SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ દ્રવ્યગુણપર્યાયનો રસ ભાગ-૨ | ઢાળ-૧૩ | ગાથા-૬-૭ જે શાતાનું વેદના થાય છે કે અશાતાdદનકાળમાં જે અશાતાનું વદન થાય છે તે વેદનરૂપ પર્યાય વેદનીયકર્મમાં છે, જે ચેતનના સંયોગકૃત છે. જેમ “ઘી બાળે છે તે પ્રયોગમાં અગ્નિના સંયોગકૃત ઘીમાં દાહકપર્યાય દેખાય છે તેમ વેદનીયકર્મમાં ચેતનના સંયોગકૃત સુખનું વેદન કે દુઃખનું વદન દેખાય છે. આ કથનને જ અનુભવથી સ્પષ્ટ કરતાં કહે છે – આ શરીર આવશ્યકને જાણે છે.' ઇત્યાદિ વ્યવહાર પણ અસભૂત વ્યવહારનયની દૃષ્ટિથી નોકર્મરૂપ શરીરમાં થાય છે; કેમ કે પોતાનું શરીર “મને ભૂખ લાગી છે, માટે ખાવું આવશ્યક છે.” એ પ્રકારનો બોધ કરે છે. હું થાકેલો છું, માટે મારે સૂવું આવશ્યક છે. એ પ્રકારે શરીર જાણે છે. વસ્તુતઃ શરીર જડ છે, તેને જ્ઞાન થાય નહીં, પરંતુ ચેતનના સંયોગકૃત પર્યાય શરીરમાં વિદ્યમાન છે, તેથી “શરીર જાણે છે એ પ્રકારનો વ્યવહાર થાય છે. જેમ અગ્નિના સંયોગ વગરનું ઘી હોય તેને આશ્રયીને અસદ્ભુત વ્યવહારનય “ધી બાળે છે” એમ કહેતો નથી તેમ જીવ વગરનું શરીર હોય તે શરીરને આશ્રયીને અસભૂત વ્યવહારનય “શરીર જાણે છે એમ કહેતો નથી; પરંતુ ઘીની સાથે અગ્નિનો સંયોગ હોય ત્યારે અસદ્ભુત વ્યવહારનય “ધી બાળે છે એમ કહે છે તેજ રીતે જીવની સાથે શરીરનો સંયોગ હોય ત્યારે શરીર જાણે છે એ પ્રકારનું કથન અસદ્દભૂત વ્યવહારનય કરે છે. આ રીતે અસભૂત વ્યવહારનયથી કર્મ અને નોકર્મ ચેતન છે તેમ બતાવ્યા પછી તે કર્મ અને નોકર્મ પરમભાવગ્રાહકનયથી કેવા કહેવાય છે ? તે બતાવે છે – પરમભાવગ્રાહકનય એટલે પદાર્થનો જે મુખ્ય ભાવ હોય તેને ગ્રહણ કરનાર નયની દૃષ્ટિ. આ નયની દૃષ્ટિથી વિચારીએ તો જ્ઞાનાવરણીય આદિ કર્મો આત્માની સાથે અણુ-તણુની જેમ એકમેક થયાં હોય તોપણ તે જ્ઞાનાવરણીય આદિ કર્મો પુદ્ગલ હોવાથી જડ છે. જેમ જડ એવા પુદ્ગલના પરમભાવને ગ્રહણ કરવાની નયદૃષ્ટિ કર્મના અચેતન સ્વભાવને બતાવે છે, તેમ મન, વચન, કાયાના પુદ્ગલોરૂપ નોકર્મ પણ આત્માની સાથે અણુ-તણની જેમ વણાયેલાં હોય તોપણ પુદ્ગલાત્મક હોવાથી પરમભાવગ્રાહકનયની દૃષ્ટિ તેના અચેતન સ્વભાવને જ બતાવે છે. જેમ અગ્નિના સાંનિધ્યવાળું ઉષ્ણ પણ ઘી હોય છતાં ઘીના પરમભાવને જોનારી દૃષ્ટિથી વિચારીએ તો ઘીનો અનુણ સ્વભાવ જ પ્રતીત થાય છે. II૧૩/કા અવતરણિકા : ગાથા-૬માં અસબૂત વ્યવહારનયથી કર્મલા અને દેહાદિના પુદ્ગલોને ચેતન કહ્યા. હવે અસત વ્યવહારનયથી જીવને શું કહી શકાય ? તે સ્પષ્ટ કરવા કહે છે – ગાથા : અસભૂતવ્યવહારથી રે, જીવ અચેતન ધર્મ; પરમભાવગ્રાહકનયઈ રે, મૂરત કર્મ, નોકર્મ રે. ચતુo II૧૩/ના
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy