SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन २१३ અહીં ચાક્ષુષત્વહેતુ પક્ષ (શબ્દ)માં નથી. કારણકે ચાક્ષુષત્વરૂપમાં હોય છે.) આથી “ચાક્ષુષત્વ હેતુ અસિદ્ધ છે. ભાવાર્થ: પક્ષમાં જેમ વહ્નિ આદિ સાધ્ય હોય છે. તેમ સાધ્યને સિદ્ધ કરવા આપેલો હેતુ પણ જો સિદ્ધ કરવા યોગ્ય હોય, અર્થાત્ સિદ્ધ ન હોય (અસિદ્ધ હોય), તો તે સાધ્યનો સાધક બની શકતો નથી. જે સિદ્ધ હોય તે જ હેતુ બની શકે છે. અસિદ્ધ નહીં. જેમકે, ચિંકાયા તિમત્તા અહીં છાયા પક્ષ છે. દ્રવ્યત્વ સાધ્ય છે. “ગતિમત્ત્વ' હેતુ છે. છાયા એ દ્રવ્ય છે. કારણકે તેમાં ગતિમત્વ છે. અહીં ‘ગતમિત્ત્વ” હેતુ અસિદ્ધ છે. કારણ કે છાયામાં ગતિ છે કે નહીં ? તે સિદ્ધ કરવાનું છે. જ્યાં સુધી છાયામાં ગતિ સિદ્ધ ન થાય ત્યાં સુધી છાયામાં ‘દ્રવ્યત્વ સિદ્ધ થઈ શકે નહીં. પ્રકાશનો જે અભાવ છે, તે છાયા છે. માટે તેમાં ગતિ હોઈ શકે નહિ. છાયા ચાલતી દેખાય છે તે ભ્રમ છે. દ્રવ્યમાં જ ગુણ અને ક્રિયા રહી શકે છે. છાયા તો પ્રકાશનો અભાવ હોવાથી ગુણ કે ક્રિયા નથી. છાયામાં અને અંધકારમાં કોઈપણ જાતનું રુપ નથી. કારણ કે કોઈપણ કાળી અથવા રુપવાળી વસ્તુ જોવા માટે બાહ્ય પ્રકાશની જરૂર જ પડતી નથી. છાયા એ પણ આછો અંધકાર જ છે. આથી છાયા દ્રવ્ય જ નથી. તેમ તેમાં ગતિ હોઈ શકે જ નહિ. માટે “ગતિમત્ત્વ” હેતુ અસિદ્ધ (સાધ્યમ) હેત્વાભાસ છે. ન્યાયવાર્તિક તથા વિશ્વનાથવૃત્તિ આદિ ગ્રંથોમાં અસિદ્ધ હેત્વાભાસના (અ) આશ્રયાસિદ્ધિ, (બ) સ્વરુપાસિદ્ધિ, (ક) વ્યાપ્યત્વાસિદ્ધિ, આ ભેદ પાડેલ છે. પરંતુ ન્યાયસૂત્ર, તેના ઉપરના ભાષ્યમાં અને આ ગ્રંથ ષડ્રદર્શન સમુચ્ચયમાં અસિદ્ધ (સાધ્યમ) હેત્વાભાસના ત્રણભેદ કર્યા નથી. આ ત્રણ ભેદો તર્કસંગ્રહમાં ન્યાયબોધિનીકારે આપેલ છે. તે ટુંકમાં જોઈએ. | આશ્રયાસિદ્ધિ : આશ્રલિજિન ઘટતવાદ પક્ષિિક્ત: | અર્થાત પક્ષતાવરછેદક વિશિષ્ટપક્ષની અપ્રસિદ્ધિને “આશ્રયાસિદ્ધિ' કહેવાય છે. સરળભાષામાં કહીએ તો યાહ્ય દેતો: પક્ષોગપ્રસિદ્ધ: તમાશ્રયસિદ્ધિ: - જે હેતુનો પક્ષ અપ્રસિદ્ધ હોય તે આશ્રયાસિદ્ધિ કહેવાય છે. જેમકે “ રવિન્દ્ર સુર મરવિન્દ્ર” અહીં “અરવિન્દ્રત્વ” હેતુનો પક્ષ “નાવિન્ટ’ અપ્રસિદ્ધ છે. આથી ‘કવિત્વ’ હેતુ આશ્રયાસિદ્ધ છે. (બ) સ્વરુપાસિદ્ધિ વપૂિિદ્ધ પક્ષ દેત્વભાવ: (અર્થાત તો દેતુઃ gશે વર્તત પદ્ધિ:) | - જે હેતુ પક્ષમાં ન હોય તે સ્વરુપાસિદ્ધિ કહેવાય છે. જેમકે ‘શો પુનશ્ચાદ્ભુપત્નીતુ, પવ' - અહીં વાસુપુત્વ હેતુ શબ્દ-પક્ષમાં વર્તતો નથી. કારણકે વાયુપુત્વ હેતુ રુપમાં હોય છે, શબ્દમાં હોતો નથી. આથી “ચાક્ષુષત્વ હેતુ સ્વરુપાસિદ્ધ છે. (C) વ્યાપ્યત્વાસિદ્ધિઃ સોપધો દેતુર્થાપ્યત્વાદ્ધિઃ ઉપાધિસહિત હેતુને વ્યાપ્યત્વાસિદ્ધ કહેવાય છે. Hષ્યવ્યાપૂછત્વે ક્ષત્તિ સાધનાધ્યાપછWITTધઃ - અર્થાતું જેમાં સાધ્ય વ્યાપક હોય અને સાધન અધ્યાપક હોય તે ઉપાધિ કહેવાય છે. સાધ્યાધિકરણવૃત્તિ અત્યન્તાભાવી પ્રતિયોગિતાનો અભાવ જેમાં છે તે “સાધ્ય વ્યાપક છે. અને સાધનાકિરણવૃત્તિ અત્યાન્તાભાવીય પ્રતિયોગિતા જેમાં છે તે સાધનાવ્યાપક છે. જેમકે “ઉર્વતો ઘૂમવાનું વદને ” – અહીં “આર્દ્રધનસંયોગ' ઉપાધિ છે. સાધ્ય ધૂમાધિકરણમાત્રમાં આર્દ્રધનસંયોગનો અભાવ નથી. પરંતુ ઘટાદિનો અભાવ છે. તાદશઘટાઘભાવીય પ્રતિયોગિતાનો અભાવ આર્દશ્વન સંયોગમાં છે. આથી સાધ્ય ધૂમનું વ્યાપકત્વ આäધનસંયોગમાં છે. અને જે યત્ર યંત્ર ઘૂમતત્ર તત્રર્કેચનસંયો: ઇત્યાકારક વ્યાપ્તિથી સમજી શકાય છે. સાબવહુન્યધિકરણ અયોગોલકમાં આર્ટેબ્ધન સંયોગનો અભાવ છે. તાદશ અભાવીય પ્રતિયોગિતા આર્મેન્યન સંયોગમાં હોવાથી સાધન (વહિનનું) અવ્યાપકત્વ આડેંન્ધનસંયોગમાં છે. જે વત્ર પત્ર વદનતંત્ર નાર્વેલ્પલંગ: વથા મોrોટèા આ વ્યાપ્તિથી સમજી શકાય છે. આથી આર્દ્રધનસંયોગ ઉપાધિ છે અને તાદશઉપાધિવિશિષ્ટ વહિન હેતુ વ્યાપ્યત્વાસિદ્ધ છે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy