SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૭ | ગાથા-૧ થી ૪ ઢબો ઃ તે વલી, ૨ પ્રકારિ હોઈ-૧ શુદ્ધ, બીર્જા-અશુદ્ધ ૨. શુદ્ધ ધર્મ-ધર્મિના ભેદથી શુદ્ધ તે સદ્દભૂત વ્યવહાર, અશુદ્ધ ધર્મ-ધર્મિના ભેદથી અશુદ્ધ સદ્ભૂત વ્યવહાર. સદ્દભૂત માર્ટિ જે-એક દ્રવ્ય જ છઈ, ભિન્ન દ્ભવ્ય સંયોગાર્પેક્ષા નથી. વ્યવહાર તે માટેિં જે-ભેદ દેખાડિંઈ છઈં, II૭/૨|| ટબાર્થ ઃ તે વળી,=સદ્ભૂત વ્યવહાર વળી, બે પ્રકારે થાય. (૧) શુદ્ધ, બીજો (૨) અશુદ્ધ. (૧) શુદ્ધ ધર્મ-ધર્મીના ભેદથી શુદ્ધ સદ્ભૂત વ્યવહાર છે. (૨) અશુદ્ધ ધર્મ-ધર્મીના ભેદથી અશુદ્ધ સદ્ભૂત વ્યવહાર છે. ઉપનયના પ્રથમ ભેદમાં ‘સદ્ભૂત’ અને ‘વ્યવહાર' એમ બે શબ્દોનો પ્રયોગ કેમ કર્યો ? તે સ્પષ્ટ ક૨વા અર્થે કહે છે - સદ્ભૂત તે માટે, જે એક દ્રવ્ય જ છે. ભિન્ન દ્રવ્યના સંયોગની અપેક્ષા નથી અર્થાત્ આત્માથી ભિન્ન એવાં કર્માદિ દ્રવ્યના સંયોગની અપેક્ષા નથી. વ્યવહાર તે માટે, જે ભેદ દેખાડે છે અર્થાત્ ધર્મ અને ધર્મીનો ભેદ દેખાડે છે. I૭/૨ ગાથા : જિમ જગિ કેવલગ્યાન, આતમદ્રવ્યનું, મઈ નાણાદિક તેહનું એ. ૭/૩॥ ગાથાર્થ ઃ જેમ જગતમાં આત્મદ્રવ્યનું કેવળજ્ઞાન (એ શુદ્ધ સદ્ભૂત વ્યવહાર છે.) તેહનું=આત્મદ્રવ્યનું, મતિજ્ઞાનાદિક, (એ અશુદ્ધ સદ્ભૂત વ્યવહાર છે.) II૭/૩II ટબો ઃ જિમ-જગમાંહિ “આત્મદ્રવ્યનું કેવલજ્ઞાન” ઈમ ષષ્ઠીઈં પ્રયોગ કીજઈ. તથા“મતિજ્ઞાનાદિક આત્મદ્રવ્યના ગુણ ઈમ-ોલાવિઈં. 19/3|| ટબાર્થ ઃ જેમ જગતમાં ‘આત્મદ્રવ્યનું કેવળજ્ઞાન' એમ ષષ્ઠીનો પ્રયોગ કરાય છે, જે શુદ્ધ સદ્ભૂત વ્યવહાર છે. તથા=અને, ‘આત્મદ્રવ્યના મતિજ્ઞાનાદિક ગુણ છે' એમ બોલાય છે, તે અશુદ્ધ સદ્ભૂત વ્યવહાર છે. II૭/૩।।
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy