SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૧૯૩ પરમાર્થગંભીર વ્યાખ્યાન ગ્રથિત કરી તત્ત્વનું તત્ત્વ પ્રકાર્યું છે. તેનો આશયાર્થ આ પ્રકારે - વિરમાયોપમોનો નિર્જરા જીવ - “વિરાગનો ઉપભોગ નિર્જરાર્થે જ હોય વિરાગનો ઉપભોગ છે', વિગત થયો છે - ચાલ્યો ગયો છે રાગ જેનો એવા ‘વિરાગનો” - નિર્જરાર્થે જ વિતરાગનો વિષયોપભોગ નિર્જરા માટે જ થાય છે, અર્થાતુ વિતરાગ - મિયાદેષ્ટિને બંધ વિરાગ' - વીતરાગ સમ્યગદૃષ્ટિ જ્ઞાની જે કંઈ ચેતનેતર - ચેતનથી અન્ય એટલે કે અચેતન એવા અન્ય - પર દ્રવ્યોનો ઈદ્રિયો વડે ઉપભોગ કરે છે, તે તો તેને તે તે કર્મ ભોગવીને ખેરવી નાંખવા રૂપ - નિર્જરવા રૂપ નિર્જરાનું જ કારણ થાય છે, અથવા તો “વિરાગ' - વીતરાગ સમ્યગુદૃષ્ટિ જ્ઞાનીનો જે વિષયોપભોગ તે તે તે કર્મ ભોગવીને ખેરવી નાંખવા રૂપ - નિર્જરવા રૂપ સાક્ષાત્ નિર્જરા જ છે. TIરિ બાવાનાં સમાવેન - રાગાદિ ભાવોના સભાવે કરીને - હોવાપણાએ કરીને મિથ્યા દૃષ્ટિને અચેતન અન્ય દ્રવ્યનો ઉપભોગ - ‘તનાચંદ્રવ્યોમ: - અચેતન એવા અન્ય – પર દ્રવ્યોનો ઉપભોગ બંધ નિમિત્ત જ - બંધ કારણ જ હોય. અર્થાતુ ચેતનથી ઈતર - અન્ય એટલે કે અચેતન એવા “મૂર્ત - રૂપી પુદ્ગલ દ્રવ્યો જ ઈદ્રિય ગ્રાહ્ય છે, ઈદ્રિયોથી અચેતન પુદ્ગલ દ્રવ્યોનો જ - પંચ ઈદ્રિય વિષયોનો જ ઉપભોગ કરાય છે, આ પંચ ઈદ્રિય વિષય રૂપ જે જે “ચેતનેતર' - ચેતનથી અન્ય અચેતન પદગલ દ્રવ્યોનો મિથ્યાદૃષ્ટિ ઉપભોગ કરે છે. તે તે રાગાદિના હોવાપણાને લીધે તેને બંધનું કારણ જ થાય છે. તે જ વિષયોપભોગ રારિબાવાના+માવેન - રાગાદિ ભાવોના અભાવે કરીને - નહિ હોવાપણાએ કરીને વિરાગ-વીતરાગ એવા સમ્યગુદૃષ્ટિને નિર્જરા નિમિત્ત જ હોય - નિર્જરા કારણ જ હોય - નિર્વામિત્તવ ચર્િ ! આમ જે વિષયોપભોગથી મિથ્યાદેષ્ટિ બંધાય છે, તે જ વિષયોપભોગથી વીતરાગ સમ્યગુષ્ટિ મુકાય છે, એ પરમ આશ્ચર્યકારી અદ્ભુત ઘટના બનવા પામે છે. - આ ઉપરથી પુદ્ગલ દ્રવ્યોપભોગ દ્વારે દ્રવ્ય નિર્જરાનું' અર્થાત્ કર્મપુદ્ગલોનું આત્મપ્રદેશથી નિર્જરવા રૂપ - ખરી જવા રૂપ દ્રવ્ય નિર્જરાનું સ્વરૂપ આવેઠું - સંક્ષેપમાં કહી દેખાડ્યું. “ઈદ્રિયોના ભોગ સહિત મુક્તપણું નથી. ઈદ્રિયોના ભોગ છે ત્યાં સંસાર છે, ને સંસાર છે ત્યાં મુક્તપણું નથી.” વીતરાગ વચનની અસરથી ઈદ્રિય સુખ નીરસ ન લાગ્યાં તો જ્ઞાનીનાં વચનો કાને પડ્યાં જ નથી એમ સમજવું.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૬૪, (વ્યાખ્યાન સાર). સમ્યગૃષ્ટિ અને મિથ્યાષ્ટિની દૃષ્ટિ દૃષ્ટિમાં ફેર છે, એટલે એ બન્નેની સૃષ્ટિ સૃષ્ટિમાં પણ ફેર છે. સમ્યગુદૃષ્ટિ આત્માને આત્મા દેખે છે ને અનાત્માને અનાત્મા દેખે છે, દૃષ્ટિ દૃષ્ટિમાં ફેર: આત્માને અનાત્મા દેખતો નથી ને અનાત્માને આત્મા દેખતો નથી, એટલે સમ્યગુદૃષ્ટિને નિર્જરા : અનાત્મા - આત્માથી - ચેતનથી અન્ય અચેતન એવા અન્ય પર પ્રત્યે એનો મિયાદેષ્ટિને બંધ રાગ ચાલ્યો ગયેલો - વીતી ગયેલો - “વિગત હોય છે, એટલે જ વિગત રાગ - “વિરાગ' - વીતરાગ એવો આ સમ્યગુષ્ટિ ભલે “ચેતનાન્ય” - ચેતનથી અન્ય - પર અર્થાતુ અચેતન પદ્રિવ્યોનો ઉપભોગ કરે છે, અચેતન પૌગલિક પરદ્રવ્યોનો ઈદ્રિયોથી ઉપભોગ કરે છે, તો પણ તે અચેતન પરદ્રવ્ય પ્રત્યે આસક્તિ રૂ૫ - સ્નેહ રૂપ રાગ ભાવ તેને ઉપજતો નથી, એટલે તે “રૂક્ષ' - લૂખા કોરા ધાકોડ' સમ્યગૃષ્ટિ વિરાગને - પૂર્વે ચોટેલાં પુદ્ગલ કર્મ ઉદયમાં આવી વિષય ઉપભોગ ફળ દઈ ખરી જાય છે - નિર્જરી જાય છે. આથી ઉલટું, મિથ્યાષ્ટિ આત્માને આત્મા દેખતો નથી ને અનાત્માને અનાત્મા દેખતો નથી, uત્મા દેખે છે ને અનાત્માને આત્મા દેખે છે. એટલે અનાત્મા આત્માથી અન્ય અચેતન એવા અન્ય પરદ્રવ્ય પ્રત્યે એનો રાગ ઉદ્દામ હોય છે, એટલે જ સરાગ એવો આ મિથ્યાદૃષ્ટિ “ચેતનાન્ય” - ચેતનથી અન્ય – પર અર્થાત્ અચેતન પરદ્રવ્યોનો ઉપભોગ કરે છે, અચેતન પૌગલિક પરદ્રવ્યોનો ૧૭.
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy