SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૨/૫ ૧૪૭ एतेन'- "अ'नुपरेलम्भात् कारणव्यापकानुपलम्भाच्च कार्यकारणव्या प्यव्यापकभावावगमः" इति प्रत्युक्तम्, अनुपलम्भस्य प्रत्यक्षविशेषत्वेन कारणव्यापकानुपलम्भयोश्च लिङ्गत्वेन तज्ज नितस्य तस्यानुमानत्वात्, प्रत्यक्षानुमानाभ्यां च व्याप्तिग्रहणे दोषस्याभिहितत्वात् । એતેન = આ ઉપરોક્ત વિષય વિચારણા દ્વારા પ્રત્યક્ષ અને અનુમાન વ્યાપ્તિ ગ્રાહક નથી બની શકતા, આ સિદ્ધ કરવાથી “અનુપલંભથી, કારણ અનુપલંભથી અને વ્યાપક-અનુપલંભથી, કાર્ય-કારણ ભાવ અને વ્યાપ્ય- વ્યાપકભાવનું જ્ઞાન થાય છે” “આ માન્યતાનું ખંડન થઈ જાય છે. અહીં ઘડો નથી પ્રત્યક્ષથી તેનો ઉપલંભ ન થતો હોવાથી; જ્યાં જ્યાં ઘટનો અનુપલંભ હોય છે, ત્યાં ઘટાભાવ હોય છે” એમ અનુપલંભથી વ્યાપ્તિ જ્ઞાન થઈ જશે, જો ઘટ હોત તો ઈદ્રિયનો સંનિકર્ષ થતા અવશ્ય ઉપલંભ થાત, એમ અનુપલંભ દ્વારા અહીં વ્યાપ્તિ જ્ઞાન થઈ જશે. (માટે ઊહની જરૂર નથી.) આ અનુપલલ્મ એક પ્રકારનું પ્રત્યક્ષ છે, જેમકે પ્રતિયોગીનું સ્મરણ કરી ભૂતલમાં ચક્ષુ સંયોગ થતા તે પ્રતિયોગી ઘટની પ્રાપ્તિ ન થવી તેનું નામ જ અનુપલક્ષ્મ છે. કારણ-અનુપલલ્મ અને વ્યાપક-અનુપલંભ લિંગ (અનુમાન) સ્વરૂપ હોવાથી તેનાથી ઉત્પન્ન થનારું જ્ઞાન અનુમાન કહેવાશે. જેમાં ધૂમનું કારણ વહ્નિ છે, તેનો અનુપલલ્મ “ત્ર પૂરો નતિ વ નુપત્ન " આમ તે ધૂમાભાવની સિદ્ધિ માટે સાધન બને છે. એમ “અહીં શિંશપા નથી” વૃક્ષનો અભાવ હોવાથી, અહીં વૃક્ષએ શિંશપાનું વ્યાપક છે વૃક્ષનો અનુપલંભ હેતુ બને છે, તેનાથી શિંશપાભાવની સિદ્ધિ થાય છે. વ્યાપક હોય તે કારણ હોય એવું જરૂરી નથી, શિક્ષપાનું વ્યાપક ઝાડ છે પરંતુ કાંઈ ઝાડ એ શિશપાનું કારણ નથી તેનું કારણ તે ઝાડનું બીજ છે. કારણ વિના કાર્ય થઈ ન શકે એ ચોક્કસ છે માટે કારણ તો કાર્યનું વ્યાપક છે જ, પરંતુ વ્યાપક કારણ નથી પણ હોતુ, એમ બન્નેમાં ભેદ હોવાથી જુદો અનુપલંભ દર્શાવ્યો છે. આ વ્યતિરેક વ્યાપ્તિ કહેવાય છે, એટલે આવો અનુપલક્ષ્મ તો અનુમાન દ્વારા જ કાર્ય કે વ્યાણનું જ્ઞાન કરાવી શકે. એટલે આ બન્ને બોધ તો અનુમાનરૂપ છે, કા.કે. જે જ્ઞાન લિંગથી પેદા થાય તે અનુમાન કહેવાય છે માટે તે અનુમાન રૂપ થયા. કારણ અને વ્યાપકના અનુપલંભ સ્વરૂપલિંગથી આ જ્ઞાન પેદા થયેલ છે, જ્યારે પ્રત્યક્ષ અને અનુમાનથી વ્યાપ્તિ ગ્રહણ કરવામાં તો અમે તમને પહેલાં જ દોષ દર્શાવી ગયા છીએ. [ પ્રમાતા ધૂમ વિ.ને પ્રત્યક્ષ જોઇ તેને લગતી અનુકૂલ અને પ્રતિકૂલ પરિસ્થિતિ ઉપર વિચારણા કરે તેનું નામ ઉહાપોહ વિકલ્પ જ્ઞાન જેમકે લીલા લાકડા હોવા અગ્નિ હોવી' આ તેના =ધૂમમાટે અનુકૂળ છે, “અગ્નિનો અભાવ અને લાકડા સુકા હોય તે તેના માટે પ્રતિકૂલ છે,” આમ વિચારને આગળ ચલાવતા તે આવા નિર્ણય ઉપર પહોંચે કે ધૂમમાટે અગ્નિ હોવી જરૂરી છે. પરંતુ પ્રતિકૂલ કે અનુકૂલ પરિસ્થિતિની વિચારણા માત્ર પ્રત્યક્ષથી થઈ શકે નહીં, તેના માટે આગળ પાછળનું સંકલન થવું જરૂરી છે તેનું નામ જ તો અમે ઉપલંભ અને અનુપલંભના નિમિત્તથી બુદ્ધિની જાગૃતિ રૂપે વ્યાપ્તિ જ્ઞાન થવું કહીએ છીએ. એટલે તમારા વિકલ્પજ્ઞાનને પ્રત્યક્ષ ફળ રૂપે નહીં પરંતુ અમે કહેલ ઊહરૂપે પ્રમાણાન્તર માની લો. અગ્નિ હોય છે ત્યારે ઉપનાનુપના કાર્ય - ૫૨ (?) ૩૪માં પ્રત્યક્ષાનાનાનાના નાન્ન પૂરજોરમાવત્યિનુન: II નાઝ fશાખા ક્ષમાવાન્ રા“ભૂHથી:] વિજ્ઞાને પૂજ્ઞાનનીયો .કલેક્ષાનુપ મતિ પfખરચય: ” ૩ () નાચત્ર પર્વ अनुपलम्भात् स्वप्रत्यक्षानुपलम्भादित्यर्थः, स्वभावानुपलम्भो हि घूमाधीरित्युल्लेखलक्षणः कार्यकारणव्याप्यव्यापक-भावावगमे व्यापिपति ततस्तस्मादपि भवति स बौद्धमते । ४ (?) कार्यकारणस्यावगमो व्यापकानुपलम्भाद्वयाप्यव्यापकत्व-स्यानुपलम्भात तूभयस्य किन्तु सोप्यूहदेवेति । ५ निराकृतम् । ६ अनुमानत्वेन । ७ यद्धि लिङ्गाज्जायते ज्ञानं तदनुमानमेव ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy