SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩ | ગાથા-૧૧-૧૨ ૧૫૫ સાધારણ ધર્મ મૂર્તતા છે અર્થાત્ પુદ્ગલ અને આત્મા ઉભયનો સાધારણ ધર્મ મૂર્તતા છે, તેથી અનંત્ય અનુગજનિત એવા સાધારણ ધર્મરૂપ મૂર્તતા સંસારી આત્માનો સ્વભાવ છે. આ કથનને યુક્તિથી સ્પષ્ટ કરે છે – સંસારી જીવનો દેહ સાથે અન્યોન્ય અનુગમ સમાન છે છતાં આત્મામાં જ અમૂર્તતાનો અનુભવ થાય છે, પુદ્ગલમાં અમૂર્તતાનો અનુભવ થતો નથી તેથી કિંચિત્ કોઈ એકનો જ, અનુગમ થાય છે મૂર્તતાનો જ અનુગમ થાય છે, પરંતુ અમૂર્તતાનો અનુગમ થતો નથી. કોઈકના વડે જ અનુગમ થાય છે=વિચારક પુરુષ વડે જ આત્મામાં મૂર્તતાનો અનુભવ થાય છે, પરંતુ અવિચારકને તો માત્ર શરીર દેખાય છે અને શરીર અંતર્ગત આત્મામાં અન્યોન્ય અનુગામને કારણે મૂર્તતા દેખાતી નથી. વળી, વિચારકને પણ કથંચિતું જ મૂર્તતા દેખાય છે=આત્મામાં સર્વથા મૂર્તતા દેખાતી નથી પરંતુ કથંચિત્ જ મૂર્તતા દેખાય છે; કેમ કે પુદ્ગલના અનુગામને કારણે જ અમૂર્તતા અભિભૂત થઈ છે, માટે મૂર્તતા છે પરંતુ પરમાર્થથી તો આત્મા અમૂર્ત છે તેમ અનુભવાય છે. તેથી જે પ્રમાણે આત્મામાં મૂર્તતાનો ઉપચાર કરવાનો આગમનો વ્યવહાર છે અને શરીરમાં અમૂર્તતાનો આગમનો વ્યવહાર નથી એ પ્રમાણે જ આશ્રયણ કરવું જોઈએ. ll૧૩/૧૧|| અવતરણિકા - ગાથા-૧૧માં સ્થાપન કર્યું કે, આત્મા સાથે સંબંધ હોવા છતાં પુલમાં અમૂર્તસ્વભાવનો વ્યવહાર ઉપચારથી પણ થઈ શકે નહીં. ઢાળ-૧રની ગાથા-૧રમાં કહેલ કે પુદ્ગલને અને જીવને એકવીસ સ્વભાવ થાય છે તે પ્રમાણે સ્વીકારીએ તો પુદ્ગલમાં પણ અમૂર્તસ્વભાવ સ્વીકારવો પડે, તો જ પુદગલમાં એકવીસ સ્વભાવ સંગત થાય. આ કથન સાથે ગાથા-૧૧નો વિરોધ દેખાય છે. તેના પરિહાર અર્થે કહે છે – ગાથા - પુદગલનઈં ઈકવીસમો રે, ઈમ તો ભાવ વિલુપ્ત; તેણિ અસભૂત નઈં રે, પરોક્ષ અણુએ અમુત્તો રે. ચતુ9 II૧૩/૧ણા ગાથાર્થ : ઈમ તો ગાથા-૧૧માં કહ્યું એ રીતે તો, પુગલને એકવીસમો ભાવ=અમૂર્તસ્વભાવ વિલુપ્ત થાય. તેણિકતે દોષને ટાળવા અર્થે, અસદ્ભુત વ્યવહારનયથી પરોક્ષ અણુમાં અમૂર્તસ્વભાવ કહેવો જોઈએ. ll૧૩/૧શા ટબો: ઉપચાર પણિ અમૂર્ત સ્વભાવ પૂગલન ન હોઈ ઈમ કહતાં તો એકવીસમી ભાવ ર્કોપાઈ, તિવારઈં-“પ્રવિત્તિખાવાઃ યુÍવપુયોર્કતા: ” એ વચન વાઘાતથી અપસિદ્ધાંત થાઈ. તે ટાલવાનઈ કાજિ અસદભૂતવ્યવહારનઈં પરોક્ષ જે પુદ્ગલ
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy