SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ [ અધ્યાત્મ અનુયોગ સહિત “તે ધર્માસ્તિકાયાદિકમાંહિ અપેક્ષાŪ અશુદ્ધ પર્યાય પણિ હોઈ. નહીં તો, પરમાણુપર્યંતવિશ્રામઈ પુદ્ગલદ્રવ્યઈં પણિ ન હોઈ” - એહવઇ અભિપ્રાયઈ કહઈ છઈ – ૪૨૪ જિમ આકૃતિ ધર્માદિકની†, વ્યંજન છઈ શુદ્ધ; લોક દ્રવ્ય સંયોગથી, તિમ જાણિ અશુદ્ધ ॥૧૪/૧૦ના (૨૩૬) શ્રી જિન. જિમ (ધર્માદિકની=) ધર્માસ્તિકાયાદિકની આકૃતિ લોકાકાશમાનસંસ્થાનેંરૂપ શુદ્ધદ્રવ્ય વ્યંજનપર્યાય (છઈ+) કહિઈં, પરનિરપેક્ષપણા માટઈ. તિમ લોકવૃત્તિ દ્રવ્ય સંયોગરૂપ અશુદ્ધ દ્રવ્યવ્યંજન પર્યાય પણિ કહતાં તેહનો પરાપેક્ષપણઈં અનેકાંતવિરોધ નથી. ૧૪/૧૦ परामर्श: ress कृतिर्धर्माः शुद्धो व्यञ्जनपर्ययः कथ्यते । लोकद्रव्ययोगतः तथा ज्ञेयोऽशुद्धपर्ययः । । १४/१० ।। ધર્માસ્તિકાયમાં શુદ્ધ-અશુદ્ધવ્યંજનપર્યાય શ્લોકાર્થ :- જેમ ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યની આકૃતિ શુદ્ધ (દ્રવ્ય)વ્યંજનપર્યાય કહેવાય છે, તેમ લોકમાં રહેલ (જીવાદિ) દ્રવ્યના સંયોગની અપેક્ષાએ ધર્માસ્તિકાય વગેરેમાં અશુદ્ધ (દ્રવ્યવ્યંજન)પર્યાય ૨ જાણવા. (૧૪/૧૦) ધર્મદ્રવ્યનો ઉપદેશ આધ્યાત્મિક ઉપનય :- આપણા નિમિત્તે ધર્માસ્તિકાય દ્રવ્યમાં અશુદ્ધ વ્યંજનપર્યાય ઉત્પન્ન થવા છતાં ધર્માસ્તિકાય દ્રવ્ય જેમ અસંગ અને અલિપ્ત રહે છે, તેમ કર્મદ્રવ્યના નિમિત્તે શરીરનું રૂપ કે લાવણ્ય વગેરે ઘટે કે વધે તથા માંદગી, બદનામી, દુર્ભાગ્ય, દરિદ્રતા, અનાદેયતા વગેરે અશુદ્ધ પર્યાયો ઉત્પન્ન ર થાય તો પણ આપણે ધર્માસ્તિકાય દ્રવ્યની જેમ અસંગ અને અલિપ્ત રહેવું જોઈએ. આવી અસંગતા અને અલિપ્તતા લાવવા માટે જ્ઞાનસારના એક શ્લોકની વિભાવના કરવી. ત્યાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે ‘શરીરનું રૂપ, લાવણ્ય, ગામ, બગીચો, ધન (પુત્ર-પૌત્ર...) આદિ પરપર્યાયોથી ચિદાનંદધન ટો. એવા આત્માને અભિમાન શું હોય ? આની ઊંડી વિચારણા દ્વારા શરીરાદિથી અસંગતા અને અલિપ્તતા . કેળવવી. તેના બળથી સૌપ્રથમ આપણો ઉપયોગ રાગ-દ્વેષાદિથી અસંગ બને છે. તથા ત્યાર બાદ આપણી પરિણતિ રાગ-દ્વેષ આદિથી અસંગ બને છે. આપણા ઉપયોગને અને પરિણતિને અસંગ બનાવીએ તથા ‘જ્ઞાનામૃતસાગરસ્વરૂપ પ્રપંચશૂન્ય શુદ્ધ આત્મજ્યોતિમાં જેને મગ્નતા પ્રગટી છે, તેવા સાધકને * પુસ્તકોમાં ‘ધર્માદિની' પાઠ. કો.(૪)નો પાઠ લીધો છે. ૐ શાં.માં ‘સંયોયથી' પાઠ. શુદ્ધ દ્રવ્ય જિમ ભા ♦ પુસ્તકોમાં ‘...નસ્તય...' અશુદ્ધ પાઠ છે. ૧૦માં ‘સંસ્થાનમય’ પાઠ. કો.(૯)+સિ. +કો.(૧૨)+આ.(૧)નો પાઠ લીધો છે.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy