SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧] ઢાળ-૫| ગાથા-૪-૫ પ્રાપ્ત થાય કે, નયદૃષ્ટિ પોતાના વિષયનો નિર્ણય કરવા માટે ઊહ કરે છે અને તે ઊહ પણ સુનય પ્રમાણિક ઊહ કરે છે. તેથી દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય પોતાની પ્રમાણિક દૃષ્ટિથી જે પ્રમાણિક ઊહ કરે છે તે ઊહના બળથી તેને મુખ્ય-અમુખ્યરૂપે ભેદ-અભેદ વગેરે બેઉ ધર્મોનું ગ્રહણ થાય છે. આપણુજા અવતરણિકા - કઈક કહઈ છઈ, જૈ-એક ના એક જ વિષય ગ્રહઈ, બીજા ના વિષય ન ગ્રહ ર્ત દૂષઈ ૭ઈ – અવતરણિતાર્થ - કોઈ કહે છે, જે એક નય એક જ વિષયને ગ્રહણ કરે=પોતાનો વિષય જ ગ્રહણ કરે, બીજા નયનો વિષય ગ્રહણ કરે નહીં, તેને દૂષણ આપે છે – ભાવાર્થ પૂર્વ ગાથામાં કહ્યું કે, દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય ભેદભેદરૂપ બંને વિષયોને મુખ્ય-અમુખ્યરૂપે ગ્રહણ કરે છે, ત્યાં કોઈક કહે છે – શું કહે છે ? તે બતાવે છે. જે, એક નય એક જ વિષયને ગ્રહણ કરે અર્થાત્ ભેદભેદમાંથી કોઈક એક, ભેદને કે અભેદને જ ગ્રહણ કરે અથવા નિત્યાનિત્યમાંથી કોઈક એક, નિત્યને કે અનિત્યને જ ગ્રહણ કરે અથવા એક-અનેકમાંથી કોઈક એક, એકને કે અનેકને જ ગ્રહણ કરે. જેમ દ્રવ્યાર્થિકનય અભેદને જ ગ્રહણ કરે અથવા નિત્યને જ ગ્રહણ કરે અથવા એકને જ ગ્રહણ કરે, પરંતુ પોતાના પ્રતિપક્ષ એવાં નયના વિષયને ગ્રહણ કરે નહીં અર્થાત્ દ્રવ્યાર્થિકનયના પ્રતિપક્ષ એવાં પર્યાયાર્થિકનયના વિષયને ગ્રહણ કરે નહીં અર્થાત્ ભેદરૂપ, અનિત્યરૂપ કે અનેકરૂપ વિષયને ગ્રહણ કરે નહીં.” કોઈકના તે કથનને દૂષિત કરે છે. ' ગાથા : ભિન્ન વિષય નયગ્યાનમાં, જે સર્વથા ન ભાઈ રે; તો સ્વતંત્ર ભાવઇ રહઈ, મિથ્યાદષ્ટિ પાસઈ રે. ગ્યાન પ/પા ગાથાર્થ - નયજ્ઞાનમાં જો સર્વથા ભિન્ન વિષય ન ભાસે, તો સ્વતંત્ર ભાવને કારણે તે નય સર્વથા નયાંતર વિમુખપણાને કારણે, મિથ્યાદષ્ટિ પાસે રહે. પ/પા. ટબો: જ નથજ્ઞાનમાંહિં ભિન્ન વિષય કહતાં-નવાંતરનો મુખ્યાર્થ, સર્વથા કહતાં-અમુખ્યપણઈ
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy