SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૨ | ગાથા-૧૩ અવતરણિકા : પર્યાયદલ માર્ટિ ગુણનઈં શક્તિરૂપ કહઈ છઈ, તેહનઈં દૂષણ દિઈ છઈ – અવતરણિકાર્ય - પર્યાયનું દલ છે=ગુણ પર્યાયનું દલ છે, માટે ગુણને શક્તિરૂપે કહે છેઃદિગંબર ગુણને પર્યાયની શક્તિરૂપે કહે છે, તેને=દિગંબરને દૂષણ આપે છે – ગાથા - જો ગુણ, દલ પર્યવનું હોવઇ, તો દ્રવ્યઇં ચૂં કીજઇ રે; ગુણ-પરિણામ પટંતર કેવલ, ગુણ-પર્યાય કહી જઈ રે. જિન li૨/૧૩ ગાથાર્થ : જો ગુણ, પર્યાયનું દળ=પર્યાયનું ઉપાદાન કારણ, હોય તો દ્રવ્યને શું કરીએ ? =દ્રવ્યને માનવાની જરૂર નથી. કેવલ ગુણ પરિણામ પટંતર=ગુણ પરિણામનો કલ્પનારૂપ ભેદ, ગુણપર્યાય કહેવાય ગુણ અને પર્યાય જુદા કહેવાય. ll૨/૧૩ બો - જ ગુણ, પર્યાયનું દલ કહિતાં ઉપાદાન કારણ હોઈ, તો ઢબઈ સૂં કીજઈ? દ્રવ્યનું કામ ગુણઈં જ કીધઉં, તિવારઈ ગુણ ૧, પર્યાય ૨, જે પદાર્થ કહ, પણિ ત્રીજી ન હોઈ. કોઈ કહસ્થઈં-“વ્યપર્યાય, ગુણપર્યાય, રૂપ કારય ભિન્ન છઈ, તે માટિ દ્રવ્ય ૧, ગુણ ૨, રૂપ કારણ ભિન્ન કલ્પિઈં” તે જૂઠું. ર્જ માટિ કાર્યમાંહિ કારણ શબ્દનો પ્રયોગ છઈ, તેણઈ કારણભેદઈ કાર્યભેદ સિદ્ધ થાઈ, અનઈં કાર્યભેદ સિદ્ધ થયો હોઈ, ઓં કારણભેદ સિદ્ધ થાઈ, એ અન્યોન્યાશ્રય નામઈ દૂષણ ઊપજઈ; તે માટૐ ગુણપર્યાય જે કહિઈ, તે ગુણ-પરિણામનો જે પટંતર-ભેદ કલ્પનારૂપ, તેહથી જ કેવલ સંભવઈ, પણિ પરમાર્થ નહીં અનઈ એ 3 નામ કહઈ છઈ તે પણિ ભેદોપચારઈં જ, ઈમ જાણવું. 1/૨/૧all બાર્થ : જો ગુણ એ પર્યાયનું દલ કહેતાં ઉપાદાનકારણ હોય તો દ્રવ્યનું શું કામ છે ? અર્થાત્ દ્રવ્યને સ્વીકારવાની જરૂર નથી; કેમ કે દ્રવ્યનું કામ ગુણે જ કર્યું અને તેમ સ્વીકારીએ તો ગુણ અને પર્યાય એમ બે જ પદાર્થ કહેવા જોઈએ, પણ ત્રીજો પદાર્થ હોય જ નહીં. કોઈ કહે છે – દ્રવ્યપર્યાય અને ગુણપર્યાયરૂપ કાર્ય ભિન્ન છે તે માટે દ્રવ્ય અને ગુણરૂપ બે કારણ પણ ભિન્ન કલ્પાય છે, તે જૂઠું છે.
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy