SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર કળશ ૧૪૯ આગળની ગાથાના ભાવનું સૂચન કરતો ઉત્થાનિકા સમયસાર કળશ (૧૭) કહે છે – ज्ञानवान् स्वरसतोऽपि यतः स्यात्, सर्वरागरसवर्जनशीलः । लिप्यते सकलकर्मभिरेष, कर्ममध्यपतितोऽपि ततो न ॥१४९॥ જ્ઞાનવાનું સ્વરસથી વરસીલો, સર્વ રાગ રસ વર્જન શીલો; કર્મમધ્ય પતિતો પણ તેથી, સર્વ કર્મથી લિપાય ન એથી. ૧૪૯ અમૃત પદ-૧૪૯ જ્ઞાની તો અબંધ હોય ભાવ, જ્ઞાની તો અબંધ હોય. ભાવ, રાગરસથી ખાલી તે તો, ખાલી ખમ ઘટ જેમ સાવ... જ્ઞાની તો અબંધ. ૧ રાગરસ વર્જનશીલ જ્ઞાની, તેનો સહજ સ્વભાવ, સ્વરસથી જ સર્વ રાગરસ, જ્ઞાની ત્યજે છે સાવ... જ્ઞાની તો અબંધ. ૨ સકલ કર્મથી ના લેપાયે, કર્મ મધ્યે પતિતો ય, ભગવાન અમૃતચંદ્ર વદે છે, જ્ઞાની એવો હોય.. જ્ઞાનનો અબંધ. ૩ અર્થ - કારણકે જ્ઞાનવાનું સ્વરસથી જ સર્વ રાગ રસવર્જનશીલ હોય, તેથી કરીને આ કર્મ મધ્યપતિત છતાં સકલ કર્મોથી લપાતો નથી !' “અમૃત જ્યોતિ” મહાભાષ્ય કોઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી.” સર્વ પ્રકારના કર્તવ્યને વિષે ઉદાસીન એવા અમારાથી કંઈ થઈ શકતું હોય તો તે એક જ થઈ શકે છે કે પૂર્વોપાર્જિત સમતાપણે વેદન કરવું.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૧૪, ૪૧૫ જ્ઞાની કર્મ મધ્યગત છતાં લપાતો નથી એમ આગળની ગાથાના ભાવનું સૂચન કરતો આ ઉત્થાનિકા કળશ કહ્યો છે. તેનો ભાવાર્થ આ પ્રકારે - જ્ઞાનવીનું વિરક્ત શાની કર્મ મધ્યે વરસતોગ િયત: યતિ સર્વરારતવર્ષનશીન: - કારણકે જે “જ્ઞાનવાનું પણ અલિપ્ત જ્ઞાનસંપન્ન – જ્ઞાની છે તે સ્વરસથી પણ – સ્વરસતોગYિ - સ્વરસથી જ જ્ઞાનસંપન્ન મા સર્વરાગ રસવર્જનશીલ હોય છે, “સર્વાસવર્નરશીત ', અર્થાત્ જ્ઞાની સ્વરસથી જ આપોઆપ જ સર્વ રાગરસને વર્જવાના - દૂરથી પરિહરવાના શીલવાળો - સ્વભાવવાળો હોય છે, તેથી આ કમ મધ્યે પડેલો છતાં સકલ કર્મોથી લપાતો નથી – ખરડાતો નથી, “વિગતે सकलकर्मभिरेषः कर्ममध्यपतितोऽपि ततो न । અર્થાતુ - સ્વ-પરનો વિવેક જેણે જાણ્યો છે એવો “જ્ઞાનવાનું જ્ઞાની સ્વરસથી જ - આપોઆપ જ સર્વ રાગરને વર્જે છે – દૂરથી પરિહરે છે એવું એનું સ્વરૂપાચરણ રૂપ શીલ ભવભોગથી વિરક્ત છે - સહજ સ્વભાવ છે. આ સહજ સ્વભાવે “સર્વ રાગરસ વર્જનશીલ” જીવન્મુક્ત જ્ઞાની જ્ઞાની સર્વત્ર વીતરાગ હોય છે, ક્યાંય પણ સ્નેહ રૂપ - આસક્તિ રૂપ રાગ જળકમળવત્ અલિપ્ત ધરતો નથી એટલે સકલ કર્મ મધ્યે પડેલો છતાં તે લેખાતો નથી, બંધાતો નથી, સહજાત્મસ્વરૂપે મુક્ત - જીવન્મુક્ત જ હોય છે, ભવથી - સંસારથી અતીત - પર અર્થ - તત્ત્વ પ્રત્યે - મુક્ત તત્ત્વ પ્રત્યે ગમન કરનારો વા ગમન કરવા ઈચ્છનારો મહામુમુક્ષુ “ભવાતીતાર્થગામી' હોય છે. આ ભવાતીતાર્થગામી હરિભદ્રાચાર્યજીએ કહ્યું છે તેમ - અહીં પ્રાકૃત ભાવો પ્રત્યે જેઓનું ચિત્ત નિરુત્સુક (ઉત્સુકતા રહિત) હોય છે એવા ભવભોગથી વિરક્ત થયેલા છે.” અર્થાત્ પ્રાકૃત ભાવો એટલે બુદ્ધિમાં જેનું પર્યવસાન છે એવા શબ્દાદિ ભાવો, પ્રાકૃત એટલે ૩૧૫
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy