SearchBrowseAboutContactDonate
Page Preview
Page 788
Loading...
Download File
Download File
Page Text
________________ કત્તકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૧૬-૧૨૦ તારિખ્ય ચાતું અને તેમ હોતાં તો સંસારનો અભાવ હોય; કારણકે કર્મને લઈને જ ચતુર્ગતિભ્રમણરૂપ સંસારનું પ્રવર્તન છે, એટલે જો કર્મનું પ્રવર્તન ન હોય, તો પછી સંસારનું પ્રવર્તન પણ ક્યાંથી હોય ? મૂર્ત નાસ્તિ સુતો શીવ - મૂળ જ ન હોય તો શાખા ક્યાંથી હોય? - હવે “જીવ પુદ્ગલ દ્રવ્યને કર્મભાવે પરિણાવે છે', કામણવર્ગણાને કર્મભાવે પરિણાવે છે, તેથી કરીને “સંસારનો અભાવ નથી' એમ જો તર્ક કરો, તો સામો પ્રશ્ન થાય છે કે - શું “સ્વયં” - આપોઆપ અપરિણમતા - ન પરિણમતા પુદ્ગલદ્રવ્યને જીવ કર્મભાવે પરિણાવે ? કે પરિણમતાને ? પ્રથમ પક્ષ જે કહો, તો “સ્વયં” - પોતે પોતાની મેળે અપરિણમતું - ન પરિણમતું પરથી - બીજાથી પરિણાવી શકાય નહિ, કારણકે “નહિ સ્વતગિત શતિઃ હર્તમન્વેત પર્વેત' - સ્વતઃ સ્વ થકી - પોતા થકી અસતી - નહિ હોતી શક્તિ બીજાથી કરી શકાય નહિ અને સ્વયં – પોતે - આપોઆપ પરિણમતું હોય, તે પર-બીજા પરિણાવનારને અપેક્ષે નહિ, અપેક્ષા રાખે નહિ. કારણકે “ર દિ વસ્તુશવત : પરમપેક્ષતે’ - વસ્તુશક્તિઓ પરને અપેક્ષતી નથી. આમ બન્ને પ્રકારે - અપરિણમતા કે પરિણમતા પુદ્ગલ દ્રવ્યને જીવ કર્મભાવે પરિણમાવે એ બનવું અસંભવિત છે. તેથી ગત્યંતર અભાવથી – બીજી કોઈ ગતિ નહિ હોવાથી પુગલદ્રવ્ય પરિણામસ્વભાવી સ્વયમેવ ભલે હો ! “તતઃ પુત્યુનિદ્રવ્યું પરિણામસ્વમાનં સ્વયમેવાતું' - તેમ હોતાં, “કલશપરિણતા મૃત્તિકા જેમ સ્વયં કલશ' હોય. ઘડા પરિણામે પરિણમેલી માટી જેમ પોતે જ ઘડો હોય, તેમ જડ સ્વભાવી જ્ઞાનાવરણાદિ કર્મપરિણત” તે જ સ્વયં જ્ઞાનાવરણાદિ હોય - જડ સ્વભાવી જ્ઞાનાવરણાદિ કર્મપરિણામે પરિણમેલ તે જ પુદ્ગલદ્રવ્ય સ્વયં – પોતે જ જ્ઞાનાવરણાદિ તે જ પુદ્ગલદ્રવ્ય - સ્વયં પોતે જ જ્ઞાનાવરણાદિ હોય. એમ પુદ્ગલદ્રવ્યનું પરિણામ સ્વભાવપણું સિદ્ધ થયું. અર્થાત્ પરિણામીપણું એ પુદ્ગલ દ્રવ્યનો સ્વભાવ છે, એમ ત્રિકાલાબાધિત નિશ્ચય સિદ્ધાંત સિદ્ધ થયો. આકૃતિ કળશ પરિણત મૃત્તિકા સ્વયં કળશ જ્ઞાનાવરણાદિ કર્મ પરિણત જ્ઞાનાવરણાદિ કર્મ સ્વયં જ્ઞાનાવરણાદિ ૩૭.
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy