SearchBrowseAboutContactDonate
Page Preview
Page 805
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિટીકાર્ય કારણકે નિશ્ચયે કરીને અને કારણકે અજ્ઞાનમય ભાવથકી જ્ઞાનમય ભાવ થકી જે કોઈ પણ ભાવ હોય છે, જે કોઈ પણ ભાવ હોય છે, તે સર્વ પણ અજ્ઞાનમયપણાને અનતિવર્તતો તે સર્વ પણ જ્ઞાનમયપણાને અનતિવર્તતો અજ્ઞાનમય જ હોય, જ્ઞાનમય જ હોય, તેથી કરીને અજ્ઞાનીના ભાવો તેથી કરીને જ્ઞાનીના ભાવો સર્વે જ અજ્ઞાનમય હોયઃ સર્વે જ જ્ઞાનમય હોય. ૧૨૯ અમૃત જ્યોતિ' મહાભાષ્ય આત્માને વિષે વર્તે છે એવા જ્ઞાની પુરુષો સહજ પ્રાપ્ત પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે, જ્ઞાની સહજ પરિણામી સહજ સ્વરૂપ છે, સહજપણે સ્થિત છે, સહજપણે પ્રાપ્ત ઉદય ભોગવે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૦૭, ૩૭૭ જ્ઞાનીના ભાવ જ્ઞાનમય જ કયા કારણથી હોય ને અન્ય કેમ ન હોય ? અજ્ઞાનીનો આ સર્વ ભાવ અજ્ઞાનમય જ કયા કારણથી હોય ને અન્ય કેમ ન હોય ? એમ ઉત્થાનિકા જ્ઞાનીનો ભાવ જ્ઞાનમય કળશમાં કહ્યું એનો સાવ સીધો સાદો ઉત્તર અત્ર આપ્યો છે અને પરમર્ષિ જ કેમ? અજ્ઞાનીનો આત્મખ્યાતિકર્તાએ તેમાં રહેલો ઉંચામાં ઉંચો ભાવ સાવ સીધી સાદી સરલ સંક્ષિપ્ત સૂત્રાત્મક શબ્દ રચનાથી પ્રવ્યક્ત કર્યો છે. કારણકે નિશ્ચય કરીને અજ્ઞાનમય ભાવથકી જે કોઈ પણ ભાવ હોય છે. તે સર્વ પણ. અજ્ઞાનમયપણાને “અનતિવર્તતો' - અનુલ્લંઘતો - નહિ ઉલ્લંઘતો - જ્ઞાનમયત્વનતિવર્તમાનઃઅજ્ઞાનમય જ હોય, તેથી અજ્ઞાનિના ભાવો - સર્વે જ અજ્ઞાનમય હોય, અને આથી ઉલટું કારણકે જ્ઞાનમય ભાવ થકી જે કોઈ પણ ભાવ હોય છે, તે સર્વ પણ જ્ઞાનવત્વમનતિવર્તમાન. - જ્ઞાનમયપણાને અનતિવર્તતો' - અનુલ્લંઘતો જ્ઞાનમય જ હોય, તેથી જ્ઞાનિના ભાવો સર્વે જ જ્ઞાનમય હોય. અર્થાતુ - અજ્ઞાનમય ભાવ થકી જે કોઈ પણ ભાવ જન્મે છે - ઉદ્દભવ પામે છે. તે સર્વ પણ અજ્ઞાનમયપણાને અતિવર્તતો નથી - ઉલ્લંઘતો નથી, તે સર્વમાં અજ્ઞાનીના સર્વ ભાવ અજ્ઞાનમયપણું અનુવર્તે છે, કાયમ અન્વય - અનુબંધથી ચાલ્યું આવે છે, અજ્ઞાનમયઃ શાનીના એટલે તે અજ્ઞાનમય ભાવથકી જન્મેલો સર્વ કોઈ ભાવ અજ્ઞાનમય જ હોય, સર્વ ભાવ જ્ઞાનમય તેથી કરીને અજ્ઞાનિના ભાવો સર્વે જ અજ્ઞાનમય હોય છે, સર્વ પ્રવાજ્ઞાનમય જ્ઞાનિનો ભાવ: - આ નિશ્ચય છે. આથી ઉલટું. જ્ઞાનમય ભાવ થકી જે કોઈ પણ ભાવ જન્મે છે - ઉદભવ પામે છે. તે સર્વ પણ જ્ઞાનમયપણાને અતિવર્તતો નથી - ઉલ્લંઘતો નથી, તે સર્વમાં જ્ઞાનમયપણું અનુવર્તે છે, કાયમ અનુબંધથી - અન્વય સંબંધથી ચાલ્યું આવે છે, એટલે તે જ્ઞાનમય ભાવ થકી જન્મેલો સર્વ કોઈ પણ ભાવ જ્ઞાનમય જ હોય; તેથી કરીને જ્ઞાનીના ભાવો સર્વે જ જ્ઞાનમય હોય છે; “સર્વ ઈવ જ્ઞાનમય જ્ઞાનીનો માવા:' - આ નિશ્ચય છે. કારણકે “હું દેહાદિથી ભિન્ન અવિનાશી ને ઉપયોગવંત આત્મા છું' એવું ભાન પણ અજ્ઞાનીને હોતું નથી, એટલે અજ્ઞાની અજ્ઞાનમયપણાને કદી અતિવર્તિતો - ઉલ્લંઘતો નહિ હોઈ સદા અજ્ઞાન વર્તુલની મર્યાદામાં જ વર્તે છે, તેથી તેના સર્વ ભાવ અજ્ઞાનમય જ હોય છે. આથી ઉલટું, હું દેહાદિથી ભિન્ન અવિનાશી ને ઉપયોગવંત આત્મા છું એ નિરંતર પરમાર્થ લક્ષ જ્ઞાનીને સદોદિત હોય છે. આ પરમાર્થ ૫૪
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy