SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૯૨ જૂદી નથી, પણ આત્માથી તો નિત્યમેવ અત્યંત ભિન્ન છે, સર્વદા સર્વથા જૂદી જ છે. શીત-ઉષ્ણ નિમિત્તે ઉપજતો તથા પ્રકારનો શીત ઉષ્ણ અનુભવ જેમ આત્માથી અભિન્ન છે - જૂદો નથી, પણ પુદ્ગલથી તો નિત્યમેવ અત્યંત ભિન્ન છે – સર્વદા સર્વથા જૂદો જ છે, તેમ રાગ દ્વેષ-સુખાદિ નિમિત્તે ઉપજતો તથા પ્રકારનો રાગ દ્વેષ-સુખ દુઃખાદિ અનુભવ આત્માથી અભિન્ન છે - જુદો નથી, પણ પુદ્ગલથી તો નિત્યમેવ અત્યંત ભિન્ન છે - સર્વદા સર્વથા જૂદો જ છે. આમ પુદ્ગલ પરિણામરૂપ રાગ દુષ-સુખ દુઃખાદિ આત્માથી સર્વદા સર્વથા ભિન્ન છે. પણ તેના નિમિત્તે ઉપજતો તથા પ્રકારનો આત્મપરિણામરૂપ અનુભવ તો આત્માથી સર્વદા સર્વથા અભિન્ન છે; અર્થાત્ પુદ્ગલ પરિણામરૂપ રાગ દ્વેષાદિ આત્માથી જૂદા છે, પણ તેવા પ્રકારનો અનુભવ તો આત્માથી જૂદો નથી. એટલે પુદ્ગલ પરિણામરૂપ રાગ દ્વેષાદિનો ને તથાવિધ આત્મપરિણામ રૂપ અનુભવનો એ તેનો પ્રગટ ભેદ છે. શીત ઉષ્ણ સુખ દુ:ખ રાગ દ્વેષ અનુભવ અનુભવ પણ જ્ઞાનાતુ - અજ્ઞાનને લીધે એ બન્નેનો પરસ્પર વિશેષનું અનિર્ણાન સતે - “પરસ્પર વિશેષવિજ્ઞને સતિ', એ બન્નેના એક બીજા સાથેના ભેદનું નિશ્ચય રૂપ જ્ઞાન આશાનને લીધે ભેદ અશાન નહિ હોવાથી, આત્મા તે બન્નેનો “એકત્વઅધ્યાસ કરે છે - સતે એકત્વ અધ્યાસથી “છવધ્યાસાત'. અર્થાત પુદગલપરિણામરૂપ રાગ દ્વેષાદિ અવસ્થાનું અને અજ્ઞાની રાગાદિ કર્મનો કર્તા તેવા તેના આત્મપરિણામરૂપ અનુભવનું એકપણું માની બેસે છે. એટલે પગલ પરિણામ અવસ્થારૂપ શીતોષ્ણરૂપે જેમ આત્માથી પરિણમવું અશક્ય છે, તેમ પુદ્ગલ પરિણામ અવસ્થારૂપ રાગ-દ્વેષ-સુખ દુઃખાદિરૂપે આત્માથી પરિણમવું અશક્ય છે, છતાં આત્મા રાગદ્વેષ-સુખ દુઃખાદિરૂપે “અજ્ઞાનાત્માથી પરિણમે છે, રાગ દ્વેષ-સુખ દુઃખાદિરૂપ અજ્ઞાનાત્મક - અજ્ઞાન સ્વરૂપ આત્મભાવે પરિણમે છે અને આમ “જ્ઞાનસ્થ મજ્ઞાનવં પ્રશ્રટીર્વન’ જ્ઞાનનું અજ્ઞાનપણું પ્રકટ કરતો આ “સ્વયં અજ્ઞાનમયીભૂત” - “સ્વયમ પ્રજ્ઞાનમીમૂત:' - પોતે અજ્ઞાનમય થઈ ગયેલો આત્મા, “Uણોઢું રળે ત્યાદિ વિધિના' - “આ હું રેજું છું' - રાગ કરૂં છું ઈત્યાદિ વિધિથી જ્ઞાનવિરુદ્ધસ્ય જ્ઞાનવિરુદ્ધ એવા રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે. રાવે વળ: 7 પ્રતિમતિ . અર્થાત્ જેમ કોઈ પુરુષ શીતોષ્ણરૂપ પુદ્ગલ - પરિણામ અવસ્થાનો અને તથાવિધ શીતોષ્ણ અનુભવનો અજ્ઞાનને લીધે ભેદ નહિ જાણતો હોઈ એકત્વ અધ્યાસને લીધે બન્નેપણું એકપણું અનુભવતો “હું શીત હું ઉષ્ણ” એવા પ્રકારે શીત-ઉણ પરિણતિનો કર્તા હોય છે; તેમ આ આત્મા પણ રાગ દ્વેષ-સુખ દુઃખાદિરૂપ પુદ્ગલપરિણામ અવસ્થાનો અને તથાવિધ અનુભવનો અજ્ઞાનને લીધે ભેદ નહિ જાણતો હોઈ એકત્વ અધ્યાસને લાધે બન્નેનું એકપણું માની બેસી, ‘હું રાગી - હું દ્રષી, હું સુખી - હું દુઃખી” ઈત્યાદિ પ્રકારે રાગ-દ્વેષાદિ અજ્ઞાન ભાવે પરિણમતો સતો જ્ઞાનથી વિરુદ્ધ એવા રાગદ્વેષાદિ અજ્ઞાન પરિણતિરૂપ કર્મનો કર્તા હોય છે. ( HE/ પર પુદ્ગલ જીવ ૫૬૫
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy