SearchBrowseAboutContactDonate
Page Preview
Page 847
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ સમસ્ત બંધપદ્ધતિ ફગાવી હું સમયસાર અનુભવું છું એવા ભાવનો સમયસાર કળશ (૪૭) પ્રકાશે स्वागता - चित्स्वभावभरभावितभावा - ऽभावभावपरमार्थतयैकं । बंधपद्धतिमपास्य समस्तां, चेतये समयसारमपारं ॥१२॥ ચિતુ સ્વભાવ ભર ભાવિત ભાવા - ભાવ ભાવ પરમાર્થથી એક; ચેતું તે સમયસાર અપારો, ફેંકી દૈ સકલ બંધ પથારો. ૯૨ અમૃત પદ-૯૨ ચેતું સમયસાર અપારો, જેનો કદીય ન આવે પારો... ચેતું. ૧ ચિત્ સ્વભાવે સભર જે ભરિયો, ભાવ અમૃતનો છે દરિયો; પરભાવનો છે જ્યાં અભાવ, સ્વભાવનો સદા છે ભાવ.. ચેતું. ૨ એવો અનુભવતાં વિણ પાર, ચેતું સમયસાર અપાર; બંધપદ્ધતિ સકલ ફગાવી, ભગવાનું અમૃત જ્યોતિ જગાવી... ચેતું. ૩ અર્થ - ચિનુ સ્વભાવભરથી ભાવિત ભાવ-અભાવ ભાવની પરમાર્થતાથી એક એવા અપાર સમયસારને હું સમસ્ત બંધપદ્ધતિ ફગાવી દઈને ચેતું છું – અનુભવું છું. ૯૨ “અમૃત જ્યોતિ' મહાભાષ્ય “હું પરમ શુદ્ધ અખંડ ચિલ્ ધાતુ છું.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. દ૯૯, હાથનોંધ આપ અભ્યાસ લખે કોઈ વિરલા, નિરખે ધૂકી તારી; આનંદઘન ચેતનમય મૂરતિ, નાથ નિરંજન પાવે.” - આનંદઘન પદ-૭ ઉપરમાં “આત્મખ્યાતિ'ના ગદ્યભાગમાં જે કહ્યું તેના પર આ કળશ ચઢાવતાં આત્મભાવનાથી પરમ ભાવિતાત્મા પરમષિ અમૃતચંદ્રાચાર્યજી શુદ્ધ આત્મભાવની પરિપુષ્ટિ કરતાં વદે છે કે - વિસ્વભાવમર ભવિતભાવ મવમવ૫રમાર્થતર્ધમ્ - ચિનુ - સ્વભાવભરથી ભાવિત ભાવના અભાવ ભાવની પરમાર્થતાથી એક એવા અપાર સમયસારને હું સમસ્ત બંધપદ્ધતિ અપાસ્ત કરીને - દૂર ફગાવી દઈને ચેતું છું - વંધપતિપસ્ય સમસ્તાં તરે સમયસારમાર | - અર્થાત્ “ચિત્' સ્વભાવ એજ આત્માનો સ્વભાવ ભાવ છે, તેના ભરથી - પૂર્ણતાથી ભાવિત થયેલો જે ભાવ - આત્મભાવ છે, તે અભાવ-ભાવરૂપ છે, એટલે કે પરભાવનો ભાવ-હોવાપણું ત્યાં નહિ હોવાથી તે અભાવરૂપ છે અને આત્મભાવનો ભાવ - હોવાપણું હોવાથી તે ભાવરૂપ છે, આમ જ્યાં પરભાવનો અભાવ ને આત્મભાવનો ભાવ છે તે પરમાર્થતાથી એક છે. એવા અપાર - જેનો પાર નથી તે એક - અદ્વૈત સમયસારને - શુદ્ધ આત્માને સમસ્ત બંધ પદ્ધતિને - બંધ પરંપરાને - બંધ શ્રેણીને - બંધ જલને એકી સપાટે અપાસ્ત કરી - દૂર ફગાવી દઈ હું ચેતું છું - શુદ્ધ જ્ઞાન ચેતનાથી ચેતું છું - અનુભવું છું, પ્રત્યક્ષ પ્રગટ જીવન્મુક્ત દશા અનુભવું છું. અથવા ચિતુસ્વભાવના ભરથી - પૂર્ણભાવથી ભાવિત થયેલો જે ભાવ - આત્મભાવ છે, તે તેના અભાવ - ભાવની પરમાર્થતાથી એક છે. અર્થાત્ ચિસ્વભાવથી પૂર્ણ ભાવિત એવો જે શુદ્ધ ચેતનભાવ ૬૯૬
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy