SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યપાપ પ્રરૂપક તૃતીય અંકઃ સમયસાર ગાથા ૧૪૫ ‘“દુષ્ટભાવ પાપહેતુ સુષ્ઠ ભાવ પુણ્યહેતુ, યાતે દોઉં કર્મમાંહિ હેતુભેદ માનીએ, પાપ ઉદૈ કે અસાતા પુણ્ય હોય સાતા, પાતે ક્ષાર મિષ્ટ રૂપ સ્વાદભેદ ઠાનીએ, પાપ તો કુગતિ દૈય પુણ્ય સદ્ગતિ દૈય, ગતિ ભેદ પરતક્ષ ફલ ભેદ જાતિ આનીએ.’’ = શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ', ૩-૮૪ કોઈ જનો અશુભ કર્મને કુશીલ' – કુત્સિત દુષ્ટ શીલ - સ્વભાવવાળું અને શુભ કર્મને ‘સુશીલ' - સુંદર શિષ્ટ શીલ - સ્વભાવવાળું માને છે, પણ જે સંસારમાં પ્રવેશાવે છે તે સુશીલ કેમ હોય વારુ ? હિ તે હોવિ સુલીનં નં સંસાર વેસેવિ ।' એમ સામાને નિરુત્તર કરી ઘે એવો સીધો સાદો પ્રશ્ન (Poser) અત્રે શાસ્ત્રકર્તા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી આત્માર્થી મુમુક્ષુઓની સામે સદ્ વિચારણાર્થે મૂક્યો છે અને ‘આત્મખ્યાતિ’ સૂત્ર કર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અપૂર્વ વ્યાખ્યાથી તેના ભાવને અનંતગુણ વિશિષ્ટ પરિપુષ્ટ કરી પરિસમૃદ્ધ કર્યો છે અને તેનો સંક્ષેપ ભાવાર્થ એ છે કે શુભ – અશુભ બન્ને જ્યાં સંસાર બંધનના હેતુ હોઈ ‘કુશીલ’ છે, ત્યાં કર્મનો કુશીલ - સુશીલ ભેદ માનવો કૃત્રિમ છે, કારણકે કર્મ તો એક પુદ્ગલરૂપ છતાં કંઈ કર્મ શુભ અને કંઈ કર્મ અશુભ એમ કેટલાક લોકો ભેદ કલ્પના કરે છે, તે મતિ વિભ્રમ માત્ર છે. તે આ પ્રકારે - - - કારણ, સ્વભાવ, અનુભવ ને કર્મ શુભ કંઈ કર્મ અશુભ આશ્રયના ભેદથી કંઈ એવો પક્ષ તે પ્રતિપક્ષ (૧) કંઈ કર્મને શુભ જીવ પરિણામનું નિમિત્તપણું હોય છે અને કંઈ કર્મને અશુભ જીવ પરિણામનું નિમિત્તપણું હોય છે, અર્થાત્ કંઈ કર્મ શુભ જીવ પરિણામના નિમિત્તે કારણે ઉપજે છે અને કંઈ કર્મ અશુભ જીવ પરિણામના નિમિત્ત કારણે ઉપજે છે, એમ કારણનો ભેદ છે એટલા માટે, ‘જરમેવાત્', (૨) કંઈ કર્મ શુભ પુદ્ગલ-પરિણામમય હોય છે ને કંઈ કર્મ અશુભ પુદ્ગલ પરિણામમય હોય છે, અર્થાત્ પુદ્ગલ પરિણામનું બનેલું હોય છે, એમ સ્વભાવનો ભેદ છે એટલા માટે - ‘સ્વમાવમેવાત્', (૩) કંઈ કર્મ ઉદય આવ્યે શુભ વિપાક રૂપ અનુભવ આપે છે ને કંઈ કર્મ અશુભ ફલ વિપાક રૂપ અનુભવ આપે છે, એમ અનુભવનો ભેદ છે એટલા માટે - ‘અનુભવમેવાત્', અને (૪) કંઈ કર્મ શુભ મોક્ષ માર્ગનું આશ્રિત છે ને કંઈ કર્મ અશુભ બંધ માર્ગનું આશ્રિત છે, અર્થાત્ કંઈ કર્મ શુભ એવા મોક્ષમાર્ગનો આશ્રય કરી રહેલું છે ને કંઈ કર્મ અશુભ એવા બંધ માર્ગનો આશ્રય કરી રહેલું છે, એમ આશ્રયનો ભેદ છે એટલા માટે મેવાત્', એવા પ્રકારે ચાર કારણને લીધે િિવત્ શુભ òિવિત્ જ્ઞશુક્ષ્મ - કંઈ કર્મ શુભ છે અને કંઈ કર્મ અશુભ છે, એમ એક જ કર્મમાં પણ ભેદ માનતો પક્ષ કોઈ જનો ગ્રહે છે, “કૃતિ òષાંચિત્ પક્ષઃ' અર્થાત્ તે પક્ષ તેમના પોતાના પ્રતિ’ વિરુદ્ધ ‘પક્ષ'માં જતો હોવાથી પ્રતિપક્ષ જ છે ! તેમણે રજૂ કરેલી ચારે યુક્તિ તેમનાથી વિરુદ્ધ પડી તેમના પક્ષનું જ નિરાકરણ કરે છે. તે જુઓ ! આ પ્રકારે - 'आश्रय - - - - માત્ર અજ્ઞાન છે (૧) જીવનો શુભ પરિણામ હોય કે અશુભ પરિણામ હોય, પણ તે બન્ને કેવલ રૂપ જ છે, એટલે જૈવત્તાજ્ઞાનવાત્’ કેવલ અજ્ઞાનપણાને લીધે' જીવનો શુભ - અશુભ પરિણામ એક છે, એટલે આમ તેનું એકપણું છે, એટલે અમુક કર્મનો નિમિત્ત હેતુ શુભ જીવપરિણામ ને અમુક કર્મનો નિમિત્ત હેતુ અશુભ જીવપરિણામ એમ કારણનો ભેદ ઘટતો નથી, એટલે કારણ અભેદને લીધે કર્મ એક ‘વ્હારમેવાવેÓર્મ’, અર્થાત્ એક અજ્ઞાન રૂપ શુભાશુભ જીવપરિણામ નિમિત્તે ઉત્પન્ન થતું કર્મ એક રૂપ છે, (૨) શુભ પુદ્ગલપરિણામ હોય કે અશુભ પુદ્ગલપરિણામ હોય, પણ તે બન્ને કેવલ પુદ્ગલમય છે, એટલે ‘કેવલ પુદ્ગલમયપણાને લીધે’ હેવનપુટ્ ાનમયત્વાત્ એક છે અને આમ તે બન્નેનું એકપણું છે, એટલે અમુક કર્મ શુભ પુદ્ગલપરિણામ રૂપ અમુક કર્મ અશુભ પુદ્ગલ પરિણામ રૂપ એમ સ્વભાવનો ભેદ ઘટતો નથી. એટલે કેવળ એક પુદ્ગલમયપણાએ કરીને સ્વભાવ અભેદને લીધે કર્મ એક છે - એક રૂપ છે - ‘સ્વમાવામેલાવે વર્ત' (૩) કર્મનો ઉદય રૂપ ફલપાક શુભ હોય કે =
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy