SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મા જ અનુસૂત-અનુસૂત્રિત છે. એટલે દ્વાદશાંગીના પરમ રહસ્યભૂત કેવલ એક શુદ્ધ આત્માનો જેણે અનુભવ કર્યો, તેણે સર્વ જિનશાસનનો અનુભવ કર્યો. આ નિશ્ચય વાર્તા પરમ પ્રમાણ છે. જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિં કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાયિ.” - શ્રીમદ્ રાજચંદ્રજી કારણકે શ્રુતજ્ઞાન એ પોતે જ આત્મારૂપ છે, માટે જ્ઞાનાનુભવ એ જ આત્માનુભવ છે ને આત્માનુભવ એ જ જ્ઞાનાનુભવ છે. આમ છે તો પણ ત્યારે સામાન્યવિશેષવિમાવતિરોમાવાસ્યાનમૂયમાનમ: - સામાન્યના આવિર્ભાવથી અને વિશેષના તિરોભાવથી અનુભવાતું - છતાં જ્ઞાન અબુદ્ધ લુબ્ધોને સ્વાદમાં આવતું નથી - જ્ઞાનવૃદ્ધતુચ્છાનાં ર તે - અર્થાતુ સામાન્યના પ્રગટપણાથી અને વિશેષના અપ્રગટપણાથી જ્ઞાનનો અનુભવ થાય છે, છતાં શેયલુબ્ધ એવા અબુદ્ધ-અબૂઝ-અજ્ઞાન જનો છે, તેઓને ત્યારે તે અજ્ઞાન દશામાં તેવું જ્ઞાન સ્વાદમાં આવતું નથી, તેવા પ્રકારે જ્ઞાનનો અનુભવાસ્વાદ થતો નથી. આ વસ્તુ દિવ્ય દેણ પરમ આત્મજ્ઞાની અમૃતચંદ્રજીએ લવણના દાંતે સાંગોપાંગ બિંબ-પ્રતિબિંબ ભાવથી અપૂર્વ રીતે વર્ણવી પરિસ્લિટ કરી છે. તે આ પ્રકારે - લવણ - મીઠું છે. તેમાં વિચિત્ર-નાના પ્રકારના વ્યંજનોનો - મસાલાનો સંયોગ થાય, તેથી સામાન્યનો તિરોભાવ (અપ્રગટપણ) અને વિશેષનો આવિર્ભાવ (પ્રગટપણ) વ્યંજનમિશ્ર લવણનું દૃષ્ટાંત - આ ઉપજે છે, અને તેવા પ્રકારે અર્થાત્ સામાન્યઅબુદ્ધ રોયલુબ્ધોને શાન વિશેષતિરોમાવાવિવાખ્યામનુભૂમાનં તવ સામાન્યના તિરોભાવથી સ્વાદમાં આવતું નથી (અપ્રગટપણાથી) અને વિશેષના આવિર્ભાવથી (પ્રગટપણાથી) અનુભવાઈ રહેલું તે લવણ અબુદ્ધ એવા વ્યંજનલુબ્ધ લોકોને સ્વાદમાં આવે છે, એવુદ્ધનાં અન્નનgધાનાં વતે, પણ અન્ય સંયોગ વિના ઉપજેલા સામાન્યના આવિર્ભાવ - પ્રગટપણા અને વિશેષના તિરોભાવથી - અપ્રગટપણાથી સ્વાદમાં આવતું નથી - ૧ પુનરચાં યશૂન્યતોપણીતસામાન્યવિશેષાવિર્ભાવતિરોમાવાગ્યાં . એટલે કે જે મસાલાના સ્વાદીયા - “યંજનલુબ્ધ અબુદ્ધ' જનો છે, તેને મીઠું તેના મૂળ સામાન્ય સ્વભાવે અનુભવમાં - સ્વાદમાં આવતું નથી, પણ તેના વિશેષ એવા મસાલા મિશ્ર સ્વભાવે અનુભવમાં - સ્વાદમાં આવે છે. અર્થાતુ વ્યંજનલુબ્ધ સ્વાદીયા લોકો લવણના મૂળ સામાન્ય સ્વભાવને ચાખતા નથી, પણ વિશેષ વ્યંજન મિશ્ર સ્વભાવને ચાખે છે. યુવ વિશેષાવિનાનુમૂથમાનં તવ - અને જે વિશેષના આવિર્ભાવથી - (પ્રગટપણાથી) અનુભવાઈ રહેલું લવણ છે, તે જ સામાન્યના આવિર્ભાવથી અનુભવાતું હો કે વિશેષથી અનુભવાતું હો, પણ લવણ તો તેનું તેજ છે, તેના લવણપણામાં કાંઈ ફેર પડતો નથી, એટલે કે વ્યંજનનો - મસાલાનો ખ્યાલ છોડી વિશેષથી ચાખવામાં આવતા લવણનો જે સ્વાદ છે તે જ સામાન્યથી રાખવામાં આવતા લવણનો સ્વાદ છે. લવણ તો તેનું તે જ છે. મૂળ લવણ સ્વભાવ અપેક્ષીને ચાખવામાં આવતા લવણપણાના - ખારાપણાના સ્વાદમાં કાંઈ ફેર પડતો નથી તેમ, વિવિત્રણેય%િારવિતતોપગતિસામાન્ય- વિશેષતિરોમાવાવિવાગ્યાનનુમૂયમાન જ્ઞાન, વિચિત્ર - નાના પ્રકારના શેય-જાણવા યોગ્ય પદાર્થો છે, તેના આકારના કરંબિતપણાથી - સંમિશ્રણપણાથી - શંભુમેળા રૂપ સેળભેળપણાથી ઉપજેલો જે સામાન્યનો તિરોભાવ (ઢંકાઈ જવાપણું) અને વિશેષનો આવિર્ભાવ (ખુલ્લું થવાપણું), તેથી અનુભવાતું રહેલું જ્ઞાન યલુબ્ધ અબુદ્ધોને સ્વાદમાં આવે છે, નવુદ્ધાનાં સૈયgવસ્થાનાં વતે - પણ અન્ય સંયોગની શૂન્યતાથી ઉપજેલા સામાન્યના આવિર્ભાવથી અને વિશેષના તિરોભાવથી સ્વાદમાં આવતું નથી, ન પુનર સંયો શૂન્યતોપગાતસામાન્ય "ज्ञाते ज्ञातमशेषं दृष्टे दृष्टं च शुद्धचिद्रूपे । નિ:શેષોમ્બવિષથી વઘી યજ્ઞ તમિનો ” - શ્રી પદ્મનંદિ પં. નિશ્ચય પંચાશત, ૧૫ ૧. શુદ્ધનય જ, નિશ્ચય નય જ. ૧૮૮
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy