂપી પ્રકાશથી અથવા તપૂર્વક વચનરૂપ દીપથી-કેવલજ્ઞાનપૂર્વક વચનરૂપ દીપકથી, સર્વ લોકના પ્રકાશને કરવાવાળાનું હું કીર્તન કરીશ એમ સંબંધ છે. અને દુર્ગતિમાં પડતા આત્માને ધારણ કરે એ ધર્મ=દુર્ગતિમાં પડતા સંસારી જીવને બચાવે તેવો જીવનો પોતાનો પરિણામ એ ધર્મ છે, અને કહેવાયું છે – જે કારણથી દુર્ગતિમાં સરકતા જીવોને ધારણ કરે છે તેથી અને એઓને દુર્ગતિમાં પડતા જીવોને, શુભ સ્થાનમાં સ્થાપન કરે છે તે કારણથી ધર્મ એ પ્રમાણે કહેવાયું છે. ઈત્યાદિ=ઈત્યાદિથી અન્ય તેવાં વચનોનું ગ્રહણ છે. અને આના દ્વારા કરાય છે એ તીર્થ છે, ધર્મ જ તીર્થ છે, અથવા ધર્મ પ્રધાન તીર્થ છે એ ધર્મતીર્થ છે તેના કરવાના સ્વભાવવાળા ધર્મતીર્થને કરનારા એવા તેઓનું હું કીર્તન કરીશ એમ અન્વય છે. અને રાગાદિને જીતનારા જિન છે, તેઓનું હું કીર્તન કરીશ. અને અશોકવૃક્ષ આદિ અષ્ટ મહાપ્રાતિહાર્યરૂપ પૂજાને યોગ્ય છે તે અરિહંતો, તેઓનું હું કીર્તન કરીશ=સ્વનામો વડે સ્તુતિ કરીશ એ પ્રકારનો અર્થ છે, સંખ્યા ચોવીશ છે, ગપ શબ્દ ભાવથી તેનાથી અન્યના સમુચ્ચય અર્થવાળો છે=ભરત ક્ષેત્રના ચોવીશ તીર્થકરોથી અન્ય ક્ષેત્રના તીર્થકરોના સમુચ્ચય અર્થવાળો છે. કેવલજ્ઞાન આમને વિધમાન છે એ કેવલીઓ તેઓનું કેવલીઓનું હું કીર્તન કરીશ એમ અન્વય છે.
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy