SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩ | ગાથા-૭ ૧૪૫ ગાથાર્થ : અસભૂત વ્યવહારનયથી જીવ અચેતન ધર્મવાળો છે. પરમભાવગ્રાહકનયથી કર્મ અને નોકર્મ મૂર્તિ છે. ll૧૩/છા ટબો - અસદભૂત વ્યવહારનયથી જીવ અચેતનસ્વભાવ કહિઈ. ગત વ-“દોડ, વેતનોડવ” ઈત્યાદિ વ્યવહાર છઈ. __एतेन 'मां न जानामि' 'इति प्रतीत्या विलक्षणाज्ञानसिद्धिर्वेदान्तिनामपास्ताऽसद्भूतव्यवहारनयग्राह्यणाचेतनस्वभावेनैव तदुपपत्तेः ।' પરમભાવગ્રાહકનાઈ કર્મ-નોકર્મનઈં મૂર્તસ્વભાવ કહિઈં. ૧૩/૭માં ટબાર્થ : અસદભૂત વ્યવહારનયથી જીવ અચેતનસ્વભાવવાળો કહેવાય છે. આથી જ કોઈ પુરુષમાં જડતા જોઈને આ જડ છે, “આ અચેતન છે ઈત્યાદિ વ્યવહાર થાય છે. આના દ્વારા અસદ્દભૂતવ્યવહારનયથી જીવતો અચેતન સ્વભાવ સ્વીકાર્યો એના દ્વારા, “હું મને જાણતો નથી” એ પ્રકારની પ્રતીતિ હોવાને કારણે વેદાન્તીઓની વિલક્ષણ અજ્ઞાનની સિદ્ધિ અપાત થાય છે; કેમ કે અસદ્દભૂતવ્યવહારનયથી ગ્રાહ્ય એવા અચેતન સ્વભાવ વડે જ તેની ઉપપત્તિ છે. પરમભાવગ્રાહકનયની દૃષ્ટિ અકર્મ અને નોકર્મનો મૂર્તસ્વભાવ કહેવાય છે. ૧૩/૭ ભાવાર્થ : અસદ્ભુત વ્યવહારનયની દૃષ્ટિથી જીવના સ્વરૂપને જોવામાં આવે ત્યારે જીવનો કર્મની સાથે અભેદ પ્રતીત થાય છે અને જડ એવાં કર્મોનો અચેતન સ્વભાવ પણ જીવમાં પ્રતીત થાય છે. તેથી જીવને અચેતન સ્વભાવવાળો અસભૂતવ્યવહારનય સ્વીકારે છે. આથી જ કોઈક જીવમાં કોઈક દૃષ્ટિથી મંદબુદ્ધિ દેખાય છે ત્યારે આ જડ છે', “આ અચેતન છે એ પ્રકારનો વ્યવહાર થાય છે. વળી, વેદાન્ત મત કહે છે કે આત્માનું વાસ્તવિક સ્વરૂપ જે છે તેનું સંસારી જીવોને જ્ઞાન નથી, તેથી સંસારી જીવોને પ્રતીતિ છે કે “હું મને જાણતો નથી આથી જ સંસારી જીવો યોગીને પૃચ્છા કરે છે કે “મારું વાસ્તવિક સ્વરૂપ શું છે? અહીં હું મને જાણતો નથી' એવી પ્રતીતિના બળથી સંસારી જીવમાં વિલક્ષણ કોટિના અજ્ઞાનની સિદ્ધિ છે અર્થાત્ પોતાના સ્વરૂપને ન જાણી શકે એવા પ્રકારના અજ્ઞાનની સિદ્ધિ છે એમ વેદાન્તી કહે છે. તે મતનું પ્રસ્તુત કથનથી નિરાકરણ થાય છે; કેમ કે અસભૂત વ્યવહારનયથી ગ્રાહ્ય એવા અચેતન સ્વભાવથી જ આત્માને પોતાના સ્વરૂપનું અજ્ઞાન વર્તે છે. આશય એ છે કે આત્માના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન કેવલીને જ છે, છદ્મસ્થ જીવોને બારમા
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy