SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ३२, नैयायिक दर्शन પણ પ્રતિવાદિ કોઈ ઉત્તર આપતો ન હોય તો, ઉત્તરને નહીં આપતો પ્રતિવાદિ દૂષણનું સ્થાન શું કહે ? અર્થાત્ પ્રતિવાદિ દૂષણ બતાવી શકતો નથી, માટે મૌન સેવે છે. (ન્યાયસૂત્ર : વિજ્ઞાતસ્ય પરિષવા ત્રિિિહતસ્યાયનુØારળમનનુમાષમ્ II૫-૨-૧૯॥ અર્થ સ્પષ્ટ છે.) २४९ (૧૫) અજ્ઞાન નિગ્રહસ્થાન : સભાવડે જાણેલા પણ વાદિના વાક્યાર્થને જે પ્રતિવાદિ જાણી શકતો નથી અર્થાત્ અજ્ઞાન છે, તે અજ્ઞાન નામનું નિગ્રહસ્થાન કહેવાય છે. એટલે કે વિષયનું જ જેને અજ્ઞાન હોય તે ઉત્તર કેવી રીતે આપી શકે ? અર્થાત્ ન જ આપી શકે. પ્રશ્ન ઃ અનનુભાષણ અને અજ્ઞાન બંને નિગ્રહસ્થાનમાં પ્રતિવાદિ ઉત્તર આપતો નથી. તો બંને એક જ નિગ્રહસ્થાન થવા જોઈએ, ભિન્ન ન થવા જોઈએ. તો બંનેનું પૃથક ઉપાદાન શા માટે કર્યું છે ? ઉત્તર : અજ્ઞાનનિગ્રહસ્થાન અનનુભાષણ નિગ્રહસ્થાન નથી. કારણકે અનનુભાષણમાં પ્રતિવાદિ વસ્તુને જાણતો હોવા છતાં ઉત્તર આપતો નથી, જ્યારે અજ્ઞાન નામના નિગ્રહ સ્થાનમાં પ્રતિવાદિ વસ્તુને જાણતો જ નથી. અને તેથી ઉત્તર આપતો નથી. બંને વચ્ચેના આ તફાવતના કારણે પૃથક્ ઉપાદાન કરેલ છે. (૧૭) અપ્રતિભા નિગ્રહસ્તાન : ૫૨૫ક્ષ ગ્રહણ ક૨વા છતાં, તેના વિશે બોલતે છતે, જે ઉત્તરની પ્રતિપત્તિ ન કરવી તેને અપ્રતિભા નામનું નિગ્રહસ્થાન થાય છે. કહેવાનો આશય એ છે કે પ્રતિવાદિએ વાદિના હેતુનું જે ખંડન કર્યું હોય તે વાદિ સમજી તો શકે, પણ એનો હવે ઉત્તર શો આપવો તે વાદિ ન સમજી શકે તો વાદિને અપ્રતિભા નામનું નિગ્રહસ્થાન આવી પડે છે અને તેથી તેનો પરાજય થાય છે. તે જ રીતે વાદિનું કથન સમજવા છતાં તેનો ઉત્તર શો આપવો ? તે જો પ્રતિવાદિને ન સૂઝે તો પ્રતિવાદિ અપ્રતિભા નામના નિગ્રહસ્થાનમાં આવી પડે છે અને તેનો પરાજય થાય છે. (ન્યાયસૂત્ર : ઉત્તરસ્યાપ્રતિપત્તિરપ્રતિમા II૫-૨-૧૯॥ અર્થ સ્પષ્ટ છે.) (૧૭) વિક્ષેપ નિગ્રહસ્થાન : કોઈપણ કાર્યનું બહાનું કાઢી કથાનો વિચ્છેદ કરવો તેનું નામ ‘વિક્ષેપ’ નિગ્રહસ્થાન છે. કહેવાનો આશય એ છે કે વાદિ અથવા પ્રતિવાદિ સિદ્ધ કરવાની ઇચ્છાવાળા અર્થની અશક્યસાધનતા જાણીને કથાનો છેદ કરે છે. અર્થાત્ વાદિ કે પ્રતિવાદિ પોતાના સાધનને
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy