SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩ ક્ષેત્રમાં અત્યંત નિકટપણે વર્તતા આ અર્થો પરસ્પર ગાઢ મિલન રૂપ એકક્ષેત્રાવગાહ સ્થિતિ કરી રહ્યા છે. જેમકે - જીવ અને પુદ્ગલ એક દેહમાં દૂધને પાણી જેમ એક્બીજા સાથે ગાઢપણે મળી રહ્યા છે, છતાં એકબીજાથી જૂદાને જૂદા જ વર્તે છે અને સ્વરૂપથી પતન પામતા નથી, પોતાના સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી વ્યુત થતા નથી, સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો ત્યાગ કરતા નથી, એટલું જ નહિ, પણ તે પરરૂપે પરિણમતા પણ નથી, અર્થાત્ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને પામતા નથી. જડ ચેતન બનતું નથી ને ચેતન જડ બનતું નથી, જડ જડભાવે જ પરિણમે છે, ચેતન ચેતનભાવે જ પરિણમે છે, કોઈ પોતપોતાનો સ્વભાવ છોડીને પલટતું નથી, જડ તે ત્રણે કાળમાં જડ જ રહે છે, ચેતન તે ત્રણે કાળમાં ચેતન જ રહે છે અને તેમાં પણ ધર્માસ્તિકાય તે ત્રણે કાળમાં સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ધર્માસ્તિકાય જ રહે છે, અધર્માસ્તિકાય તે ત્રણે કાળમાં સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અધર્માસ્તિકાય જ રહે છે, આકાશાસ્તિકાય તે ત્રણે કાળમાં સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી આકાશાસ્તિકાય જ રહે છે, પુદ્ગલાસ્તિકાય તે ત્રણે કાળમાં સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી પુદ્ગલાસ્તિકાય જ રહે છે, જીવાસ્તિકાય તે ત્રણે કાળમાં સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી જીવાસ્તિકાય જ રહે છે અને કાળ તે ત્રણે કાળમાં સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી કાળ દ્રવ્ય જ રહે છે. કોઈ પણ દ્રવ્ય કોઈ પણ પરરૂપે પરિણમતું નથી, ‘વરરૂપેળાપરિણમનાત્ ।' આમ પરરૂપે અપરિણમનને લીધે પ્રત્યેક અર્થનું-દ્રવ્યનું વ્યક્તિત્વ નાશ પામતું નથી, એટલે અવિનાનંતવ્યક્તિત્વાત્ આ અર્થોનું અવિનષ્ટ અનંત વ્યક્તિત્વ (Indiaviduality) જળવાઈ રહે છે. એથી કરીને તેઓ જાણે ટંકોત્કીર્ણ હોય એમ સ્થિતિ કરી રહ્યા છે, ટોળીń વ તિતઃ ।' - ટાંકણાથી ખડકમાં કોતરી કાઢેલ ચક્રવર્તીનો શિલાલેખ જેમ ચિરકાળ પર્યંત જેમનો તેમ જ અવસ્થિત રહે, તેમ આ પ્રત્યેક અર્થ-દ્રવ્ય રૂપ સ્વધર્મ ચક્રવર્તીનો સ્વરૂપ-શિલાલેખ ત્રણે કાળમાં જેમનો તેમ જ અવસ્થિત રહે છે. આ સર્વના પરમ નિષ્કર્ષ રૂપ એવું પરમ આત્મદ્રષ્ટા - શ્રીમદ્ રાજચંદ્રજીનું ટંકોત્કીર્ણ અનુભવ-વચનામૃત આ ‘મહાભાષ્યના' (વિવેચનના) મથાળે ટાંક્યું છે. આમ આ સર્વ અર્થો-દ્રવ્યો સ્વરૂપથી નહિ પડતા અને પરરૂપે નહિ પરિણમતા એવા સ્વતંત્ર દ્રવ્યો છે, એટલે તે કાંઈ અકિંચિત્ કરે છે એમ નથી; કાંઈ નથી કરતા એમ નથી, પણ સમસ્ત વિરુદ્ધાવિરુદ્ધ कार्यहेतुतया સમસ્ત વિરુદ્ધ-અવિરુદ્ધ કાર્યકેતુતાએ - કારણપણાએ કરીને સદાય નિરંતર વિશ્વને અનુગ્રહે છે,* અનુગ્રહ ઉપકાર કરે છે, શવદેવ વિશ્વમનુĮહતો । કારણકે પ્રત્યેક અર્થ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી અસ્તિ છે-હોવાપણા છે, રૂપ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી નાસ્તિ છે નહિ હોવાપણા રૂપ છે, એટલે સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવના અસ્તિપણાએ કરી સ્વરૂપ કાર્ય કરવાપણાને લીધે તેને અવિરુદ્ધ કાર્યનું હેતુપણું હોય છે અને ૫૨દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવના નાસ્તિપણાએ કરી પરરૂપ કાર્ય નહિ કરવાપણાને લીધે વિરુદ્ધ કાર્યનું હેતુપણું પણ તદ્ન સમયે જ હોય છે, આમ સમસ્ત વિરુદ્ધ-અવિરુદ્ધ કાર્ય હેતુતાથી તે શશ્વદેવ-સદાય વિશ્વને અનુગ્રહે છે. અર્થાત્ પ્રત્યેક અર્થ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવના સદાય અસ્તિપણાથી આત્મસ્વરૂપથી અવિરુદ્ધ અખંડ વિશ્વવ્યવસ્થાની જાળવણીમાં પ્રત્યેક દ્રવ્યનો ફાળો - - પર આશ્રિત વ્યવહારનયને આશ્રીને વિચારીએ તો - સર્વદ્રવ્યોને પોતામાં અવગાહ-અવકાશ આપવો તે આકાશનો ઉપકાર છે, ગતિ પરિણિત દ્રવ્યને, મીનને જલની જેમ ઉદાસીનપણે સહાય કરવી તે ‘ધર્માસ્તિકાય’નો ઉપકાર છે, સ્થિતિ પરિણત દ્રવ્યને, પથિકને છાંયડાની જેમ, ઉદાસીનપણે સહાય કરવી તે અધર્માસ્તિકાયનો ઉપકાર છે, શરીર, વાણી, પ્રાણાપાન, મન, સુખ દુઃખ, જીવિત-મરણ એ પુદ્ગલોનો ઉપકાર છે, હિતાહિતોપદેશ વડે કરીને જીવોનો પરસ્પર ઉપકાર છે, સર્વ દ્રવ્યોનું પરિવર્તન કરવા રૂપ વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વાપરંત્વ એ કાળનો ઉપકાર છે. અથવા ટૂંકામાં શ્રી બનારસીદાસજીએ કહ્યું છે તેમ - ‘‘સમતા રમતા ઊરધતા, શાયકતા સુખભાસ, વેદકતા ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. તનતા મનતા વચનતા, જડતા જડ સમ્મેલ, લઘુતા ગુરુતા ગમનતા, એ અજીવ કે ખેલ.’’ - શ્રી બનારસીદાસજી કૃત સમયસાર નાટક, ઉપોદ્ઘાત e
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy