SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ सुखयामि બંધ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર ગાથા ૨૬૦-૨૬૧ द्विधा जीवयामीति पुण्यपापयोर्बंधहेतुत्वस्याविरोधात् *** च ||૨૬૦||૨૬૧|| આત્મખ્યાતિ ટીકાર્થ મિથ્યાર્દષ્ટિનો જે જ આ અજ્ઞાનજન્મા રાગમય અધ્યવસાય તે જ બંધહેતુ છે એમ અવધારવું યોગ્ય છે અને પુણ્ય-પાપપણાએ કરીને બંધના દ્વિત્વના (બે-પણાના) લીધે તદ્ધિત્વનું હેતુત્વ અંતર અન્વેષવું યોગ્ય નથી, એક જ આ અધ્યવસાયથી હું દુઃખાવું છું - હું મારૂં છું એમ અને હું સુખાવું છું - હું જીવાડું છું એમ દ્વિધા (બે ભાગમાં ખેંચાયેલ) શુભાશુભ અહંકારરસ નિર્ભરતાએ કરીને પુણ્ય-પાપ બન્નેયના બંધહેતુપણાનો અવિરોધ છે માટે. ૨૬૦-૨૬૧ અમૃત જ્યોતિ’ મહાભાષ્ય અયત્નાથી ચાલતાં પ્રાણભૂતની હિંસા થાય, (તેથી) પાપકર્મ બાંધે, તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. યત્નાથી ચાલે, યત્નાથી ઉભો રહે, યત્નાથી બેસે, યત્નાથી શયન કરે, યત્નાથી આહાર કરે, યત્નાથી બોલે, તો પાપકર્મ ન બાંધે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૦ - એક અધ્યવસાય શુભ અશુભ અધ્યવસાય જ બંધહેતુ છે એમ અધ્યવસાયનું જ બંધહેતુપણું અત્ર અવધાર્યું છે મિથ્યાષ્ટિનો જે જ આ અજ્ઞાનજન્મા ‘અજ્ઞાનનમા’ અજ્ઞાનથી જેનો જન્મ છે એવો રાગમય અધ્યવસાય, તે જ બંધહેતુ છે એમ અવધારવું યોગ્ય છે અને પુણ્ય પાપમયપણાએ કરીને બંધના દ્વિત્વને લીધે’ દ્વિત્વાર્ધ - બેપણાને લીધે તેના હેતુના દ્વિત્વનું અંતર - 'द्वित्वांतर' બે પણાનો તફાવત અન્વેષવા શોધવા યોગ્ય નથી, કારણકે એક જ આ અધ્યવસાયથી હું દુઃખ પમાડું છું - હું મારૂં છું એમ અને હું સુખ પમાડું છું - હું જીવાડું છું એમ ‘દ્વિધા’ બે ભાગમાં વિભક્તપણે શુભ-અશુભ અહંકારરસ નિર્ભરતાએ કરીને - ‘શુમાશુમહંારરસનિર્ભરતયા’ અહંકારરસની ભરપૂરતાએ કરીને બન્નેયના - પુણ્ય પાપના બંધહેતુપણાનો અવિરોધ છે માટે - યોપિક પુષ્પાપયો વધહેતુત્વયાવિરોધાત્', અર્થાત્ હું કરૂં હું કરૂં એવી ‘શકટનો ભાર જિમ શ્વાન તાણે' એવી અહંકારરસ નિર્ભરતાએ કરીને આ અહંકારમય અધ્યવસાય શુભ હો કે અશુભ હો તો પણ એક જ છે અને તે શુભાશુભથી પ્રાપ્ત થતું પુણ્ય – પાપ ફલ પણ બંધહેતુ જ છે, એટલે પુણ્ય-પાપનું બન્નેયનું એક બંધહેતુપણું જ છે, એટલે પુણ્ય પાપ એ બન્નેયના બંધહેતુપણામાં અવિરોધ જ છે - અવિશેષ જ છે. આકૃતિ - - शुभाशुभाहंकाररसनिर्भरतया અહંકાર રસ નિર્ભર સમ્યગ્દષ્ટ જ્ઞાની વીતરાગ ૪૨૫ બંધહેતુત્વ પુણ્ય द्वयोरपि - પાપ - -
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy