SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૬) આ રીતે સર્વજ્ઞમાં પ્રત્યક્ષ–અનુમાન–ઉપમાનઆગમ અને અર્થોપત્તિરૂપ પ્રમાણપંચક વ્યતિકાન્તત્વનું ખંડન કરવા દ્વારા સર્વજ્ઞ પાંચે પ્રમાણથી ગમ્ય છે તે સિદ્ધ કર્યું. હવે પૂર્વપક્ષીએ તેરમા કલેકમાં-બvમાનવસ્ત્રાવૃત્તત્રામવા માનતા' એ વચનથી પ્રમાણપંચના વિરહથી સર્વજ્ઞના વિષયમાં અભાવને સ્વીકાર કરે એ જ પ્રમાણ છે એમ જે જણાવ્યું તેનું ખંડન કરતાં કહે છે–વિકલ્પને ન સહન કરવાથી તમે જે કહ્યું તે અયુક્ત છે. પ્રમાણપંચકના વ્યતિરેકથી સર્વસને અભાવરૂપે માનવામાં આ પ્રમાણે ત્રણ વિકલ્પ થાય છે. (૧) શું સર્વજ્ઞ પ્રમાણપંચકના વિરહથી અભાવરૂપ જ છે. (૨) અથવા જ્ઞાનવિનિમુક્ત આત્મસ્વરૂપ છે. (૩) અથવા અન્ય ઉપલબ્ધિ-પ્રાસિરૂપ છે. તેમાં પ્રથમ અભાવરૂપ નથી. જે સર્વજ્ઞ અભાવરૂપ જ હોય તે આકાશકુસુમની સૌરભની જેમ તેમાં અનિર્વચનીયતા પ્રાપ્ત થાય અને તેથી તેમાં સર્વજ્ઞાભાવપરિચ્છેદપણાની અસિદ્ધિ થાય. (૪૭) ભાવપરિચ્છેદપણું અભાવનું ત્યારે જ ઘટી શકે જ્યારે પરિચછેદકત્વ અભાવને ધર્મ હાય પણ તેમ નથી, પરિચછેદકત્વ જ્ઞાનને ધર્મગુણ છે, અભાવને નહીં. શંકા-ભલે અભાવમાં પરિચ્છેદકત્વ ન હોય પરંતુ અભાવ પરિચ્છેદકજ્ઞાનજનકપણું હોવાથી સર્વજ્ઞાભાવપ્રમાપકપણું તેમાં ઘટી શકશે. સમાધાન–અભાવત્વના વિધથી અભાવમાં અભાવપરિ. છેદકજ્ઞાનજનકત્વને અભાવ છે. અભાવત્વ અને તાદશજ્ઞાનજનકત્વ બને પરસ્પર વિરોધી ધર્મ હોવાથી બનેલું એક
SR No.022454
Book TitleSarvagna Siddhi
Original Sutra AuthorN/A
AuthorVijayamrutsuri
PublisherJain Sahityavardhak Sabha
Publication Year1964
Total Pages244
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy