SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ બંધ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર કળશ ૧૭૬ નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો સમયસાર કળશ (૧૪) પ્રકાશે છે - इति वस्तुस्वभावं स्वं, ज्ञानी जानाति तेन सः । रागादीवात्मनः कुर्वत्रातो भवति कारकः ॥१७६॥ એમ વસ્તુ સ્વભાવ સ્વ, જાણે છે શાની તેથી તે; સ્વના કરે ન રાગાદિ, નો'ય કારક એથી તે. ૧૭૬ - અમૃત પદ-૧૭ સેવક કિમ અવગણીએ ? હો મલ્લિજિન !' - એ રાગ વસ્તુ સ્વભાવ સ્વ જાણે જ જ્ઞાની, વસ્તુ સ્વભાવ સ્વ જાણે, સહાત્મસ્વરૂપે શુદ્ધ જ આત્મા, એહ તત્ત્વ ચિત્ત આણે... રે જ્ઞાની વસ્તુ સ્વભાવ સ્વ જાણે. ૧ સ્ફટિક જેમ કેવલ આ આત્મા, સ્વયં તો શુદ્ધ સ્વભાવ, પર નિમિત્તથી પ્રચ્યવતો તે, પામે રાગાદિ વિભાવ... રે જ્ઞાની વસ્તુ સ્વભાવ સ્વ જાણે. ૨ એમ સહજાત્મસ્વરૂપે આત્માનો, જાણતો શુદ્ધ સ્વભાવ, શુદ્ધ સ્વભાવથી પ્રવતો ના, જ્ઞાની શુદ્ધ સ્વભાવ... રે જ્ઞાની વસ્તુ સ્વભાવ સ્વ જાણે. ૩ એથી કરી રાગાદિ વિભાવો, ન તે આત્માના કરતો, એથી કરી ન કારક કર્મોનો, નિશ્ચય તે અહિં ઠરતો... રે જ્ઞાની વસ્તુ સ્વભાવ. ૪ વસ્તુ સ્વભાવ સ્વ જાણે જ જ્ઞાની, વસ્તુ સ્વભાવ સ્વ જાણે, ભગવાન અમૃત આ આત્માનું, સહજ સ્વરૂપ જ માણે... રે જ્ઞાની વસ્તુ સ્વભાવ. ૫ અર્થ - એમ સ્વ વસ્તુ સ્વભાવ જ્ઞાની જાણે છે, તેથી તે રાગાદિને આત્માના નહિ કરતો આથી કરીને કારક નથી હોતો. ૧૭૬ “અમૃત જ્યોતિ' મહાભાષ્ય “જીવ વિભાવ પરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે અને સ્વભાવ પરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે નહિ.” - શ્રીમદ્ રાજચંદ્ર, ઉપદેશ છાયા જ્ઞાની રાગાદિને આત્માના કરતો નથી એવા નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો આ કળશ કહ્યો છે - તિ વતુર્વમાવે સ્વં જ્ઞાન નાનાતિ તેન : - એવા પ્રકારે સ્વ - પોતાના વસ્તુ સ્વભાવને જ્ઞાની જાણે છે. તેથી તે રાગાદિને આત્માના નહિ કરતો આથી કરીને “કારક' - તે રાગાદિનો કરનારો - કર્તા નથી હોતો – રા'વીત્રાત્મનઃ સુર્વત્રતો મવતિ વાર: | ૪૭૫
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy