SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक -६, बोद्धदर्शन પૃથ્વી આદિ ચાર ધાતુઓ તથા રૂપાદિ વિષયો રૂપસ્કન્ધ કહેવાય છે. આ પાંચસ્કન્ધો જ સંસારિજીવોનું દુ:ખ છે. આ પાંચ “સ્કન્ધોથી અતિરિક્ત સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, જ્ઞાનના આધારભૂત આત્માનામનો કોઈ પદાર્થ પ્રત્યક્ષથી જણાતો નથી. અનુમાનથી પણ (સ્કન્ધોથી અતિરિક્ત) આત્મા નામનો પદાર્થ જણાતો નથી, કારણ કે આત્માને ગ્રહણ કરનાર અવ્યભિચરિતલિંગનો જ અભાવ છે. તથા પ્રત્યક્ષ અને અનુમાનથી અતિરિક્ત વસ્તુને સિદ્ધ કરનાર અવિસંવાદિ બીજું પ્રમાણ નથી. વળી તે પાંચ ઉપાદાનસ્કન્ધો ક્ષણમાત્ર રહેનારા જ જાણવાં, પરંતુ નિત્ય નથી. અથવા તો કેટલોકકાલ રહેનારા જાણવા, પરંતુ નિત્ય નથી. આ સર્વસંસ્કારો ક્ષણિક છે તે આગળ બતાવાશે. Iપી. दुःखतत्त्वं पञ्चभेदतयाभिधायाथ दुःखतत्त्वस्य कारणभूतं समुदयतत्त्वं व्याख्यातिદુઃખતત્ત્વને પાંચ ભેદથી કહીને, હવે દુ:ખતત્ત્વના કારણભૂત “સમુદય' તત્ત્વની વ્યાખ્યા કરાય છે.” समुदेति यतो लोके रागादीनां गणोऽखिलः । માત્માત્મીયમવાધ્ય: સમુદાય: સાકૃતઃ Tદ્દા શ્લોકાર્થ : જે કારણથી જગતમાં ‘હું છું.” અને “આ મારું છે.” ઇત્યાદિ આત્મીયભાવસ્વરૂપ (અહંકારસ્વરૂપ) રાગાદિભાવોનો (૩૩)સમુદાય ઉત્પન્ન થાય છે, તે સમુદય કહેવાય છે. (૩૨) નામ-જાત્યાદિ યોજનારહિત નિર્વિકલ્પક જ્ઞાન વિજ્ઞાન છે. નામ-જાત્યાદિ યોજનાસહિત સવિકલ્પક જ્ઞાન સંજ્ઞા' છે. અર્થાત્ પદાર્થના સાક્ષાત્કારને પણ સંજ્ઞા કહેવાય છે. જે વસ્તુમાં ગુરુત્વ હોય અને સ્થાન રોકતી હોય તે વસ્તુને રૂપ કહેવાય છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને તજ્જન્ય શરીર રૂપ કહેવાય છે. રૂપથી વિરુદ્ધધર્મો ધરાવતું અર્થાત્ ગુરુ ન હોય અને સ્થાન ન રોકે તે દ્રવ્ય “નામ' કહેવાય છે. કામ અર્થાત્ મન અને માનસિકપ્રવૃત્તિઓ. બૌદ્ધમત મુજબ આત્મા નામરૂપાત્મક છે, એટલે કે શરીર, મન, ભૌતિક તથા માનસિક પ્રવૃત્તિઓના સમુચ્ચયસ્વરૂપ છે. પરંતુ સ્વતંત્ર ચેતનાસ્વરૂપ કે ચૈતન્યનો અધિષ્ઠાતા નથી. દુ:ખ સત્યની વ્યાખ્યા કરતાં ગૌતમબુદ્ધે કહ્યું છે કે પાંચે સ્કન્ધો જ્યારે વ્યક્તિની તૃષ્ણાનો વિષય બનીને પાસે આવે છે, ત્યારે તેને જ ઉપાદાનસ્કન્ધ કહેવાય છે. આ પાંચે ઉપાદાનસ્કન્ધો દુ:ખરૂપ છે. (૩૩) સમુદાય એટલે કારણ. વિષમદુઃખનું કોઈ એક કારણ નથી. પણ કારણોની સઘળી શૃંખલા છે. તે શૃંખલાનું નામ દ્વાદશ નિદાન છે. તે આ પ્રમાણે - (૧) જરા-મરણ, (૨) જાતિ, (૩) ભવ, (૪) ઉપાદાન, (૫) તૃષ્ણા, (૯) વેદના, (૭) સ્પર્શ, (૮) પડાયતન, (૯) નામરૂપ, (૧૦) વિજ્ઞાન, (૧૧) સંસ્કાર, (૧૨) અવિદ્યા. અવિદ્યા દુ:ખોનું મૂળ કારણ છે. કારણ કે સમુદયશૃંખલાને પણ તે જ જન્માવે છે અને ટકાવે છે. અવિદ્યા એટલે અજ્ઞાન, અજ્ઞાન પૂર્વજન્મનાં કર્મ અને અનુભવથી ઉત્પન્ન સંસ્કારનું કારણ છે. એટલે કે અવિદ્યા સંસ્કારને જન્મ આપે છે. સંસ્કાર વિજ્ઞાનને જન્મ આપે છે. વિજ્ઞાનના કારણે ગર્ભમાં ભૂણને
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy