SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ર દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૩ | ગાથા-૭ અવતરણિકા : વલી અભેદ ન માનઈં તેહનઈં દોષ દેખાડઈ છઈ - — અવતરણિકાર્થ ઃ વળી, અભેદ ન માને=દ્રવ્ય, ગુણ અને પર્યાયનો અભેદ ન માને અને એકાંતે ભેદ માને, તેને દોષ દેખાડે છે ગાથા: જો અભેદ નહીં એહોનો જી, તો કારય કિમ હોઇ ?; અછતી વસ્તુ ન નીપજઇ જી, શશવિષાણ પરિ જોઈ રે. ભવિકા॰ ||૩/૭ll ગાથાર્થ ઃ જો એહોનો=દ્રવ્ય, ગુણ અને પર્યાયનો, અભેદ ન હોય તો, કાર્ય કેમ થાય ?=દ્રવ્યમાંથી તે તે ગુણ કે પર્યાયની નિષ્પત્તિરૂપ કાર્ય કેમ થાય ? જેમ શશવિષાણ=સસલામાં વિષાણ, ક્યારેય હોતું નથી, તેથી શશવિષાણરૂપ વસ્તુ નિષ્પન્ન થતી નથી. તેમ, અછતી વસ્તુ=દ્રવ્યમાં ગુણપર્યાયરૂપ અછતી વસ્તુ, નિષ્પન્ન થાય નહીં. ||૩/૭II ટબો ઃ જો એહનઈં=દ્રવ્ય-ગુણ-પર્યાયનઈં, અભેદ નથી, તો કારણ-કાર્યનઈં પણ અભેદ ન હોઈ. તિવાÛ મૃત્તિકાદિક કારણથી ઘટાદિ કાર્ય કિમ નીપજઈ ? કારણમાંહિં કાર્યની શક્તિ હોઈ તો જ કાર્ય નીપજÖ, કારણમાંહિ અછતી કાર્યવસ્તુની પરિણતિ ન નીપજઈ જ, જેમ શશવિષાણ. જો કારણમાંહિ કાર્યસત્તા માનિઈ, તિવાર અભેદ સહજિ જ આવ્યો. [[૩/૭|| ટબાર્થ ઃ જો એહને=દ્રવ્યગુણપર્યાયને, અભેદ નથી તો કારણ અને કાર્યનો પણ અભેદ થાય નહીં. અર્થાત્ દ્રવ્યરૂપ કારણનો ગુણપર્યાયરૂપ કાર્યની સાથે અભેદ થાય નહીં. તે વખતે માટી આદિ કારણથી ઘટાદિ કાર્ય કેમ ઉત્પન્ન થાય ? અર્થાત્ થાય નહીં. માટીમાંથી ઘટાદિ કાર્ય કેમ ઉત્પન્ન થાય નહીં ? તેથી કહે છે કારણમાં કાર્યની શક્તિ હોય તો જ કાર્ય નિષ્પન્ન થાય=કારણમાંથી કાર્ય નિષ્પન્ન થાય. કારણમાં અછતી એવી કાર્યવસ્તુની પરિણતિ નિષ્પન્ન થાય નહીં જ. જેમ શશવિષાણ નિષ્પન્ન થતું નથી.
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy