SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ [ અધ્યાત્મ અનુયોગ સહિત આર્ત-રૌદ્ર ધ્યાન આદિમાં અટવાય છે. આ વાતને લક્ષમાં રાખી વ્યવહારનય કહે છે કે :- એક જ આત્મામાં સાત્ત્વિક, રાજસિક, તામસિક અને આધ્યાત્મિક શક્તિ રહેલી છે. (૧) આત્મનિષ્ઠ તામસિક શક્તિનું કાર્ય એટલે નરક ગતિ, રૌદ્ર ધ્યાન આદિ. (૨) જીવગત રાજસિક શક્તિનું કાર્ય એટલે તિર્યંચગતિ, હલકી દેવગતિ, આર્તધ્યાન વગેરે. (૩) આત્મગત સાત્ત્વિક શક્તિનું કાર્ય એટલે ઊંચી દેવગતિ, મનુષ્યગતિ, ધર્મધ્યાન વગેરે. તથા (૪) આત્મવર્તી આધ્યાત્મિક શક્તિનું કાર્ય એટલે શુક્લ ધ્યાન, ક્ષપકશ્રેણિ, સિદ્ધગતિ વગેરે. આપણામાં રહેલી તામસિક અને રાજસિક શક્તિને નિષ્ક્રિય બનાવી સાત્ત્વિક શક્તિને સક્રિય કરી આધ્યાત્મિક શક્તિનું જાગરણ કરવું એ જ તાત્ત્વિક સાધના છે. જ્યારે નિશ્ચયનય કહે છે કે - ચતુર્ગતિભ્રમણ અને મોક્ષગમન આદિ વિવિધ કાર્ય કરવાનો ભવ્ય આત્માનો એક અખંડ સ્વભાવ છે. ક્રમશઃ તથાવિધ અનેક કાર્ય કરવાનો વસ્તુનો સ્વભાવ એક અને અખંડ હોવાથી વસ્તુના પર્યાય ક્રમબદ્ધ છે. તેથી ઉત્પન્ન થનારા પર્યાયોને રોકવાનો કે પર્યાયની ફેરબદલી રએ કરવાનો જીવને પરમાર્થથી કોઈ અધિકાર નથી. જ્યારે જ્યાં જે રીતે જે પર્યાય પ્રગટે તેના અસંગભાવે સાક્ષી બની જવું એ જ નિશ્ચયનયના મતે તાત્ત્વિક જ્ઞાનપુરુષાર્થ છે. ક્રમબદ્ધ ઉત્પન્ન થનારા પર્યાયોમાંથી અમુક પર્યાય પ્રત્યે ગમો અને અમુક પર્યાયો પ્રતિ અણગમો કરવાનો પ્રયાસ વ્યર્થ છે, અનર્થકારી ( છે. પર્યાયોની ક્રમબદ્ધ શૃંખલામાં ફેરફાર થઈ શકતો હોય તો વસ્તુના સ્વભાવની અખંડિતતા ખંડિત થવાની અનિષ્ટ સમસ્યા સર્જાય. આવું જાણતા હોવાથી તીર્થંકર પરમાત્મા છેલ્લા ભવમાં પણ નિકાચિત કર્મોદય, ભવિતવ્યતા આદિથી જન્ય રાજ્યારોહણ, લગ્ન આદિ પ્રવૃત્તિમાં અપેક્ષિત અસંગભાવે જ જોડાય છે. કેવલ કર્મોદયાદિજન્ય તથાવિધ પ્રવૃત્તિમાંથી અને પરિસ્થિતિમાંથી પસાર થવા છતાં પણ શુદ્ધ આત્મતત્ત્વ ઉપર દષ્ટિને રુચિપૂર્વક સ્થાપિત કરી કર્મજન્ય પરિણામ, પ્રવૃત્તિ વગેરેને મિથ્યા સમજી શુદ્ધ નિશ્ચયનયની તો પારમાર્થિક ભૂમિકામાં રહી આત્મરમણતામાં લીન થવાનું લક્ષ્ય તેઓ ચૂકતા નથી. જ શુદ્ધ નિશ્ચયનયનું તાત્પર્ય સમજીએ તો આ રીતે પરમ માધ્યશ્મભાવગર્ભિત તત્ત્વદૃષ્ટિથી પ્રયુક્ત આત્મરમણતા-મગ્નતા-સ્થિરતા-લીનતા -વિલીનતા કેળવી કેવલજ્ઞાન સંપ્રાપ્ત કરવું. પરંતુ ભોગતૃષ્ણાના કાદવમાં ડૂબવું નહિ. પ્રસ્તુતમાં શુદ્ધ નિશ્ચયનયનું તાત્પર્ય આ જ છે. કર્મોદયજન્ય પદાર્થ, પરિસ્થિતિ, પરિણતિક પ્રવૃત્તિ વગેરેની તુચ્છતા, અસારતા, નિરાધારતા, અનિત્યતા, અશુચિતા, આત્મભિન્નતા, કાલ્પનિકતા, નિરર્થકતા આદિને શુદ્ધ નિશ્ચયનયની ભૂમિકામાં રહીને વિચારવાથી બાહ્ય ઝાકઝમાળનું આકર્ષણ મરી પરવારે છે. માટે આવા જીવને મોહરાજાની ભૂલભૂલામણીમાં ફસાવાની કોઈ શક્યતા રહેતી નથી. આ બાબતને ગંભીરપણે સમજી, નિર્દભપણે-પ્રામાણિકપણે વ્યવહારનયના, નિશ્ચયનયના અને શુદ્ધનિશ્ચયનયના તાત્પર્યને સ્વીકારી પોતાની ભૂમિકા મુજબ બાહ્ય-આંતરિક તાત્ત્વિક આત્મસાધનામાં લીન રહેવું. આ અહીં તાત્પર્ય છે. તેના લીધે જંબૂચરિતમાં શ્રીગુણપાલ મુનિએ વર્ણવેલ સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટે છે. ત્યાં સિદ્ધસ્વરૂપ આ મુજબ જણાવેલ છે કે “મોક્ષમાં (૧) અત્યન્ત સુખ છે, (૨) એકાંતે સુખ છે. મોક્ષ (૩) પીડારહિત, (૪) અનુપમ, (૫) પ્રકૃષ્ટ, (૬) અચલ, (૭) રૂપશૂન્ય, (૮) અન્તશૂન્ય, (૯) કલ્યાણસ્વરૂપ, (૧૦) શાશ્વત અને (૧૧) અક્ષયસ્વરૂપ છે.” આ બાબતને ખ્યાલમાં રાખવી. (ર૯)
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy