SearchBrowseAboutContactDonate
Page Preview
Page 803
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ જ્ઞાનીનો ભાવ જ્ઞાનમય જ ને અજ્ઞાનીનો અજ્ઞાનમય જ કેમ ? એમ નીચેની ગાથાનો ભાવ સૂચવતો ઉત્થાનિકા સમયસાર કળશ (૨૧) કહે છે - आर्या ज्ञानमय एव भावः कुतो भवेत् ज्ञानिनो न पुनरन्यः । अज्ञानमयः सर्व कुतोयमज्ञानिनो नान्यः ॥ ६६ ॥ જ્ઞાનમય જ ભાવ ક્યાંથી, હોય જ્ઞાનિનો ? ન પુનઃ બીજો; અજ્ઞાનમય સૌ ક્યાંથી, અશાનિનો આ ? નહિ જ બીજો. ૬૬ અમૃત પદ-૬૬ જ્ઞાનમય જ ભાવ ક્યાંથી જ્ઞાનીનો ? બીજો ખરે ! ના હોય રે, અજ્ઞાનમય સૌ અજ્ઞાનીનો, ક્યાંથી ? બીજો ના હોય રે... જ્ઞાનમય જ. સમાધાન કરતા આ ભગવાન, જ્ઞાની અમૃત ભાખે રે, જ્ઞાની વિના બીજો કોણ એનું, રહસ્ય આવું દાખે રે ? જ્ઞાનમય જ. અર્થ - જ્ઞાનીનો જ્ઞાનમય જ ભાવ ક્યાંથી હોય ? નહિ કે બીજો, અજ્ઞાનીનો સર્વ આ (ભાવ) અજ્ઞાનમય ક્યાંથી હોય ? નહિ કે બીજો. ૬૬ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય જ્ઞાનીની દશા બહુ જ અદ્ભુત છે, નિરાશ્રય એવા જ્ઞાનીને બધું ય જ્ઞાન છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, ઉપદેશ છાયા, ૩૭૭ જ્ઞાનીનો ભાવ જ્ઞાનમય જ કેમ ? ને અજ્ઞાનીનો અજ્ઞાનમય જ કેમ ? એનો ખુલાસો નીચેની ગાથાઓમાં આવે છે, તેનું સૂચન કરતો આ ઉત્થાનિકા કળશ કહ્યો છે - ज्ञानमय एव भावः कुतो भवेद् ज्ञानीनो न पुनरन्यः - જ્ઞાનીનો ભાવ જ્ઞાનમય જ ક્યાંથી - કયા કારણથી હોય ? પણ અન્ય - બીજો અજ્ઞાનમય ન હોય અને અજ્ઞાનીનો આ સર્વ જ ભાવ અજ્ઞાનમય જ ક્યાંથી - કયા કારણથી હોય ? પણ અન્ય - બીજો જ્ઞાનમય ન હોય. s પર
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy