SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્થ કારણકે આ અધ્યવસાનાદિ સમસ્ત જ ભાવો ભગવદ્ વિશ્વસાક્ષી અતોથી પુદ્ગલ દ્રવ્ય-પરિણામમયપણે પ્રજ્ઞપ્ત કરાયેલા (જણાવાયેલા) હોઈ - ચૈતન્યશૂન્ય પુદ્ગલ દ્રવ્યથી અતિરિક્તપણે પ્રજ્ઞાપવામાં આવી રહેલું જીવ દ્રવ્ય હોવાને ઉત્સહતા નથી (ઉત્સાહ કરતા નથી, સમર્થ થતા નથી), તેથી કરીને આગમ, યુક્તિ અને સ્વાનુભવથી બાધિતપક્ષપણાને લીધે તદાત્મવાદીઓ (તે તે પરભાવોને આત્મા કહેનારા) નિશ્ચયે કરી પરમાર્થવાદીઓ નથી, પ્રથમ તો આ જ સર્વજ્ઞ વચન તે આગમ છે અને આ તો સ્વાનુભવ ગર્ભિતા યુક્તિ છે. ૧. નૈસર્ગિક રાગદ્વેષથી કલુષિત અધ્યવસાન નિશ્ચયે કરીને જીવ નથી, તથાવિધ અધ્યવસાનથી અતિરિક્તપણે શ્યામિકાથી (મલિનતાથી) સુવર્ણની જેમ અન્ય એવા ચિત્ સ્વભાવનું વિવેચકોથી સ્વયં ઉપલભ્યમાનપણું (અનુભવાઈરહ્યાપણું) છે, માટે ૨. અનાદિઅનંત પૂર્વોપરભૂત અવયવવાળી એક સંસરણ લક્ષણ ક્રિયારૂપે ક્રીડંતું (ક્રીડા કરતું) કર્મ જ નિશ્ચયે કરીને જીવ નથી, કર્મથી અતિરિક્તપણે અન્ય એવા ચિસ્વભાવનું વિવેચકોથી સ્વયં ઉપલભ્યમાનપણું છે માટે, ૩. તીવ્ર-મંદ અનુભવથી ભેદ પામી રહેલા દુરંત રાગરસથી નિર્ભર અધ્યવસાન સંતાન નિશ્ચયે કરીને જીવ નથી, ૪. ૫. તેનાથી અતિરિક્તપણે અન્ય એવા ચિત્ સ્વભાવનું વિવેચકોથી સ્વયં ઉપલભ્યમાનપણું છે માટે, ૭. નવ-પુરાણ આદિ અવસ્થા ભેદથી પ્રવર્તી રહેલું નોકર્મ નિશ્ચયે કરીને જીવ નથી, શરીરથી અતિરિક્તપણે અન્ય એવા ચિસ્વભાવનું વિવેચકોથી સ્વયં ઉપલભ્યમાનપણું છે માટે, વિશ્વને પણ પુણ્ય-પાપ રૂપે આક્રામતો કર્મવિપાક નિશ્ચયે કરીને જીવ નથી, શુભાશુભ ભાવથી અતિરિક્તપણે અન્ય એવા ચિત્સ્વભાવનું વિવેચકોથી સ્વયં ઉપલભ્યમાનપણું છે માટે, ૬. સાત-અસાતરૂપથી અભિવ્યાપ્ત સમસ્ત તીવ્રત્વ-મંદત્વ ગુણથી ભેદાતો કર્માનુભવ નિશ્ચયે કરીને જીવ નથી - શુભાશુભ ભાવથી અતિરિક્તપણે અન્ય એવા ચિત્ત્વભાવનું વિવેચકોથી સ્વયં ઉપલભ્યમાનપણું છે માટે, શીખંડ જેમ ઉભયાત્મકપણાથી આત્મ-કર્મ ઉભય નિશ્ચયે કરીને જીવ નથી, કાર્ત્યથી (સમગ્રપણે) કર્મથી અતિરિક્તપણે અન્ય એવા ચિત્ત્વભાવનું સ્વયમુવતમ્યમાનત્વાવિતિ - કર્મસંયોગથી અતિરિક્તપણે - અધિકપણે - અલગપણે અન્ય એવા ચિસ્વભાવના વિવેચકોથી સ્વયં ઉપલભ્યમાનપણાને લીધે - અનુભવાઈ રહ્યાપણાને લીધે, કોની જેમ ? હાશાયિન: પુરુષસ્ચેવાદાઇસંયોગાત્ અષ્ટ કાષ્ઠ સંયોગથી (અતિરિક્તપણે) ખટ્ટાશાયી - ખાટલીમાં શયન કરનારા પુરુષની જેમ. હૈં હતુ - અહીં ખરેખર ! નિશ્ચયે કરીને પુરાતમિત્રાભોપતધ્ધિ પ્રતિ વિપ્રતિષત્રઃ - પુદ્ગલથી ભિન્ન આત્માની ઉપલબ્ધિ અનુભૂતિ - પ્રાપ્તિ પ્રતિ - પરત્વે વિપ્રતિપત્ર - વિરુદ્ધ માન્યતા ધરાવનારો સાનૈવૈવમનુશાસ્ત્ર: - સામથી જ - સમજાવટથી જ એમ – આ નીચેના કળશમાં કહેવામાં આવે છે તેમ અનુશાસ્ય - અનુશાસન - ઉપદેશ કરવા યોગ્ય છે. // કૃતિ ‘આત્મવ્યાતિ' ગાભમાવના ||૪૪|| ૩૬૪
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy