SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ [ અધ્યાત્મ અનુયોગ સહિત તેહ જ દેખાડઇ છઈ - ઘટ મુકુટ સુવર્ણહ અર્થિઆ, વ્યય ઉત્પત્તિ થિતિ પેખંત રે; નિજરૂપઈ હોવઈ હેમ તે॰, દુઃખ-હર્ષ-ઉપેક્ષાવંત રે ૯/૩૫ (૧૩૬) જિન. એક જ હેમ દ્રવ્યનઈં વિષÛ *જોડીઈ તે* ઘટાકારŪ (વ્યય=) નાશ, મુકટાકારÛ ઉત્પત્તિ અનઈં હેમાકારઈ સ્થિતિ એ ૩ લક્ષણ (પેખંત=) પ્રકટ દીસÙ છઈં. જે માટઈં હેમઘટ ભાંજી હેમમુકુટ થાઈં છઈં, તિવારઈ હેમઘટાર્થી દુખવંત થાઈ. તે માટઈં ઘટાકારઈ હેમવ્યય સત્ય છઈં. જે માટઈં હેમમુકુટાર્થી હર્ષવંત થાઈ છઈ. તે માટઈ હેમઉત્પત્તિ મુકુટાકારઈં સત્ય છઈ. જે માટઈં હેમમાત્ર(= સુવર્ણહ)અર્થી તે કાલઈ (ઉપેક્ષાવંત=) ન સુખવંત, ન દુઃખવંત થાઈ છઈ. નિજરૂપઈ સ્થિતપરિણામઈં (તે હેમ હોવઈ =) રહઇ છઈં. તે માટઈં હેમસામાન્યસ્થિતિ સત્ય છઇ. ઈમ સર્વત્ર ઉત્પાદ-વ્યય-સ્થિતિ પર્યાય દ્રવ્યરૂપઈં જાણવા. ૨૩૨ ઇહાં ઉત્પાદ-વ્યયભાગી ભિન્નદ્રવ્ય અનઈં સ્થિતિભાગી ભિન્નદ્રવ્ય કોઇ દીસતું નથી. જે માટઈં ઘટમુકુટાઘાકારાસ્પર્શી હેમ દ્રવ્ય છઈ નહીં, જે એક ધ્રુવ હોઈ. ધ્રુવતાની પ્રતીતિ પણિ છઇં. તે માટઈં “તમાવાડવ્યયં નિત્યમ્' (ત.મૂ.૯/૩૦) એ લક્ષણઈં પરિણામઈ ધ્રુવ અનઈં ઉત્પાદાદિ પરિણામઇ અધ્રુવ સર્વ ભાવવું.૯/ परामर्शः घट-मौलि सुवर्णार्थी व्ययोत्पादस्थितिष्वयम् । તુ:વ-પ્રમો-માધ્યસ્થ્ય નરો યાતિ સહેતુ મ્।।૬/૨|| શ્લોકાર્થ :- ઘટ, મુગટ અને સુવર્ણનો અર્થ એવો પ્રસ્તુત મનુષ્ય નાશ, ઉત્પત્તિ અને સ્થિતિ થતાં શોક, આનંદ અને માધ્યસ્થ્ય પામે છે, તે સકારણ છે. (૯/૩) * દ્રવ્યદૃષ્ટિ આદરણીય આધ્યાત્મિક ઉપનય :- ઈષ્ટ-અનિષ્ટ પર્યાયના ક્રમશઃ ઉત્પાદ-વ્યય રાગનિમિત્ત છે. અનિષ્ટ-ઈષ્ટ પર્યાયના ક્રમશઃ ઉત્પાદ-વ્યય ટ્રુનિમિત્ત છે. આમ રાગ-દ્વેષજનક હોવાથી પર્યાયદષ્ટિ ત્યાજ્ય છે. દ્રવ્યદૃષ્ટિ-ધ્રૌવ્યદૃષ્ટિ માધ્યસ્થ્યનિમિત્ત છે. તેથી માધ્યસ્થ્યજનક હોવા સ્વરૂપે દ્રવ્યદૃષ્ટિ ઉપાદેય છે. મધ્યસ્થતાના પાયા ઉપર જ સાધનામહેલ ઉભો છે. આથી પર્યાયની હારમાળા વિશે રુચિને સ્થાપિત કર્યા વિના શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર જ આપણી દૃષ્ટિ રુચિપૂર્વક સ્થાપિત કરી, દૃઢ કરી, શુદ્ધ આત્મદ્રવ્યને પ્રગટાવવું એ જ આપણું પરમ કર્તવ્ય છે. આત્માર્થી જીવને શુદ્ધદ્રવ્યદૃષ્ટિ સમ્યક્ષણે પકડાવવાના અભિપ્રાયથી ટો અહીં આવો ઉપદેશ આપવામાં આવે છે. તેનાથી મોક્ષસુખ ઝડપથી પ્રગટે. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં શ્રીઅનન્તનાથ ભગવાનની દેશનામાં મોક્ષસુખને આ મુજબ જણાવેલ છે કે ‘ત્રણ જગતમાં દેવેન્દ્ર-દાનવેન્દ્રનરેન્દ્રોને જે સુખ છે, તે મોક્ષસુખસંપદાનો અનન્તમો ભાગ પણ નથી.' (૯/૩) * લા.(૧)+શાં.+ધ.મ.માં ‘હેમથી’ પાઠ છે. કો.(૧)નો પાઠ ગ્રહણ કરેલ છે. *...* વચ્ચેનો પાઠ B(૨)માં છે. - ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ કો.(૯)માં નથી. † શાં.માં ‘હેમુનકુટાર્થી’ અશુદ્ધ પાઠ. * શાં.માં ‘મુકુટોઘાકા...’ અશુદ્ધ પાઠ.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy