SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩/ ગાથા-૧૧ અપેક્ષાથી અનુભૂયતે શરીરધારી જીવમાં મૂર્તતા અનુભવાય છે. કૃત્તિ એ પ્રમાણે યથારીનવ્યવહારzજે પ્રમાણે આગમનો વ્યવહાર છે તે પ્રમાણે), આશ્રય આશ્રયણીય છે. ll૧૩/૧૧ના ભાવાર્થ - અવતરણિકામાં શંકા કરી કે “સમ્મતિ'ના વચનાનુસાર યુગલદ્રવ્યનો વિભાજક અંત્યવિશેષ મૂર્તતા છે અને આત્મા સાથે પુદ્ગલ દ્રવ્ય એકમેક થયેલું છે. આત્મા મોક્ષમાં જાય છે ત્યારે છુટા પડેલા તે પુદ્ગલમાં મૂર્તતા માત્ર છે એટલા માત્રથી આત્મદ્રવ્યમાં તેનો ઉપચાર કેમ થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહીં. વળી, જો એમ કહેવામાં આવે કે, “પગલદ્રવ્યનો વિભાજક અંત્યવિશેષ મૂર્તતા હોવા છતાં પુદ્ગલ દ્રવ્ય અને આત્મદ્રવ્ય સંસારીઅવસ્થામાં કથંચિત્ એકત્વને પામેલાં છે, માટે તે અવસ્થામાં તે પુદ્ગલદ્રવ્યનો વિભાજક અંત્યવિશેષ હોવા છતાં પણ આત્માની સાથે તે મૂર્તતા અન્યોન્યના અનુગામને કારણે સંલગ્ન છે, તેથી આત્મામાં પુદ્ગલદ્રવ્યની મૂર્તતાનો ઉપચાર થઈ શકે છે તો શંકાકારશ્રી પ્રશ્ન કરે છે કે, જેમ સંસારી જીવ અને પુદ્ગલ દ્રવ્ય બંનેનો અન્યોન્ય અનુગમ છે, તેથી પુગલદ્રવ્યની મૂર્તતાનો ઉપચાર દેહની સાથે એકત્વભાવને પામેલા આત્મામાં થઈ શકે છે, તેમ પુદ્ગલદ્રવ્યની સાથે આત્મદ્રવ્યનો અન્યોન્ય અનુગમ હોવાને કારણે આત્મદ્રવ્યની અમૂર્તતાનો ઉપચાર પુદ્ગલદ્રવ્યમાં થવો જોઈએ અર્થાત્ જો પુદ્ગલદ્રવ્યની મૂર્તતાનો આત્મદ્રવ્યમાં ઉપચાર થઈ શકે છે તો આત્મદ્રવ્યની અમૂર્તતાનો ઉપચાર પણ પુદ્ગલદ્રવ્યમાં થવો જોઈએ. આ પ્રકારની શંકાનું નિવારણ કરતાં કહે છે – દેહધારી જીવના શરીરરૂપ પુદ્ગલમાં જે મૂર્તતા છે તે અમૂર્ત એવા જીવ સાથે સંબંધ થવાને કારણે અભિભૂત થતી નથી, પરંતુ અમૂર્ત એવા જીવન સાથે સંબંધવાળી મૂર્તતા ઉભૂત છે=પ્રત્યક્ષથી દેખાય છે. તેથી જીવના સંબંધને આશ્રયીને જીવના શરીરમાં અમૂર્તતા સ્વભાવ છે તેમ કહી શકાય નહીં; કેમ કે પ્રત્યક્ષથી મૂર્તસ્વભાવ દેખાતો હોય ત્યાં અમૂર્તસ્વભાવ કહી શકાય નહીં. જીવમાં વર્તતી અમૂર્તતા પુદ્ગલની મૂર્તતાનો અભિભવ કરવા સમર્થ બનતી નથી, તેથી નક્કી થાય છે કે, અમૂર્તતા પુદ્ગલદ્રવ્યનો ધર્મ નથી, પરંતુ પુદ્ગલથી અન્ય એવા અપુદ્ગલદ્રવ્યનો અંત્યવિશેષ છે; કેમ કે મૂર્તતા પુદ્ગલદ્રવ્યનો જ ધર્મ છે અન્ય દ્રવ્યનો નહીં; એટલું જ નહીં પણ, અમૂર્ત એવા આત્મા સાથે સંબંધ થવા છતાં અભિભૂત ન થાય તેવો પુદ્ગલનો ધર્મ છે. તેથી જે પુદ્ગલ નથી તેમાં મૂર્તતા ધર્મ નથી તેમ ફલિત થાય. માટે અપુદ્ગલદ્રવ્યનો અંત્યવિશેષ અમૂર્તતા જ છે. આથી જ=આત્માનો પણ અંત્યવિશેષ અમૂર્તતા ધર્મ જ છે ફક્ત કર્યદોષને કારણે અમૂર્તતા અભિભૂત થયેલી છે. આથી જ, આત્માનો અંત્યવિશેષ અમૂર્તસ્વભાવ હોવા છતાં અનંત્ય અનુગજનિત એવા સાધારણ ધર્મરૂપ મૂર્તતા પણ સંસારી આત્માનો સ્વભાવ છે તેમ કહેવાય છે. આશય એ છે કે, આત્માનો અંત્યવિશેષ ધર્મ અમૂર્તતા છે=પુદ્ગલથી આત્મા છૂટો પડે છે ત્યારે પ્રગટ થાય તેવો અંત્ય ધર્મ અમૂર્તતા છે, વળી તે અમૂર્તતા અન્યોન્ય અનુગમરહિત આત્માનો અસાધારણ ધર્મ છે. પુગલ સાથે સંસારી આત્મા એકમેક થયેલો હોવાને કારણે કર્મ અને આત્માનો અન્યોન્ય અનુગજનિત
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy